SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૩૪૭ વિના હોઈ શકતી નથી. જેમ તાવ આવવાથી સજીવ શરીરનું અંગારા જેવું ગરમ થઈ જવું જીવના સંયોગનું એક ખાસ ચિહ્ન છે તેમ અગ્નિની ગરમી પણ જીવના સંયોગ વિના હોઈ શકતી નથી. તેથી તે પણ અગ્નિજીવ યા અગ્નિકાય જીવનું અનુમાન કરવામાં પ્રધાન હેતુ છે. શું કદી મડદાને તાવ આવ્યો સાંભળ્યો છે? આમ અન્વયવ્યતિરેકથી અગ્નિની ગરમી જ અગ્નિજીવોનું અનુમાન કરાવે છે. અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે – આગના અંગરા વગેરેમાં જોવા મળતો પ્રકાશરૂપ પરિણામ આત્માના સંયોગથી ઉત્પન્ન થાય છે કેમ કે તે શરીરમાં રહેનારો પ્રકાશ છે, જેમ કે આગિયાના ચમકદાર શરીરમાં જોવા મળતો પ્રકાશ. અંગરા આદિની ગરમી આત્માના સંયોગથી ઉત્પન્ન થયેલી છે કેમ કે તે શરીરમાં જોવા મળતી ગરમી છે, જેમ કે તાવ આવવાથી વધતી શરીરની ગરમી. સૂર્ય આદિની ગરમી તથા પ્રકાશ પણ સૂર્યજીવ આદિના સંયોગથી જ ઉત્પન્ન થાય છે. તેથી અમારા હેતુઓ નિબંધ છે, તેમનામાં કોઈ વ્યભિચાર નથી. વળી, અગ્નિ સચેતન છે કેમ કે તે યથાયોગ્ય ઇંધનરૂપ આહાર મળવાથી વધે છે અને ન મળવાથી ઘટે છે, જેમ મનુષ્યનું શરીર આહાર મળે તો વધે છે અને ન મળે તો દુબળું થઈ જાય છે, તેથી મનુષ્યનું શરીર જેમ સચેતન છે તેમ અગ્નિ પણ સચેતન છે. આમ અનેક હેતુઓથી અગ્નિજીવોની યા અગ્નિકાય જીવોની સિદ્ધિ કરવી જોઈએ. 154. યથા તેવી સ્વપ્રમાવામનુષ્યાપા વનવિદાયમન્ત્રાન્તर्धाने शरीरं चक्षुषानुपलभ्यमानमपि विद्यमानं चेतनावच्चाध्यवसीयते, एवं वायावपि चक्षुाह्यं रूपं न भवति, सूक्ष्मपरिणामात्, परमाणोरिव वह्निदग्धपाषाणखण्डिकागताचित्ताग्नेरिव वा । प्रयोगश्चायम्-चेतनावान् वायुः, अपरप्रेरिततिर्यगनियमितदिग्गतिमत्त्वात्, गवाश्वादिवत् । तिर्यगेव गमननियमादनियमितविशेषणोपादानाच्च परमाणुना न व्यभिचारः, तस्य नियमितगतिमत्त्वात्, “जीवपुद्गलयोरनुश्रेणिः" इति वचनात् । एवं वायुरशस्त्रोपहतश्चेतनावानवगन्तव्यः । - 154. જેમ દેવોનાં શરીર પોતાની સ્વાભાવિક શક્તિના કારણે દેખાતાં નથી અથવા તો કોઈ અંજનવિદ્યા કે મન્નના પ્રયોગના કારણે ઘણા સિદ્ધયોગી પોતાના સ્થૂળ શરીરને અન્તહિંત (અદશ્ય) કરી દે છે તેમ વાયુ પણ જો કે આંખો વડે દેખાતો નથી તેમ છતાં દેવ યા યોગીઓના શરીરની જેમ સાચતેન છે. વાયુનું પરિણમન એટલું સૂક્ષ્મ છે કે તેમાં રહેતું રૂપ આંખોને ગ્રાહ્ય નથી, દેખાતું નથી. જેવી રીતે આગથી તપાવેલા ગરમ પથ્થરમાં આગના અચેતન પરમાણુઓ વિદ્યમાન છે તેમ છતાં સૂક્ષ્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy