SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ તર્કરહસ્યદીપિકા તેથી તમારા મતમાં ભૂતોનું શરીરરૂપમાં પરિણમન જ સંભવતું નથી. જ્યારે શરીરનો જ અસંભવ છે ત્યારે શરીરમાં ભૂતોનું પ્રાણાપાનયુક્ત હોવું તો દૂરની વાત છે, અર્થાત્ સુતરાં અસંભવ છે. તેથી ચૈતન્ય કોઈ પણ રીતે ભૂતોનું કાર્ય નથી, ભૂતોથી ઉત્પન્ન થતું નથી, ચૈતન્ય તો આત્માનો (જીવનો) જ ગુણ છે એમ સ્વીકારવું જોઈએ. ૩૨૨ 123. વિષ, મુળવ્રત્યક્ષવાવાભાવિ મુળી પ્રત્યક્ષ ડ્વ । પ્રયોગો યથા— प्रत्यक्ष आत्मा, स्मृतिजिज्ञासाचिकीर्षाजिगमिषासंशयादिज्ञानविशेषाणां तद्गुणानां स्वसंवेदनप्रत्यक्षत्वात् । इह यस्य गुणाः प्रत्यक्षाः स प्रत्यक्षो दृष्टः, यथा घट इति । प्रत्यक्षगुणश्च जीवः, तस्मात्प्रत्यक्षः । अत्राह परः अनैकान्तिकोऽयं हेतुः, यत आकाशगुणः शब्दः प्रत्यक्षः, न पुनराकाशम्; तदयुक्तम्; यतो नाकाशगुणः शब्दः किंतु पुद्गलगुणः, ऐन्द्रियकत्वात्, रूपादिवत् । एतच्च पुद्गलविचारे समर्थयिष्यते । 123. ઉપરાંત, જ્ઞાન આદિ ગુણોનું પ્રત્યક્ષ થાય છે એટલે તે ગુણોવાળા આત્માનું પણ પ્રત્યક્ષ માનવું ઉચિત જ છે. અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે – આત્મા પ્રત્યક્ષગ્રાહ્ય છે કેમ કે સ્મૃતિ, જાણવાની ઇચ્છા, કામ કરવાની ઇચ્છા, ચાલવાની ઇચ્છા, સંશયાદિ જ્ઞાન વગેરે આત્માના ગુણો સ્વસંવેદનપ્રત્યક્ષથી ગૃહીત થાય છે, અહીં જેના ગુણો પ્રત્યક્ષગ્રાહ્ય હોય છે તે ગુણોવાળો પણ પ્રત્યક્ષગ્રાહ્ય અવશ્ય હોય છે જ એ જોયું છે, જેમ કે ઘટ. જીવના (આત્માના) જ્ઞાન આદિ ગુણો સ્વસંવેદનપ્રત્યક્ષગ્રાહ્ય છે એટલે જીવ પણ પ્રત્યક્ષગ્રાહ્ય છે એમ માનવું જોઈએ. - શંકા— ‘જેના ગુણો પ્રત્યક્ષ થાય તે ગુણી પ્રત્યક્ષ થાય' આ તમે આપેલો હેતુ અનૈકાન્તિક છે કેમ કે આકાશનો ગુણ શબ્દ પ્રત્યક્ષગ્રાહ્ય છે પરંતુ આકાશ પ્રત્યક્ષગ્રાહ્ય નથી. [આ વૈશિર્ષકોનો મત છે, તેમના મતે શબ્દ આકાશનો ગુણ છે.] જૈનોનો ઉત્તર– આ શંકા યોગ્ય નથી કેમ કે શબ્દ આકાશનો ગુણ છે જ નહિ. તે તો પુદ્ગલનો ગુણ છે (પુદ્ગલનો એક વિશેષ પરિણામ છે) કેમ કે બાહ્ય ઇન્દ્રિય (શ્રોત્રેન્દ્રિય) વડે તે ગૃહીત થાય છે, જેમ કે રૂપ આદિ. [જે બાહ્ય ઇન્દ્રિય દ્વારા ગૃહીત થાય છે તે પુદ્ગલના જ ગુણ છે, જેમ કે ઘડાના રૂપ આદિ ગુણ. રૂપ આદિ ગુણોથી રહિત અમૂર્ત આકાશનો ગુણ તો આપણે લોકો પ્રત્યક્ષ કરી શકતા જ નથી.] પુદ્ગલતત્ત્વના વિવેચનમાં શબ્દનું પૌદ્ગલિકપણું વિસ્તારથી સિદ્ધ કરવામાં આવશે. 124. अत्राह ननु भवतु गुणानां प्रत्यक्षत्वात्तदभिन्नत्वाद्गुणिनोऽपि प्रत्यक्षत्वम् । किंतु देह एव ज्ञानादयो गुणा उपलभ्यन्ते । अतः स एव तेषां Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy