SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ તર્કરહસ્યદીપિકા कार्यस्योत्पत्तिः अतिप्रसक्तेः । न च तत्कारणाभावोऽसिद्धः, आहारादाननिदानभूते वेदनादिषट्के एकस्यापि तस्य केवलिन्यभावात् । तथाहि-न तावत्तस्य वेदनोत्पद्यते, तद्वेदनीयस्य दग्धरज्जुस्थानिकत्वात् । सत्यामपि वेदनायां न तस्य तत्कृता पीडा, अनन्तवीर्यत्वात् । वैयावृत्त्यकरणं तु भगवति त्रैलोक्यपूज्ये न संभवत्येवेति । ईर्यापथं पुनः केवलज्ञानावरणक्षयात् सम्यगवलोकयत्यसौ । संयमस्तु तस्य यथाख्यातचारित्रिणो निष्ठितार्थत्वादनन्तवीर्यत्वाच्च नाहारकारणीभवति । प्राणवृत्तिरपि तस्यानपवायुष्ट्वादनन्तवीर्यत्वाच्चान्यथासिद्धैव । धर्मचिन्तावसरस्त्वपगतः, निष्ठितार्थत्वात् । तदेवं केवलिनः कावलिकाहारो बहुदोषदुष्टत्वान्न घटत इति। 81. દિગંબર જૈન–તમે (શ્વેતાંબર જૈને) બાધક પ્રમાણોનો સુનિશ્ચિત અસંભવ દર્શાવી તે દ્વારા સર્વજ્ઞની સિદ્ધિ કરી એ સારું કર્યું. પરંતુ સર્વજ્ઞ કેવલી પણ આપણી જ જેમ કવલાહાર કરે છે અર્થાત એક એક કોળિયો લઈ ભોજન કરે છે એ તમારી વાત અમારા ગળે ઊતરતી નથી. અમે સિદ્ધ કરીએ છીએ કે કેવલી કોળિયા લઈ આહાર કરતા નથી કેમ કે કોળિયા લઈ આહાર કરવા માટેનાં જેટલાં કારણો છે તે બધાંનો કેવલીમાં અભાવ છે. વિના કારણ કાર્યની ઉત્પત્તિ માનતાં અતિપ્રસંગદોષ આવે અર્થાત અવ્યવસ્થાની આપત્તિ આવે. આહાર ગ્રહણ કરવા મનુષ્ય વેદના આદિ છ કારણોથી પ્રવૃત્ત થાય છે. [શાસ્ત્રમાં કવલાહારનાં છ કારણો દર્શાવ્યાં છે: (૧) વેદનાભૂખની પીડા. (૨) વૈયાવન્યકરણ – બીજાઓની સેવાચાકરી. “જો હું ભોજન કરતો રહીશ તો મારું શરીર સ્વસ્થ રહેશે અને હું બીજાઓની વૈયાવૃત્ય કરી શકીશ” એમ વિચારી બીજાઓની વૈયાવૃત્ય કરવા માટે મનુષ્ય ભોજન લે છે. (૩) ઈર્યાપથપાલન – સાવધાનીપૂર્વક જવું આવવું. “આ ભોજન કરતો રહીશ તો આંખોનું તેજ ઘટશે નહિ અને પરિણામે સારી રીતે ભૂમિને જોઈ તપાસીને આવ-જા કરી શકીશ, સાવધાનીપૂર્વક પ્રવૃત્તિ કરીને ઈર્યાપથનું પાલન કરી શકીશ' એમ વિચારી ઈર્યાપથપાલન માટે મનુષ્ય ભોજન લે છે. (૪) સંયમપાલન – “જે ભોજન કરીને શરીરને સ્વસ્થ – કાર્યક્ષમ રાખીશ તો સંયમ તથા ચારિત્રનું પાલન સારી રીતે કરી શકીશ” એમ વિચારી સંયમપાલન માટે મનુષ્ય ભોજન લે છે. (૫) પ્રાણવૃત્તિ(જીવનનિર્વાહ)– “જો આહાર લેતો રહીશ તો શેષ જીવનનો નિર્વાહ સુખશાન્તિથી થશે, અન્યથા અકાળે મરવાનો વારો આવશે' એમ વિચારી સુખશાન્તિથી પ્રાણ ટકાવી રાખવા માટે મનુષ્ય આહાર લે છે. (૬) ધર્મચિન્તન – “જો થોડુઘણું ભોજન લેતો રહીશ તો દિમાગ યા બુદ્ધિ બરાબર રહેશે અને તેથી ધર્મતત્ત્વનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy