SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૨૩ યોગને પાંચમા વેદ મહાભારત અને પુરાણોના ભાગો ગણવામાં આવેલ છે (તિહાસપુરડાબૂત). બૌદ્ધ, જૈન અને લોકાયતનો મીમાંસા, સાંખ્ય અને તક (ન્યાય-વૈશેષિક) આ વૈદિકત્રયી સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો છે. સર્વમતસંગ્રહ અવૈદિક-નાસ્તિક બૌદ્ધ, જૈન અને લોકાયતથી શરૂ થાય છે. પછી વૈદિક દર્શનો વૈશેષિકથી વેદાન્તનું નિરૂપણ છે અને અન્ને પૌરાણિકમતનું નિરૂપણ છે. સર્વમતસંગ્રહમાં બ્રહ્મદત્ત, ભાસ્કર, રામાનુજ, આનન્દતીર્થ (મધ્ય) વગેરેના પ્રન્યોને (ભાષ્યોને) ભાષ્યાભાસ કહ્યા છે (પૃ. ૧૦ થી). આ કૃતિ પ્રકાશિત છે. તે ટી. ગણપતિ શાસ્ત્રી દ્વારા સંપાદિત થઈ ત્રિવેન્દ્રમથી ૧૯૧૮માં પ્રકાશિત થઈ છે. (૧૧) ષડ્રદર્શનીસિદ્ધાન્તસંગ્રહ– આ કૃતિ અજ્ઞાતકર્તક છે અને તાંજોરથી ૧૯૮૫માં પ્રકાશિત થઈ છે. આ ગ્રન્થ ન્યાય અને વૈશેષિકથી શરૂ થાય છે અને પછી મીમાંસા (પ્રભાકર અને કુમારિલ), સાંખ્ય, યોગ અને અદ્વૈત વેદાન્તનું નિરૂપણ કરે છે. વધુમાં, છેલ્લા પ્રકરણમાં વ્યાકરણનું નિરૂપણ કરે છે. (૧૨) સર્વદર્શનકૌમુદી – આ કૃતિના કર્તા દામોદર મહાપાત્ર શાસ્ત્રિનું છે.તે ભવનેશ્વરથી ૧૯૭૫માં પ્રકાશિત થઈ છે. આ વીસમી સદીનો આધુનિક દર્શનસંગ્રાહક ગ્રન્થ છે. તેમાં પાશ્ચાત્ય દર્શનનો પણ સમાવેશ છે. ઉપર જણાવેલી કૃતિઓને જોતાં એક વસ્તુ ધ્યાન ખેંચે છે અને તે એ કે દર્શનસંગ્રાહક ગ્રન્થોની રચના બે ધર્મપરંપરાઓના આચાર્યોએ કરી છે. તે ધર્મપરંપરાઓ છે – જૈન અને અદ્વૈત વેદાન્ત. હરિભદ્રસૂરિ, જિનદત્તસૂરિ, રાજશેખર, મેરૂતુંગ અને સર્વસિદ્ધાન્તપ્રવેશકના કર્તા જૈન છે, જયારે માધવવિદ્યારણ્ય, માધવસરસ્વતી, શંકર, મધુસૂદન સરસ્વતી તેમજ પદર્શનીસિદ્ધાન્તસંગ્રહ તથા સર્વમતસંગ્રહના કર્તાઓ અદ્વૈત વેદાન્તીઓ છે. કોઈ એમ ન માને કે બીજી પરંપરાઓ પરમતોના જ્ઞાનની પ્રાપ્તિ પ્રત્યે ઉપેક્ષા સેવતી હતી. પરમતો વિશેની સમૃદ્ધ સામગ્રી બૌદ્ધ ભવ્ય યા ભાવવિવેકની (છઠ્ઠી શતાબ્દી) મધ્યમકહૃદયકારિકા (સ્વોપજ્ઞ ટીકા તર્કવાલા)માં, બૌદ્ધ શાન્તરક્ષિતના (આઠમી શતાબ્દી) તત્ત્વસંગ્રહ(કમલશીલની ટીકા સાથે)માં અને નૈયાયિક જયંત ભટ્ટની નવમી શતાબ્દી) ન્યાયમંજરીમાં મળે છે. આચાર્યગુણરત્નસૂરિ ગુણરત્ન નામ ધરાવતા અનેક આચાર્યો થયા છે પરંતુ પ્રસ્તુત પદર્શનસમુચ્ચયની તર્કરહસ્યદીપિકા ટીકાના રચનાર ગુણરત્ન તે છે જે પોતાને આચાર્યદેવસુન્દરસૂરિના શિષ્ય તરીકે ઓળખાવે છે. ટીકાના પ્રત્યેક અધિકારના અન્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy