SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૫ જૈનમત (૧) આ હાલતું-ચાલતું જીવતું શરીર કોઈ પ્રયત્ન કરનાર અર્થાત પ્રેરણા કરનાર દ્વારા સંચાલિત થાય છે કેમ કે તે ઈચ્છા અનુસાર કરાતી ક્રિયાનો આશ્રયછે અર્થાત્ તેની ક્રિયાઓ ઇચ્છા અનુસાર થાય છે. જેમ રથના ચાલકની ઈચ્છા અનુસાર રથ ચાલતો હોવાથી રથનો કોઈ ને કોઈ ચાલક અવશ્ય હોય છે તેમ આ શરીર પણ વ્યવસ્થિતપણે ઈચ્છાનુકૂળ પ્રવૃત્તિ કરતું હોવાથી અર્થાત્ ખાનાર ખાવા ઇચ્છે ત્યારે ખાતું હોવાથી, જવા ઇચ્છે ત્યારે જતું હોવાથી શરીરને પોતાની ઈચ્છા મુજબ ચલાવનારો, ક્રિયાઓમાં પ્રેરનારો કોઈ ચાલક અવશ્ય છે, આ ચાલક જ આત્મા છે. (૨) જ્ઞાનમાં કારણભૂત શ્રોત્ર આદિ સાધનોને પ્રયોજનારો કોઈ કર્તા હોવો જોઈએ કેમ કે શ્રોત્ર આદિ ઇન્દ્રિયો સાધનો (કરણો) છે, જેમ કે વાંસલો. “સુથાર વાંસલા વડે લાકડું કાપે છે” આ વાક્યમાં કાપવારૂપ ક્રિયા થાય છે. તે ક્રિયા વાંસલારૂપ સાધનથી થાય છે. પરંતુ જ્યારે સુથાર વાંસલાને પ્રયોજે છે ત્યારે જ વાંસલો લાકડાને કાપવાની ક્રિયામાં પ્રવૃત્ત થાય છે. તેવી જ રીતે “હું આંખ વડે જોઉં છું, કાન વડે સાંભળું છું' આ વાક્યમાં જોવા અને સાંભળવારૂપ ક્રિયાઓ થાય છે. તે ક્રિયાઓ આંખ અને કાનરૂપ સાધનો (કરણો) દ્વારા થાય છે. પરંતુ જ્યારે જોનારો અને સાંભળનારો આંખ અને કાનને પ્રેરે છે અર્થાત્ પ્રયોજે છે ત્યારે જ આંખ અને કાન જોવા અને સાંભળવાની ક્રિયામાં પ્રવૃત્ત થાય છે. આમ ઈન્દ્રિયોરૂપી સાધનોને પદાર્થોને જોવાસાંભળવામાં પ્રેરનાર આત્મા છે. (૩) આ શરીરને બનાવનારો કોઈ છે કેમ કે શરીરનો અમુક જ નિશ્ચિત આકાર છે અને તેને આદિ છે અર્થાત તે અનાદિ નથી, જેમ કે અમુક નિશ્ચિત આકાર ધરાવતો અમુક સમયે ઉત્પન્ન થયેલો ઘટ, જેનો કોઈ બનાવનાર નથી હોતો તે અમુક નિશ્ચિત આકારે ઉત્પન્ન થતું નથી, જેમ કે અનિયત આકારમાં ઉત્પન્ન થતાં વાદળો. જો કે મેરુપર્વત આદિનો અમુક નિશ્ચિત આકાર હોવા છતાં તેઓ અનાદિ છે એટલે તેમનો બનાવનારો કોઈ નથી. તેથી મેરુપર્વત આદિ સાથે વ્યભિચારના વારણ માટે “આદિમાનું” વિશેષણ હેતુને લગાવવામાં આવેલ છે. આદિમાનું અને નિયત આકારવાળા શરીરને બનાવનારો જે છે તે જ આત્મા છે. (૪) ઇન્દ્રિયોનો કોઈ અધિષ્ઠાતા અર્થાત્ પ્રયોક્તા સ્વામી છે કેમ કે ઈન્દ્રિયો કરણરૂપ અર્થાત્ સાધનરૂપ છે.જેમ દંડ, ચાકડો આદિ ઘડો બનાવવાનાં સાધનોનો અધિષ્ઠાતા અર્થાત્ પ્રયોક્તા કુંભાર છે તેમ જે આ ઇન્દ્રિયરૂપ સાધનોનો પ્રયોક્તા છે તે જ આત્મા છે. (૫) આ શરીરનો કોઈ ભોક્તા છે કેમ તે ભોગ્ય છે. જેમ તૈયાર કરવામાં આવેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy