SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ તર્કરહસ્યદીપિકા જયારે ગુણોની સમબલતા વિક્ષિપ્ત થઈ જાય છે ત્યારે ગુણોમાં ગૌણમુખ્યભાવ જન્મે છે અને પરિણામે ગુણોમાં વિસશિપરિણામ યા તત્ત્વાન્તરપરિણામ જન્મે છે જે તત્ત્વાન્તરોનો આવિર્ભાવ (ઉત્પત્તિ) કરે છે. આમ તત્ત્વાન્તરો પણ ગુણોના અર્થાત પ્રકૃતિના જ પરિણામો છે. પરંતુ તે તત્ત્વો તેમનાં પોતાનાં મહત્, અહંકાર આદિ નામોથી ઓળખાય છે.] 11. પ્રત્યાત્મિસંયોગણિજ્ઞતે મતિઃ સૃષ્ટિમવાદા ततः संजायते बुद्धिर्महानिति यकोच्यते । अहंकारस्ततोऽपि स्यात्तस्मात्षोडशको गणः ॥३७॥ 11. પ્રકૃતિ અને આત્માના સંયોગથી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. તેથી આચાર્ય સૃષ્ટિક્રમનું નિરૂપણ કરે છે. પ્રકૃતિમાંથી મહાનું એટલે કે બુદ્ધિ ઉત્પન્ન થાય છે. બુદ્ધિને જ મહાનું કહે છે. બુદ્ધિમાંથી અહંકાર ઉત્પન્ન થાય છે. અને અહંકારમાંથી સોળ તત્ત્વોનો ગણ (સમૂહ) ઉત્પન્ન થાય છે.(૩૭) 12. ચાર-તતઃ પ્રવૃદ્ધિ સંગાયત સદાતે સ વ મવાલ પુરો दृश्यमाने गौरेवायं नाश्वः, स्थाणुरेवायं न पुरुष इति विषयनिश्चयाध्यवसायरूपा महानिति यका प्रोच्यते महदाख्यया याभिधीयते । बुद्धेश्च तस्या अष्टौ रूपाणि । धर्मज्ञानवैराग्यैश्चर्यरूपाणि चत्वारि सात्त्विकानि, अधर्मादीनि तु तत्प्रतिपक्षभूतानि चत्वारि तामसानीति । ततोऽपि-बुद्धेरप्यहंकार: स्यात् उत्पद्यते । स च-'अहं सुभगः, अहं दर्शनीयः' इत्याद्यभिमानरूपः । तस्मात्अहङ्कारात्षोडशको गण उत्पद्यते । षोडशसंख्यामानमस्य षोडशको गण:સમુલાયઃ રૂા. 12. શ્લોકવ્યાખ્યા- તેમાંથી અર્થાત્ પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. સામે દેખાતી ગાયમાં “આ ગાય જ છે, અશ્વ નથી', ઝાડના પૂંઠામાં “આ ઝાડનું ઠૂંઠું જ છે, પુરુષ નથી” એવો વિષયનો નિશ્ચય કરનારી વ્યવસાયાત્મિકા બુદ્ધિને જ મહા કહેવામાં આવે છે, તેને મહત્ નામથી ઉદેશવામાં આવે છે. તે બુદ્ધિનાં આઠ રૂપો છે. તે આઠમાંથી ચાર રૂપો સાત્ત્વિક છે અને ચાર રૂપો તામસ છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય એ ચાર સાત્ત્વિક રૂપો છે જયારે અધર્મ, અજ્ઞાન, વિષયેચ્છા અને અનૈશ્વર્ય એ ચાર તામસ રૂપો છે. વળી તેમાંથી અર્થાત બુદ્ધિમાંથી અહંકાર ઉત્પન્ન થાય છે. “હું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy