SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨૮ તર્કરહસ્યદીપિકા તેથી માનવું જોઈએ કે તે વખતે જ્ઞાન, ઇચ્છા અને પ્રયત્ન એ ત્રણેનો યા એ ત્રણમાંથી કોઈ એકનો અભાવ હોવાથી ઘડાની ઉત્પત્તિ થઈ નથી, શરીર તો મોજૂદ હતું જ, તેથી જ્ઞાન, ઇચ્છા અને પ્રયત્ન એ ત્રણેયથી કુંભારમાં યા બીજા કોઈ બુદ્ધિમાનમાં ત્વ આવે છે – તેમના અભાવમાં કર્તુત્વ આવતું નથી. શરીરથી કર્તુત્વ આવતું નથી. સૌપ્રથમ કાર્યને ઉત્પન્ન કરવા માટે આવશ્યક કારણસામગ્રીનું પરિજ્ઞાન થાય છે, પછી કાર્ય કરવાની ઈચ્છા થાય છે, તે પછી પ્રયત્ન કરવામાં આવતાં કાર્યની ઉત્પત્તિ થાય છે. તેથી જ્ઞાન, ઇચ્છા અને પ્રયત્ન એ ત્રણેય મળીને જ કાર્યોત્પત્તિમાં કારણ છે, તેમનો કાર્યોત્પત્તિમાં કયારેય વ્યભિચાર નથી હોતો અર્થાત્ તેઓ ઉપસ્થિત હોય અને કાર્ય ઉત્પન્ન ન થાય એવું બનતું જ નથી. 12. સર્વજ્ઞતા વાહિતાર્થવવાદ્ધિા પ્રયોગોત્રઃ सर्वज्ञोऽखिलक्षित्यादिकार्यकर्तृत्वात् । यो हि यस्य कर्ता स तदुपादानाद्यभिज्ञः, यथा घटोत्पादकः कुलालो मृत्पिण्डाद्यभिज्ञः, जगतः कर्ता चायम्, तस्मात्सर्वज्ञ इति । उपादानं हि जगतः पार्थिवाप्यतैजसवायवीयलक्षणाश्चतुर्विधाः परमाणवः, निमित्तकारणमदृष्टादि, भोक्तात्मा, भोग्यं तन्वादि । न चैतदनभिज्ञस्य क्षित्यादौ कर्तृत्वं संभवत्यस्मदादिवत् । 12. [આ રીતે સામાન્યરૂપે પૃથ્વી આદિનો બુદ્ધિમાન કર્તા સિદ્ધ થયા પછી આ વિચિત્ર રહસ્યમય સમસ્ત જગતના સર્જક બુદ્ધિમાનને સર્વજ્ઞ જમાનવો જોઈએ.]તેની સર્વજ્ઞતા પૃથ્વી આદિ અિનન્સ કાર્યોનો તે કર્તા હોવાથી સિદ્ધ થાય છે. જો ઈશ્વર સર્વજ્ઞ ન હોય તો સમસ્ત જગતને અર્થાત્ અનન્ત કાર્યોને તે ઉત્પન્ન ન કરી શકે.]. તેની સર્વજ્ઞતાને સિદ્ધ કરતો અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે- ઈશ્વર સર્વજ્ઞ છે કેમ કે તે પૃથ્વી આદિ સમસ્ત કાર્યોને ઉત્પન્ન કરે છે. જે જે વસ્તુનો કર્તા હોય છે તેને તે વસ્તુના સમસ્ત ઉપાદાન તથા સહકારી કારણોનું યથાવતુ પરિજ્ઞાન હોય છે. ઉદાહરણાર્થ, ઘડાને બનાવનારો કુંભાર ઘડાના ઉપાદાનકારણ મૃત્પિડ આદિને સારી રીતે જાણે છે કેમ કે ઈશ્વર આ સમસ્ત ચરાચર જગતને ઉત્પન્ન કરે છે એટલે તેને જગતના ઉપાદાનભૂત પરમાણુઓનું તથા સહકારી કારણ અદષ્ટ, કાલ આદિનું પરિજ્ઞાન હોવું જ જોઈએ અને આ કારણે જ તે સર્વજ્ઞ છે. પૃથ્વી,જલ, અગ્નિ અને વાયુના પરમાણુઓ આ જગતના ઉપદાનાકારણો છે, અદષ્ટ (કર્મ) આદિ નિમિત્તકારણો છે, જીવો ભોક્તા છે, અને શરીર આદિ ભોગ્ય છે. આપણી જેમ આ બધાંને ન જાણનારામાં પૃથ્વી આદિ અખિલ કાર્યોનું કર્તૃત્વ સંભવતું નથી. અર્થાત્ ઈશ્વર આ ઉપાદાનાદિ કારણસામગ્રીને ન જાણતો હોય તો તે આપણા જેવા અલ્પજ્ઞાનીઓની જેમ પૃથ્વી આદિ કાર્યોને ઉત્પન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy