SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ તર્કરહસ્યદીપિકા हेतुनासौ न भुङ्क्त इति । न च घातिचतुष्टयस्य क्षुद्वेदनीयं प्रति सहकारिकारणभावोऽस्ति, येन तदभावात्तदभाव इत्युच्यते । इति सिद्धा केवलिभुक्तिः । तथा प्रयोगशात्र-केवलिनः प्रक्षेपाहारो भवति कवलाहारकेवलित्वयोरविरोधात् सातवेदनीयवदिति । इति केवलिभुक्तिव्यवस्थापनस्थलमिति ॥ 89. કેવલી ભગવાનનું શરીર એવું વિલક્ષણ હોય છે કે તેને કદી ભૂખની પીડારૂપ બાધા નથી હોતી” આવો તર્ક ન કરી શકાય કેમ કે એવાં અનુમાનો મોજૂદ છે જેમના વડે ભગવાનના શરીરને પણ ભૂખની પીડાની બાધા થાય છે એ પુરવાર કરી શકાય છે. તે અનુમાન નીચે મુજબ છે. કેવલીનું શરીર પણ ભૂખ આદિથી પીડિત થાય છે કેમ કે તે પણ હાડમાંસનું જ બનેલું શરીર છે, જેમ કે આપણું શરીર.” તેવી જ રીતે આપની આ વાત પણ સાંભળવા લાયક નથી કે “જેમ ભગવાનના શરીરને પરસેવો થતો નથી, તેમાંથી દુર્ગધ નથી નીકળતી, તેમની આંખોની પાંપણો મટમટતી નથી તેમ તેમનું શરીર આહાર લીધા વિના જ ટકી રહે છે એમ માનવું જોઈએ કેમ કે તે નિરાધાર અને પ્રમાણશૂન્ય છે. વળી, આ જ પ્રમાણે જ્યારે કેવલી ભગવાન કિંચિત ન્યૂન પૂર્વકોટિ જેટલા વર્ષો સુધી જીવતા રહે છે ત્યારે જ આટલા લાંબા સમય સુધી તેમના શરીરને ટકવા માટે આયુકર્મની આવશ્યકતા છે તો આયુકર્મનું સમર્થ સહકારી કારણ આહારગ્રહણ પણ તેટલું જ આવશ્યક છે. ઔદારિક અર્થાત્ સ્થૂળ શરીરને ટકવા માટે આયુકર્મ અને આહારગ્રહણ બન્નેય કારણો છે, બન્નેય આવશ્યક છે. જ્યારે તૈજસ શરીર (યા જઠરાગ્નિ) પોતાની અવિકલ ક્ષમતાથી પહેલાં ખાધેલ અન્નને પચાવી દે છે અને પચેલું અન્ન પરિણામક્રમ અનુસાર રક્ત આદિરૂપમાં પરિણત થઈ જાય છે ત્યારે પૂલ (ઔદારિક) શરીરને ધારણ કરનારાઓમાં ફરી ભૂખ (સુધા) પેદા થાય છે અર્થાત્ તેમને ભૂખ લાગે છે. કેવલીને જ્યારે વેદનીયકર્મનો ઉદય થાય છે ત્યારે ભૂખ પેદા થવા માટેનાં આ બધાં જ કારણો (સકલ કારણસામગ્રી) ઉપસ્થિતિ હોય છે, તો પછી તે શા કારણે ભોજન ન કરે? જ્ઞાનાવરણ આદિ ચાર ઘાતી કર્મો સુધાના કારણભૂત વેદનીયકર્મના સહકારી કારણો નથી. જો તે ઘાતી કર્મો ક્ષુધાના કારણભૂત વેદનીયકર્મના સહકારી કારણો હોત તો કહી શકાત કે જ્ઞાનાવરણીય આદિ ઘાતકર્મોરૂપ સહકારીઓ ન હોવાથી વેદનીયકર્મ ભૂખને પેદા કરતું નથી. તેથી કેવલી ભોજન લે છે એ વાત સિદ્ધ થાય છે. તેથી આપણે નિશ્ચિતપણે અનુમાનપ્રયોગના રૂપમાં કહી શકીએ છીએ કે – “કેવલી કોળિયા લઈને ભોજન કરે છે કેમ કે કેવલજ્ઞાન અને કવલાહાર વચ્ચે કોઈ વિરોધ નથી, જેમ સતાવેદનીય અને કેવલજ્ઞાન વચ્ચે વિરોધ નથી તેમ.” આમ કેવલિભક્તિનું પ્રકરણ અહીં પુરું થયું (૪૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy