SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૨૬૭ "प्रमाणपञ्चकं यत्र वस्तुरूपे न जायते । वस्त्वसत्त्वावबोधार्थं तत्राभावप्रमाणता ॥१॥" [૦ ૦ કમાવ છો. ૧] તિતા प्रयोगोऽत्र-नास्ति सर्वज्ञः, प्रमाणपञ्चत्वाग्रा( गृह्यमाणत्वात्, खरविપાછાવત્ ા 52. મીમાંસક- જૈમિનિપ્રણીત મીમાંસામતના અનુયાયી મીમાંસક કહે છે કે – [“આપ જૈનો દેવને સુષ્ટિના કર્તા નથી માનતા એ તો બહુ સુન્દર છે.] પરંતુ આપે માનેલો સર્વજ્ઞ આદિ વિશેષણોથી વિશિષ્ટ એવો દેવ પણ નથી. [આપ જૈનો દેવને સર્વજ્ઞ માનો છો તે અમને તર્કયુક્ત લાગતું નથી. ધર્મ આદિ અતીન્દ્રિય પદાર્થોમાં તો વેદ જ પ્રમાણ છે. ધર્મને કોઈ પ્રત્યક્ષથી જાણી શકતું નથી જેથી તે સર્વજ્ઞ બની શકે. ધર્મના વિષયમાં અનાદિ પરંપરાથી આપણને પ્રાપ્ત અપૌરુષેય - જેને કોઈ પુરુષે રચ્યો નથી – સ્વયંસિદ્ધ વેદ જ સ્વતઃ પ્રમાણ છે.] આપના સર્વજ્ઞને ગ્રહણ કરનારું કોઈ પ્રમાણ નથી. પ્રત્યક્ષ સર્વજ્ઞને ગ્રહણ કરતું નથી. ઇન્દ્રિયસત્રિકષ્ટ વર્તમાન વસ્તુને જ ગ્રહણ કરનારું પ્રત્યક્ષ અતીન્દ્રિય સર્વજ્ઞને જાણવા સમર્થ નથી. “જે પદાર્થ ઈન્દ્રિયો સાથે સંબંધમાં આવે છે અને સાથે સાથે જે વર્તમાન હોય છે તે પદાર્થને જ ગ્રહણ કરવામાં ચક્ષુ વગેરે ઇન્દ્રિયો પ્રવૃત્ત થાય છે” એવું શાસ્ત્રવચન [મીમાંસા શ્લોકવાતિક, પ્રત્યક્ષસૂત્ર, શ્લોક ૮૪] છે. અનુમાનથી પણ સર્વજ્ઞની સિદ્ધિ થતી નથી કેમ કે પ્રત્યક્ષ વડે સિદ્ધ પદાર્થમાં જ અનુમાનની પ્રવૃત્તિ થાય છે. [અનુમાનના મૂળમાં સાધ્ય અને સાધનનું દર્શન (પ્રત્યક્ષ) રહેલું હોય છે. સર્વજ્ઞનું તો ક્યારેય પ્રત્યક્ષ થતું જ નથી, તેથી સર્વજ્ઞને જાણવાનું સામર્થ્ય અનુમાનમાં પણ નથી.] જયારે સર્વજ્ઞ પોતે જ અસિદ્ધ છે ત્યારે તેના દ્વારા રચાયેલાં આગમો પ્રમાણભૂત હોઈ શકે જ નહિ, તેથી આગમ પણ સર્વજ્ઞને સિદ્ધ કરી શકતું નથી. સર્વજ્ઞ સમાન કોઈ બીજું પ્રાણી જગતમાં હોય તો તેને જોઈ સર્વજ્ઞનું જ્ઞાન ઉપમાન પ્રમાણ દ્વારા કરી શકાય પરંતુ સર્વજ્ઞ સમાન બીજું કોઈ છે નહિ. સર્વજ્ઞ વિના જેનું અસ્તિત્વ ઘટતું ન હોય (અન્યથાનુપપત્ર) એવી અવિનાભાવી વસ્તુ દેખાતી હોય તો તેના દર્શન દ્વારા અર્થપત્તિપ્રમાણ સર્વજ્ઞને ગ્રહણ કરી શકત, પરંતુ એવી અવિનાભાવી વસ્તુ દેખાતી જ નથી. આમ વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ કરનારાં પ્રત્યક્ષ આદિ પાંચ પ્રમાણો તો સર્વજ્ઞના અસ્તિત્વને સિદ્ધ કરી શકતા નથી, એટલે સર્વજ્ઞ અભાવ પ્રમાણનો જ વિષય છે, અર્થાત્ અભાવપ્રમાણથી તો સર્વજ્ઞનો અભાવ જ સિદ્ધ થાય, અભાવપ્રમાણ તો સર્વજ્ઞના અસ્તિત્વનો ઉચ્છેદ જ કરે છે. કહ્યું પણ છે કે – “જ્યારે જે વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ કરવા માટે પાંચ પ્રમાણો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy