SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૨૩૫ મઠાકાશ આદિ રૂપે સાવયવબુદ્ધિ અર્થાત્ “આ અવયવોવાળું છે એવી બુદ્ધિ તો થાય છે પરંતુ આકાશ કાર્ય નથી. આકાશને નિરવયવ અર્થાત્ અવયવોથી રહિત નિરંશ માનવું તો કોઈ પણ રીતે ઉચિત નથી, કેમ કે જો આકાશને અવયવો ન હોય તો તે પરમાણુની જેમ એક જ પ્રદેશ- (અર્થાત અણુ જેટલી જગ્યા રોકે તેટલી જગ્યા)માં રહે, સમસ્ત વિશ્વને વ્યાપીને ન રહે, જેને અનન્ત અવયવો હોય તે જ પોતાના ભિન્ન ભિન્ન અવયવોથી વિશ્વમાં વ્યાપ્ત થઈ શકે. નિરવયવ પદાર્થને તો પરમાણુની જેમ એક ક્ષુદ્રતમ અર્થાત્ સૌથી નાની જગામાં રહેવું પડે, તે સમસ્ત વિશ્વમાં વ્યાપકરૂપે ન રહી શકે. 20. नापि प्रागसतः स्वकारणसत्तासमवायः कार्यत्वं, तस्य नित्यत्वेन तल्लक्षणायोगात् । तल्लक्षणत्वे वा कार्यस्यापि क्षित्यादेस्तद्वन्नित्यत्वानुषङ्गात्, कस्य बुद्धिमद्धेतुकत्वं साध्यते । 20. પહેલાં જે પદાર્થ અસતું હોય પણ પછી સત્તા સાથે સમવાયસંબંધ થવાથી અને પોતાનાં કારણો સાથે સમવાયસંબંધ ધરાવવાથી જે “સ” બને છે તે કાર્ય છે આવું કાર્યનું લક્ષણ યોગ્ય નથી કારણ કે સમવાય નિત્ય હોવાથી તેનું કાર્યના લક્ષણમાં હોવું યોગ્ય નથી. નિયાયિક અનુસાર સમવાયસંબંધ એક અને નિત્ય છે. તેમના મતે સત્તા સામાન્ય એક, નિત્ય અને વ્યાપક છે. એટલે એવા કોઈ પદાર્થનું હોવું સંભવે જ નહિ કે જેનો સત્તા સાથે સંબંધ ન હોય અને પછી થાય. અર્થાત્ તેનો સદા સત્તા સાથે સંબંધ હોતાં નિત્ય જ બની જાય. નિત્ય સમવાય કે નિત્ય સત્તા] અનિત્ય કાર્યનું લક્ષણ બની જ ન શકે.] જો નિત્ય સમવાયને અનિત્યકાર્યના લક્ષણમાં સ્થાન આપવામાં આવે તો સમવાયની જેમ પૃથ્વી વગેરે પણ નિત્ય જ બની જશે. આમ જગતમાં કોઈ કાર્ય જ ન રહેતાં બુદ્ધિમાન ઈશ્વર કોનો કર્તા બનશે? 21. વિદ્ય, યોનિનામશેષવર્ધક્ષ પક્ષાક્ત પતિચપ્રવૃત્તત્વેન બારિद्धोऽयं हेतुः, तत्प्रक्षयस्य प्रध्वंसाभावरूपत्वेन सत्तास्वकारणसमवाययोरभावात् २। 14. વળી, યોગીઓ પોતાના ધ્યાનબળથી સર્વ કર્મોનો નાશ કરે છે. આમ કર્મનાશ યોગીઓના ધ્યાનનું ફળ હોવાથી કાર્ય તો અવશ્ય છે પરંતુ ન તો તેમાં સત્તા રહે છે કે ન તો તે સમવાયસંબંધ ધરાવે છે. તેથી કાર્યનું પ્રસ્તુત લક્ષણ ભાગાસિદ્ધ છે અર્થાત પક્ષના કેટલાક ભાગમાં ન રહેનારું છે. કર્મોનો નાશ પ્રધ્વસાભાવરૂપ હોવાથી અભાવ નામનો નૈયાયિકસમ્મત પદાર્થ છે. નૈયાયિક અનુસાર સત્તા દ્રવ્ય, ગુણ અને કર્મ આ ત્રણ પદાર્થોમાં જ રહે છે તેમ જ દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય અને વિશેષ આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy