SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૨૭૩ -- 60. તથા ‘સમુદ્રના પાણીનું બરાબર તોલ-માન કોઈકને તો પ્રત્યક્ષથી જ્ઞાત છે કેમ કે તે પ્રમેય છે, જેમ કે ઘટ આદિમાં રહેનારાં તેમનાં રંગ, રૂપ આદિ વિશેષો' આ અનુમાનથી પણ સર્વજ્ઞની સિદ્ધિ થાય છે. [સમુદ્રમાં કેટલું જલ છે એનું તોલ-માન– આટલા ટન કે આટલા લિટર ઇત્યાદિ – પ્રમેય અર્થાત્ પ્રમાણનો વિષય અવશ્ય છે. છેવટે તેના પાણીનું એક એક ગ્રામ સુધીનું બારીક માપ અવશ્ય છે. તેથી ‘જે ચીજ સત્ હોય છે તે કોઈ ને કોઈના પ્રમાણનો વિષય પણ હોય છે જ' એ નિયમ અનુસાર સમુદ્રના પાણીના તોલ-માપમાં પ્રમેયત્વ છે જ.] એટલે પ્રમેયત્વ હેતુ અહીં અસિદ્ધ નથી. જો તમે મીમાંસકો પ્રમેયત્વ હેતુને અસિદ્ધ માનશો તો તમે સ્વીકારેલું અભાવપ્રમાણ વ્યભિચારી બની જવાની આપત્તિ આવશે. તે કેવી રીતે ? એ સમજાવીએ છીએ. માની લો કે સમુદ્રના જલનું તોલમાપ આપણે પ્રત્યક્ષ, અનુમાન આદિ પાંચ પ્રમાણોથી જાણી શકતા નથી એ તો ઠીક પણ ઓછામાં ઓછું તેના અભાવને તો અભાવપ્રમાણ દ્વારા જાણી શકીએ છીએ એટલે સમુદ્રના જલનું તોલમાપ અભાવપ્રમાણનો વિષય હોવાથી પ્રમેય સિદ્ધ થાય છે. એ તો તમે મીમાંસકો પોતે જ માનો છો કે ‘જે વસ્તુ સદ્ભાવગ્રાહી પ્રત્યક્ષ આદિ પાંચ પ્રમાણોનો વિષય નથી હોતી તે અભાવપ્રમાણનો વિષય હોય છે.' તેથી જો સમુદ્રના જલનું તોલમાપ છેવટે અભાવપ્રમાણનો વિષય બન્યું, તો પણ તે પ્રમેય તો બન્યું જ. જો સમુદ્રના જલનું બરાબર તોલમાપ જાણવામાં પ્રત્યક્ષ આદિ પાંચ પ્રમાણોની અપ્રવૃત્તિ હોવા છતાં પણ જો અભાવપ્રમાણની પ્રવૃત્તિ ન થાય તો અભાવપ્રમાણ વ્યભિચારી બની જાય, અભાવપ્રમાણનો એ નિયમ તૂટી જાય કે ‘જ્યાં પ્રત્યક્ષ આદિ પાંચ પ્રમાણ પ્રવૃત્ત નહિ થાય ત્યાં હું પ્રવૃત્તિ કરીશ.’ પણ અહીં તો સમુદ્રના જલનું યથાવત્ તોલમાપ પ્રત્યક્ષપ્રમાણનો વિષય બનતું હોઈ, અભાવપ્રમાણનો વિષય સંભવતું નથી. અને જેને તેનું સાક્ષાત્કારાત્મક પ્રત્યક્ષ છે તે જ સર્વજ્ઞ ભગવાન છે. 61. તથાપ્તિ શ્ચિતીન્દ્રિયાર્થસાર્થસાક્ષા∞ારી, અનુપવેશાભિજ્ઞાવિसंवादिविशिष्टदिग्देशकालप्रमाणाद्यात्मकचन्द्रादिग्रहणाद्युपदेशदायित्वात् । यो यद्विषये ऽनुपदेशालिङ्गाविसंवाद्युपदेशदायी तत्साक्षात्कारी यथास्मदादिः, अनुपदेशालिङ्गाविसंवाद्युपदेशदायी च कश्चित् तस्मात्तत्साक्षात्कारी, तथाविधं च श्रीसर्वज्ञ एवेति । 61. તથા ‘કોઈ આત્મા અતીન્દ્રિય પદાર્થોનો સાક્ષાત્કાર કરનારો છે કેમ કે તે શાસ્ત્ર તથા અનુમાપક લિંગ યા હેતુની સહાયતા વિના જ ભાવી ચન્દ્રગ્રહણ આદિનો યથાર્થ ઉપદેશ દે છે. આ દિવસે આટલા કલાકે અને આટલી મિનિટે આ પ્રદેશમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy