SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ તર્કરહસ્યદીપિકા કહ્યું પણ છે કે – ‘સ્ત્રીસંગમથી રાગનું અને શત્રુઓની હત્યા કરનારા શસ્ત્રોથી દ્વેષનું અનુમાન થાય છે, કુચારિત્ર તથા કુશાસ્ત્રોમાં પ્રીતિરૂપ દોષ વડે મોહનું અનુમાન થાય છે, પરંતુ જિનેન્દ્રમાં આ ત્રણે લિંગો યા ચિહ્નોમાંથી એક પણ નથી, એટલે જિનેન્દ્ર જ રાગ-દ્વેષ-મોહથી રહિત અર્હન્ દેવ છે.” 6. तथा केवले - अन्यज्ञानानपेक्षत्वेनासहाये संपूर्णे वा ज्ञानदर्शने यस्य स तथा केवलज्ञानकेवलदर्शनात्मको हि भगवान्, करतलकलितामलकफलवद्द्रव्यपर्यायात्मकं निखिलमनवरतं जगत्स्वरूपं जानाति पश्यति चेति । केवलज्ञानदर्शन इति पदं साभिप्रायम्, छद्मस्थस्य हि प्रथमं दर्शनमुत्पद्यते ततो ज्ञानं केवलिनस्त्वादौ ज्ञानं ततो दर्शनमिति । तत्र सामान्यविशेषात्मके सर्वस्मिन्प्रमेये वस्तुनि सामान्यस्योपसर्जनीभावेन विशेषाणां च प्रधानभावेन यद्ग्राहकं तज्ज्ञानम्, विशेषाणामुपसर्जनीभावेन सामान्यस्य च प्राधान्येन यद्ग्राहकं तद्दर्शनम्, एतेन विशेषणेन ज्ञानातिशयः साक्षादुक्तोऽवगन्तव्यः । 6. તથા જિનેન્દ્ર ભગવાન કેવલજ્ઞાનાત્મક અને કેવલદર્શનાત્મક છે, અર્થાત્ તેમનામાં કેવલજ્ઞાન અને કેવલદર્શન પ્રગટ થયાં છે. તેમનાં જ્ઞાન અને દર્શન કેવલ હોય છે અર્થાત્ અન્ય જ્ઞાનની અપેક્ષા રાખતાં ન હોઈ અસહાય અને તેથી જ સંપૂર્ણ હોય છે. ભગવાન જિનેન્દ્ર હસ્તામલકવત્ સમસ્ત જગતનું દ્રવ્યપર્યાયાત્મક સ્વરૂપ અનવરત જાણે છે અને દેખે છે. ‘કેવલજ્ઞાનદર્શન' પદનો પ્રયોગ સાભિપ્રાય કરવામાં આવ્યો છે. પદમાં પહેલાં કેવલજ્ઞાન અને પછી (કેવલ) દર્શનનું ગ્રહણ કરવામાં આવ્યું છે, કારણ કે છદ્મસ્થ અર્થાત્ અલ્પજ્ઞાનીઓની બાબતમાં પહેલાં દર્શન થાય છે અને પછી જ્ઞાન થાય છે પરંતુ કેવલજ્ઞાનીની બાબતમાં પહેલાં જ્ઞાન થાય છે અને પછી દર્શન થાય છે. બધાં જ પ્રમેયો અર્થાત્ બધી જ વસ્તુઓ સામાન્યવિશેષાત્મક છે અર્થાત્ સામાન્ય તેમજ વિશેષ ધર્મોવાળી છે. સામાન્ય ધર્મોને ગૌણરૂપે અને વિશેષ ધર્મોને પ્રધાનરૂપે જે ગ્રહણ કરે છે તે જ્ઞાન છે. એથી ઊલટું વિશેષધર્મોને ગૌણરૂપે અને સામાન્ય ધર્મોને પ્રધાનરૂપે જે ગ્રહણ કરે છે તે દર્શન છે. ‘કૈવલજ્ઞાનદર્શન (કેવલજ્ઞાનીકેવલદર્શી)’ વિશેષણ દ્વારા જિનેન્દ્ર ભગવાનના જ્ઞાનાતિશયને સાક્ષાત્ જણાવાયો છે એમ સમજવું જોઈએ. 7. तथा सुराः सर्वे देवाः, असुराश्च दैत्याः सुरशब्देनासुराणां संग्रहणेऽपि पृथगुपादानं लोकरूढ्या ज्ञातव्यम् । लोको हि देवेभ्यो दानवांस्तद्विपक्षत्वेन पृथग्निर्दिशतीति । तेषामिन्द्राः स्वामिनस्तेषां तैर्वा संपूज्योऽभ्यर्चनीयः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy