SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૩૩પ જેવું જ સુધાનિવારક અને સુખસાધન હોવું જોઈએ, પરિણામે તે સ્તનપાન કરવા લાગી જાય છે. મૃત પૂર્વાનુભવ વર્તમાન જન્મમાં તો તેને થયો નથી, એટલે માનવું પડે છે કે તે તેને પૂર્વજન્મમાં જ થયો હોવો જોઈએ. આમ પૂર્વજન્મ સિદ્ધ થાય છે.] નવજાત શિશુના મુખ ઉપર હાસ્ય દેખીને સમજી શકાય કે તને હર્ષ થયો છે. તેના શરીરે કંપ દેખી સમજી શકાય કે તેને ભય થયો છે. અને તેનું રુદન સાંભળીને સમજી શકાય છે કે તેને શોક થયો છે. હર્ષ, ભય અને શોક વિના હાસ્ય, કંપ અને રુદન ઉત્પન્ન થાય નહિ. કારણ વિના કાર્ય ઉત્પન્ન થાય નહિ. એટલે કાર્ય દ્વારા કારણનું અનુમાન થાય છે. હાસ્ય વગેરે કાર્ય છે અને હર્ષ વગેરે તેમનાં કારણો છે. તેથી નવજાત શિશુના સૌપ્રથમ હાસ્ય ઉપરથી હર્ષનું, કંપ ઉપરથી ભયનું અને રુદન ઉપરથી શોકનું અનુમાન થાય છે. ઈષ્ટ વિષયની પ્રાપ્તિ થતાં જે સુખ જન્મે છે તેને હર્ષ કહેવામાં આવે છે અને ઈષ્ટ વિષયની અપ્રાપ્તિના કારણે કે વિયોગના કારણે જે દુઃખ જન્મે છે તેને શોક કહેવામાં આવે છે. વિષયને આપણે ઈષ્ટ ત્યારે જ ગણીએ છીએ જ્યારે આપણને સ્મરણ થાય કે તજ્જાતીય વિષયે પહેલાં આપણને સુખાનુભવ કરાવેલો. આમ વર્તમાન વિષય ઈષ્ટ છે એવું ભાન તો જ શક્ય બને જો તજજાતીય વિષયનો પૂર્વાનુભવ થયો હોય, તે અનુભવના સંસ્કારો પડ્યા હોય, તે સંસ્કારો વર્તમાન વિષય ઉપસ્થિત થતાં જાગૃત થયા હોય અને પરિણામે સ્મરણ થયું હોય કે વર્તમાન વિષયની જાતિના વિષયે મને પહેલાં સુખાનુભવ કરાવેલો. નવજાત શિશુ અમુકને ઈષ્ટ કેવી રીતે ગણી શકે? આ જન્મમાં તજ્જાતીય વિષયનો પહેલાં તેને કદીય અનુભવ થયો ન હોઈ, તે અનુભવના તેવા સંસ્કારો પડ્યા નથી, તેથી તેવા પ્રકારની સ્મૃતિ જન્મી શકે નહિ. એટલે અવશ્ય સ્વીકારવું જોઈએ કે નવજાત શિશુના તે આત્માએ તજ્જાતીય વિષયનો પૂર્વજન્મમાં સુખદ અનુભવ કર્યો હતો, તેથી તે આત્મામાં આ જન્મમાં તેના સંસ્કાર છે, તે સંસ્કાર પૂર્વાનુભૂત જાતિનો વિષય ઉપસ્થિત થતાં જાગૃત થઈ સ્મૃતિ ઉત્પન્ન કરે છે કે વર્તમાન જાતિના વિષયે પહેલાં મને સુખકર અનુભવ કરાવ્યો હતો, પરિણામે પૂર્વાનુભૂત વિષયની જાતિના ઉપસ્થિત થયેલા વિષયને જોઈ તે સુખકર છે એમ જાણે છે, તેને પ્રાપ્ત કરી હર્ષ પામે છે, અને પ્રાપ્ત ન થાય તો દુઃખયા શોક પામે છે. આ ઉપરથી પુરવાર થાય છે કે નવજાત શિશુનો આત્મા વર્તમાન જન્મ પહેલાં પણ વિદ્યમાન હતો, તેને પૂર્વજન્મ હતો. પૂર્વાગતમૃત્યુનુન્ધાત્ નાતી સમય સંપ્રતિપઃ ન્યાયસૂત્ર, ૩.૧.૧૯] 139. તથા ટનિત્યતાણાનો ર , તો યથાવિધઃ પૂર્વदशायामात्मा तथाविध एव चेज्ज्ञानोत्पत्तिसमयेऽपि भवेत्, तदा प्रागिव Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy