SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૩૨૩ गुणी युक्तः, यथा रूपादीनां घटः । प्रयोगो यथा-ज्ञानादयो देहगुणा एव, तत्रैवोपलभ्यमानत्वात्, गौरकृशस्थूलत्वादिवत् । अत्रोच्यते- प्रत्यनुमानबाधितोऽयं पक्षाभासः । तच्चेदम्-देहस्य गुणा ज्ञानादयो न भवन्ति, तस्य मूर्तत्वाच्चाक्षुषत्वाद्वा, घटवत् । अतः सिद्धो गुणप्रत्यक्षत्वाद्गुणी जीवोऽपि પ્રત્યક્ષઃ | 124. ચાર્વાક-તમારો એ નિયમ તો બરાબર છે કે ગુણોનું પ્રત્યક્ષ થતાં ગુણોથી અભિન્ન ગુણવાળાનું પણ પ્રત્યક્ષ થઈ જાય છે પરંતુ તેનાથી આત્મા સિદ્ધ થઈ શકતો નથી કેમ કે અમે તો જ્ઞાન આદિને શરીરના ગુણ માનીએ છીએ, તે ગુણો શરીરમાં જ ઉપલબ્ધ થાય છે એટલે દેહ જ તે ગુણોનો આધારભૂત ગુણી છે, જેમ રૂપ આદિ ગુણોનો આધારભૂત ઘટ જ રૂપાદિનો ગુણી છે તેમ અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે – જ્ઞાન આદિ દેહના જ ગુણો છે કેમ કે તેઓ દેહમાં જ ઉપલબ્ધ થાય છે, જેમ કે ગોરાપણું, કાળાપણું, દુબળાપણું, જાડાપણું વગેરે. જેન-તમારું અનુમાન પ્રબળ પ્રતિપક્ષી અનુમાન દ્વારા બાધિત હોવાથી પોતાના સાધ્યની સિદ્ધિ કરી શકતું નથી, તમારો પક્ષ અનુમાનબાધિત હોવાથી પક્ષાભાસ છે. પ્રસ્તુત પ્રતિપક્ષી અનુમાન આ છે – જ્ઞાન આદિ દેહના ગુણ નથી કેમ કે દેહ ઘટની જેમ મૂર્તિ છે તથા ચક્ષુગ્રાહ્ય છે. જો જ્ઞાન આદિદેહના ગુણ હોત તો દેહના ગોરા રંગની જેમ તેઓ પણ ચક્ષુ વડે દેખાત યા તો અન્ય ઈન્દ્રિયો વડે ગૃહીત થાત. તેથી “ગુણોનું પ્રત્યક્ષ થતાં ગુણીનું પણ પ્રત્યક્ષ થઈ જાય છે' એ નિર્દોષ નિયમ અનુસાર આત્મા પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થઈ જ જાય છે. 125. તતશાëપ્રત્યાહાં પ્રત્યક્ષમતા નિકુવાનારી શ્રાવક शब्द इत्यादिवत् प्रत्यक्षविरुद्धो नाम पक्षाभासः । तथा वक्ष्यमाणात्मास्तित्वानुमानसद्भावात् नित्यः शब्द इत्यादिवदनुमानविरुद्धोऽपि । आबालगोपालाङ्गनादिप्रसिद्धं चात्मानं निराकुर्वतः 'नास्ति सूर्यः प्रकाशવ' યાવિવવિરોધઃ “દં ના વેતિ મહતઃ “માતા ને વા' इत्यादिवत् स्ववचनविरोधश्च । तथा प्रतिपादितयुक्त्यात्मनः स्वसंवेदनप्रत्यक्षत्वादत्यन्ताप्रत्यक्षत्वादिति हेतुरप्यसिद्ध इति स्थितम् । 125. તેવી જ રીતે હું સુખી છું' ઇત્યાદિ અહંપ્રત્યયરૂપ પ્રત્યક્ષ દ્વારા ગ્રાહ્ય એવા પ્રત્યક્ષપ્રમાણથી સિદ્ધ આત્માનો નિષેધ કરવા માટે “આત્મા નથી' એને પક્ષ કરવો એ તો સ્પષ્ટપણે પ્રત્યક્ષવિરુદ્ધ નામનો પક્ષાભાસ છે. જેમ શ્રોત્રગ્રાહ્ય શબ્દને કોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy