SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ તર્કરહસ્યદીપિકા कथमेष पदार्थपरिच्छेदकः स्यात् ? प्रतिनियतस्वरूपाऽप्रच्युतिरूपत्वात् कौटस्थ्यस्य । पदार्थपरिच्छेदे तु प्रागप्रमातुः प्रमातृरूपतया परिणामात् कुतः कौटस्थ्यमिति ? - 139. તથા આત્મામાં કૂટસ્થનિત્યતા પણ ઘટતી નથી. આત્માને કૂટસ્થનિત્ય – આત્મત્તિક અપરિવર્તનશીલ, જેવો ને તેવો જ, સદા એક રૂપમાં જ રહેનારો – માનવો પણ તર્ક અને અનુભવની વિરુદ્ધ છે કેમ કે જો આત્મા જેવો પહેલાં હતો તેવો જ રહેતો હોય, તેમાં કંઈ પણ પરિવર્તન ન થતું હોય, તો જ્ઞાન ઉત્પન્ન થવા છતાં પણ તે પહેલાંની જેમ મૂરખ ને મૂરખ જ રહે – તેનામાં પોતાની મૂર્ખતા છોડી જ્ઞાની બનવાની ગુંજાશ જ નથી, તેથી તે પદાર્થોનું જ્ઞાન કેવી રીતે કરશે? શક્ય જ નથી. જો આત્મા જ્ઞાન ઉત્પન્ન થતાં પોતાની પહેલાંની અજ્ઞાનદશા યા મૂર્ખતા છોડીને પદાર્થોના સ્વરૂપને યથાવત જાણીને જ્ઞાની બની જતો હોય તો તેનામાં બહુ મોટું પરિવર્તન થઈ ગયું ગણાય. ફૂટસ્થનિત્યમાં તો ન કોઈ પહેલાંનો સ્વભાવ નાશ પામે છે કે ન કોઈ નવો સ્વભાવ ઉત્પન્ન થાય છે, તે તો સદા એક ને એક સ્વભાવવાળો જ રહે છે. તે જો મૂર્ખ છે તો સદા મૂર્ખ જ અને જો વિદ્વાન છે તો સદા વિદ્વાન જ રહે છે, તે મૂર્ખમાંથી વિદ્વાન હરગિજ બની શકતો નથી. 140. તથા સાંરામ મતવિસ્તૃત્વમધ્યયુમ્ તથાત્તિ માત્મા, स्वकर्मफलभोक्तृत्वात्, यः स्वकर्मफलभोक्ता स कर्तापि दृष्टः यथा कृषीबलः । तथा सांख्यकल्पितः पुरुषो वस्तु न भवति अकर्तृत्वात्, खपुष्पवत् । 140. સાંખ્યો આત્માને કર્તા માનતા નથી. તેમના મતમાં કામ કરવું એ તો પ્રકૃતિનું કામ છે, પુરુષ તો કેવળ આરામ કરવા માટે અર્થાત્ ભોગને માટે જ છે અને તે પણ બિચારી પ્રકૃતિ પર દયા ખાઈને ઉપચારથી જ ભોક્તા બને છે.]. તેમની આ માન્યતા અયોગ્ય છે, તર્કશૂન્ય છે. આત્મા ખરેખર કર્મોનો કર્તા છે કેમ કે તે તે કર્મોનાં ફળને ભોગવે છે. જે પોતાનાં કર્મોનું ફળ ભોગવે છે તે તે કર્મોનો કર્તા પણ હોય છે, જેમ કે પોતે ખેતી કરી પકવેલા પાકને ભોગવનારો ખેડૂત. જો સાંખ્યો પુરુષને કર્તા નથી માનતા તો તેમનો પુરુષ સત્ વસ્તુ જ નહિ બને. સાંખ્ય દ્વારા મનાયેલો પુરુષ વસ્તુસતુ નથી કેમ કે તે અકર્તા છે, કંઈ જ કરતો નથી, જેમ કે આકાશકુસુમ. 141. ત્રિીત્મા મોmયિતે a મુનિત્રિ રોતિ, વા ! यदि करोति तदापराभिः क्रियाभिः किमपराद्धम् ? अथ भुजिक्रियामपि न Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy