SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ તર્કરહસ્યદીપિકા પાંચ પદાર્થો સમવાયસંબંધ ધરાવે છે. તેથી અભાવમાં ન તો સત્તા રહે છે કે ન તો અભાવ સમવાયસંબંધ ધરાવે છે. એટલે કર્મનાશ જે અભાવરૂપ છે તથા કાર્ય પણ છે તેને કાર્યનું પ્રસ્તુત લક્ષણલાગુ પડતું નથી. આમ આવું કાર્યનું સંકુચિત લક્ષણ જે પૂરા પક્ષમાં રહેતું નથી તે કાર્યનું સાધક બની શકે નહિ. 22. મતિ ત્યવિષયત્વપિ ન વાર્યત્વે, રનનોરના િવૃત્તિमाकाशमित्यकार्येऽप्याकाशे वर्तमानत्वेनानैकान्तिकत्वात् ३ । 22. જેને જોતાં જ જેના વિશે તમ્ (બનાવાયું યા ઉત્પન્ન કરાયું છે) એવી બુદ્ધિ થાય તે કાર્ય આ લક્ષણ પણ ઘટતું નથી. આ લક્ષણ પણ વિપક્ષરૂપ અકાર્ય આકાશમાં રહેતું હોઈ અનૈકાન્તિક યા વ્યભિચારી છે. જ્યારે જમીન ખોદીને માટી અને કાદવ બહાર કાઢવામાં આવે છે ત્યારે ખાડાની સાથે સાથે આકાશ પણ નીકળતું જાય છે. તે ખાડામાં નીકળી આવેલા આકાશ વિશે ‘વૃત–ઉત્પન્ન કરાયું છે એવી બુદ્ધિ તો થાય છે પરંતુ તે કાર્યનથી, તે તો આપનૈયાયિકોના મતે નિત્ય જ છે. આમ કાર્યનું આ લક્ષણ અકાર્યમાં ચાલ્યું જતું હોઈ અનૈકાન્તિક છે. 23. विकारित्वस्यापि कार्यत्वे महेश्वरस्यापि कार्यत्वानुषङ्गः, सतो वस्तुनोऽन्यथाभावो हि विकारित्वम् । तच्चेश्वरस्याप्यस्तीत्यस्यापरबुद्धिमद्धेतुकत्वप्रसङ्गादनवस्था स्यात्, अविकारित्वे चास्य कार्यकारित्वमतिदुर्घटमिति ४ । कार्यस्वरूपस्य विचार्यमाणस्यानुपपद्यमानत्वादसिद्धः कार्यत्वादित्ययं हेतुः। 23. “જેમાં વિકાર થાય તે વિકારી પદાર્થ કાર્ય છે એવું કાર્યનું લક્ષણ પણ તર્કસંગત નથી. કાર્યનું આવું લક્ષણ માનતાં તો મહેશ્વર ખુદ કાર્ય બની જાય. નિયાયિક મતે તેમનો ઈશ્વર સૃષ્ટિ, રક્ષણ અને સંહાર આ ત્રણે કાર્યો કરે છે, તે કર્તા, ધર્તા અને સંહર્તા છે. તે ઘટ, પટ, તારા, ચંદ્ર, સૂરજ, નદી, પર્વત બધાં વિચિત્ર કાર્યોને ઉત્પન્ન કરે છે. હવે વિચારો કે જયાં સુધી ઈશ્વર સૃષ્ટિ અને રક્ષામાં લાગેલો રહે છે ત્યાં સુધી તે પ્રલય કરતો નથી. જ્યારે તે પ્રલય કરવા માટે મહાકાલરૂપ ધારણ કરે છે ત્યારે તેના સ્વભાવમાં કંઈ પરિવર્તન થાય છે કે નહિ ? ભવાં ચડાવીને પોતાના રચનાત્મક સ્વભાવને બદલીને સંહારક સ્વભાવ ધારણ કર્યા વિના પ્રલય કેવી રીતે થઈ શકે? ખડક બનાવતી વખતે તેનો જે સ્વભાવ હોય તે જ સ્વભાવ તેનો ચન્દ્ર બનાવતી વખતે રહેતો હોય, તેમાં કંઈ જ પરિવર્તન ન થતું હોય તો ચન્દ્ર ખડક જેવો જ બને, તેનામાં શીતળતા, આહલાદકતા, ચાંદનીની ચમક ન આવે. કાળમીંઢ પથ્થર બનાવતી વખતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy