SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૫ જૈનમત चारी स्यात्, व्यभिचारविषयस्य सर्वत्रापि पक्षीकर्तु शक्यत्वात् । 32. વળી, આપનો નૈયાયિકોનો કાર્યત્વ હેતુ વિના ખેડશે અને વાળે ઊગી નીકળેલા જંગલી ઘાસ આદિ વિપક્ષમાં રહેતો હોઈ વ્યભિચારી છે. [ખેડ્યા વિના અને વાવ્યા વિના ઊગી નીકળેલા જંગલી ઘાસ, વૃક્ષ આદિ અવયવોવાળા હોઈ કાર્યો તો અવશ્ય છે પરંતુ તેમનો કોઈ બુદ્ધિમાન કર્તા નથી, તેથી કાર્યવહેતુ સાધ્યહીન વિપક્ષમાં રહેતો હોઈ વ્યભિચારી છે.]. જગતમાં બે પ્રકારનાં કાર્યો છે– કેટલાંકને તો બુદ્ધિમાન કર્તાએ ઉત્પન્ન કર્યા છે જેમ કે ઘટ વગેરે જ્યારે કેટલાંક એવાં પણ છે જેમને કોઈ બુદ્ધિમાન કર્તાએ ઉત્પન્ન નથી કર્યા જેમ કે ખેડ્યા-વાવ્યા વિના આપોઆપ ઊગી નીકળતાં જંગલી ઘાસ, છોડ, વૃક્ષ આદિ. આ જંગલી ઘાસ આદિને પણ પક્ષમાં સામેલ કરી દેવાં અર્થાત્ તેમને પણ ઈશ્વરરચિત જ ગણવાં ઉચિત નથી કેમ કે જે વસ્તુ સાથે હેતુનો વ્યભિચાર દર્શાવવામાં આવે તે વસ્તુને પક્ષમાં સામેલ કરી હેતુને અવ્યભિચારી બનાવી દેવામાં આવે તો કોઈ પણ હેતુ વ્યભિચારી રહે જ નહિ. [જયાં પણ કોઈએ કોઈ પણ હેતનો વ્યભિચાર દેખાડ્યો કે તરત જ જેની સાથે હેતુનો વ્યભિચાર દેખાડ્યો હોય તેને પક્ષમાં સામેલ કરીને વ્યભિચારનું વારણ કરવું એ તો છોકરાંના ખેલ જેવું જ થઈ જશે.] “ગર્ભગત મૈત્રીનું બાળક શ્યામ છે કેમ કે તે મૈત્રીનું બાળક છે, મૈત્રીના ચાર મોજૂદ બાળકોની જેમ' એવાં અનુમાનો પણ ગમક બની જશે કેમ કે સર્વત્ર વ્યભિચારના વિષયને પક્ષમાં સામેલ કરીને હેતુને સાચો યા અવ્યભિચારી બતાવી શકાય. [તેથી જે પદાર્થ સાથે હેતુનો વ્યભિચાર દર્શાવવામાં આવે તેને પક્ષમાં સામેલ કરી દેવાની પરિપાટી કોઈપણ રીતે ઉચિત નથી.] 33. ફેંચવુદ્ધચલિખિઝ વાર:, તેષાં ક્ષાત્રે સત્ય સમવાયकारणादीश्वराद्विभिन्नबुद्धिमत्पूर्वकत्वाभावात् । तदभ्युपगमे चानवस्था। [33. ઈશ્વરની બુદ્ધિ આદિ ગુણો સાથે પણ કાર્યત્વ હેતુ વ્યભિચારી છે. આ બુદ્ધિ આદિ ગુણો આત્માના (ઈશ્વરના) વિશેષ ગુણો છે અને અનિત્ય છે અર્થાત્ કાર્ય છે પરંતુ તેમની ઉત્પત્તિમાં સ્વયં ઈશ્વરરૂપ સમવાયિકારણને અર્થાત્ ઉપાદાનકારણને છોડીને બીજો કોઈ બુદ્ધિમાન ઈશ્વર નિમિત્તકારણ નથી. જો આ ઈશ્વરની બુદ્ધિ આદિની ઉત્પત્તિમાં બીજા ઈશ્વરને નિમિત્તકારણ માનવામાં આવે તો આ બીજા ઈશ્વરની બુદ્ધિની ઉત્પત્તિ માટે ત્રીજા ઈશ્વરને નિમિત્તકારણ માનવો પડે અને આ પ્રમાણે અનવસ્થાદોષ આવે. (તે જ ઈશ્વર તો પોતાની બુદ્ધિની ઉત્પત્તિમાં સમવાયિકારણ હોય છે, નિમિત્તકારણ હોતો નથી. પરંતુ પ્રસ્તુતમાં તો બુદ્ધિમાન નિમિત્તકારણરૂપ કર્તુત્વ જ વિચલિત છે.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy