SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૩૧૭ જાતિ, “પ્રત્યક્ષદ્વવં પ્રમાઇ નાચત" [ ] રૂતિ વાન ! अभ्युपगमेऽपि न ततो विवक्षितार्थप्रतीतिसिद्धिः । 114. તથા અનુમાન વડે પણ ચૈતન્ય ભૂતોનું કાર્ય છે એ વસ્તુ તમે ચાર્વાક સિદ્ધ કરી શકતા નથી કેમ કે તમે અનુમાનને તો પ્રમાણ તરીકે સ્વીકારતા જ નથી. “પ્રત્યક્ષ જ એક માત્ર પ્રમાણ છે, તેનાથી ભિન્ન બીજું કોઈ પ્રમાણ નથી” [ ] એ તમારું પોતાનું જ વચન છે. તમે અનુમાનને પ્રમાણ તરીકે સ્વીકારો તો પણ તેના વડે ચૈતન્યને ભૂતકાર્ય સિદ્ધ કરી શકાતું નથી, કેિમ કે વ્યક્તિનું ગ્રહણ, તેનું સ્મરણ, પહેલાં ગ્રહણ કરેલા હેતુ સાથે વર્તમાન હેતુની સમાનતા જાણવી વગેરે એવી વાતો છે જે આત્માના વશની જ છે. અનુમાતા અન્વયી આત્માને માન્યા વિના અનુમાનની ઉત્પત્તિ જ ઘટતી નથી.] તેથી અનુમાન વડે ચૈતન્ય ભૂતોનું કાર્ય છે એ તમારો વિવક્ષિત અર્થ સિદ્ધ થતો નથી. 115. ननु कायाकारपरिणतेभ्यो भूतेभ्यश्चैतन्यं समुत्पद्यते, तद्भाव एव चैतन्यभावात्, मद्याङ्गेभ्यो ‘मदशक्तिवत्' इत्याद्यनुमानाद्भवत्येव चैतन्यस्य भूतकार्यत्वसिद्धिरिति चेत् न, तद्भाव एव तद्भावादिति हेतोरनैकान्तिकत्वात्, मृतावस्थायां तद्भावेऽपि चैतन्यस्याभावात् । 1i5. ચાર્વાક– ચૈતન્યને ભૂતોનું કાર્ય સિદ્ધ કરતું નીચે આપેલું અનુમાન છે– “શરીરરૂપે પરિણમેલા પૃથ્વી આદિ ભૂતોથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે, કેમ કે શરીર હોતાં જ ચૈતન્ય ઉપલબ્ધ થાય છે અને શરીરના અભાવમાં ચૈતન્ય ઉપલબ્ધ થતું નથી, જેમ મહુડાં આદિને સડાવવાથી તેમનામાં માદક શક્તિ ઉત્પન્ન થઈ જાય છે તેમ આ ભૂતોનું વિશિષ્ટ સંયોજનરૂપ શરીર બનતાં તે શરીરમાં ચૈતન્ય ઉત્પન્ન થઈ જાય છે. આ અનુમાન વડે ચૈતન્ય ભૂતોનું કાર્ય છે એ વાત સારી રીતે સિદ્ધ થાય છે. પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ આ ચાર ભૂતોનું અમુક માત્રામાં સંયોજન થતાં જ તે સંયોજનમાં ચૈતન્ય ઉત્પન્ન થાય છે અને તે સંયોજનમાં ખરાબી પેદા થતાં કે સંયોજનનું વિઘટન થતાં જ ચૈતન્ય નાશ પામે છે.] જૈન તમારું કહેવું ખોટું છે, તેનો અમે પ્રતિષેધ કરીએ છીએ. “કારણ કે શરીર હોતાં ચૈતન્ય હોય છે અને શરીર ન હોતાં ચૈતન્ય નથી હોતું' આ જે હેતુ તમે ચૈતન્યને શરીરનું કાર્ય સિદ્ધ કરવા આપ્યો છે તે અનૈકાન્તિક અર્થાત્ વ્યભિચારી છે કેમ કે મૃત અવસ્થામાં શરીરના હોવા છતાં ચૈતન્ય હોતું નથી. 116. स्यादेतत्, पृथिव्यप्तेजोवायुलक्षणभूतचतुष्टयसमुदायजन्यं हि Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy