SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ તર્કરહસ્યદીપિકા - દેનારાં કર્મોનો અર્થાત્ પાપકર્મોનો બન્ધ થાય છે, આ જ અપ્રશસ્ત બન્ધ છે. (૮) આત્માને લાગેલાં (અર્થાત્ સંચિત) કર્મોને અર્થાત્ કર્મપુદ્ગલોને ખેરવી નાખનારું કારણ નિર્જરા છે. નિર્જરા બાર પ્રકારના તપરૂપ છે. [તપના મૂળ બે ભેદ છે – બાહ્ય તપ અને આત્યંતર તપ. બાહ્ય તપના છ ભેદ છે – અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ (વિવિધ વાનગીઓનો લોભ ઓછો કરવો), રસત્યાગ, વિવિક્તશય્યાસનસંલીનતા અને કાયક્લેશ. આપ્યંતર તપના પણ છ ભેદ છે – પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ત્વ (સેવાચાકરી), સ્વાધ્યાય, વ્યુત્સર્ગ (અ ંત્વ-મમત્વત્યાગ) અને ધ્યાન. આમ તપના કુલ બાર ભેદો છે.] શુક્લધ્યાન ઉત્કૃષ્ટ તપ હોઈ તે ઉત્કૃષ્ટ નિર્જરા છે. [અર્થાત્ શુક્લધ્યાન અનન્તગુણી નિર્જરાનું કારણ છે]. એટલે તત્ત્વાર્થસૂત્રમાં [સૂત્ર ૯.૩] કહ્યું છે કે “તપથી સંવરની સાથે નિર્જરા પણ થાય છે.’’ ધ્યાન આપ્યંતર તપ છે. (૯) બધાં કર્મબન્ધનો તૂટી જતાં આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને પામે છે, પોતાના શુદ્ધ સ્વરૂપમાં અવસ્થાન કરે છે, લીન થાય છે, આ જ મોક્ષ છે. મુક્ત આત્મા આ લોકના સૌથી ઉપરના અર્થાત્ અગ્રભાગે પહોંચી સ્થિર થાય છે. “બન્ધનું વિપ્ર અર્થાત્ વિશેષપણે તથા પ્રકૃષ્ટપણે નાશ પામવું એ મોક્ષ છે” એવું પ્રાચીન આચાર્યોનું કથન છે. આમ જૈનમતનાં આ નવ તત્ત્વોને જાણવાં જોઈએ. (૪૭) 96. अथ शास्त्रकार एव तत्त्वानि क्रमेण व्याख्याति, तत्र यथोद्देशं निर्देश इति न्यायात् प्रथमं जीवतत्त्वमाह तत्र ज्ञानादिधर्मेभ्यो भिन्नाभिन्नो विवृत्तिमान् । शुभाशुभकर्मकर्त्ता भोक्ता कर्मफलस्य च ॥४८॥ चैतन्यलक्षणो जीवो यश्चैतद्विपरीतवान् । अजीवः स समाख्यातः पुण्यं सत्कर्मपुलाः ॥४९॥ युग्मम् 96. હવે શાસ્ત્રકાર હરિભદ્રસૂરિ પોતે જ તત્ત્વોને ક્રમશઃ સમજાવે છે. ‘જે ક્રમે નામનિર્દેશ કર્યો હોય તે જ ક્રમમાં સમજૂતી યા વ્યાખ્યાન કરવું જોઈએ’ એ નિયમને અનુસરી આચાર્ય સૌપ્રથમ જીવતત્ત્વનું નિરૂપણ કરે છે જીવનું લક્ષણ અર્થાત્ સ્વરૂપ ચૈતન્ય છે. તે પોતાના જ્ઞાન આદિ ગુણોથી ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. તે પરિવર્તનશીલ છે. તે શુભ અને અશુભ કર્મોનો કર્તા છે. તે કર્મફળનો ભોક્તા પણ છે. જે આનાથી વિપરીત લક્ષણ યા સ્વરૂપ ધરાવે છે અર્થાત્ જે ચૈતન્યરહિત છે તે અજીવ કહેવાય છે. શુભ કર્મપુદ્ગલો પુણ્ય કહેવાય છે. (૪૮૪૯) યુગ્મ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy