SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ તર્કરહસ્યદીપિકા 134. (૧૯) પર્યનુયોજયોપેક્ષણ – નિગ્રહસ્થાનપ્રાપ્તિનો નિગ્રહ ન કરવો એ પર્યનુયોજ્યોપેક્ષણ નિગ્રહસ્થાન છે. અર્થાત્ વાદી નિગ્રહસ્થાનમાં આવી પડ્યો હોય તો પ્રતિવાદીએ તેને સ્પષ્ટ જણાવી દેવું જોઈએ કે તમે અમુક નિગ્રહસ્થાન પામ્યા છો. જો કોઈ (વાદી કે પ્રતિવાદી) તેની ઉપેક્ષા કરે અર્થાત્ સામેવાળાને, જે નિગ્રહસ્થાન પ્રાપ્ત છે તેને, નિગૃહીત ઘોષિત ન કરે તો આ ઉપેક્ષા કરનારો પોતે જ પર્યનુયોજયોપેક્ષણ નિગ્રહસ્થાનથી નિગ્રહ(પરાજય) પામે છે. 135. अनिग्रहस्थाने निग्रहस्थानानुयोगो निरनुयोज्यानुयोगो नाम निग्रहस्थानं भवति, उपपन्नवादिनमप्रमादिनमनिग्रहार्हमपि निगृहीतोऽसीति यो ब्रूयात्, स एवमसद्भूतदोषोद्भावनया निगृह्यते २० । 135. (૨૦) નિરyયોયાનુયોગ – જે નિગ્રહસ્થાનપ્રાપ્ત નથી તેના ઉપર નિગ્રહસ્થાનપ્રાપ્તિનો દોષારોપ કરવો તે નિરનુયોજ્યાનુયોગ નિગ્રહસ્થાન છે. જે યુક્તિસંગત બોલે છે, અપ્રમાદી છે અર્થાત્ સ્વપક્ષસાધન અને પરપક્ષદૂષણમાં બરાબર જાગ્રત છે અને નિગ્રહને યોગ્ય નથી તેને “તમે નિહિત (પરાજિત) થઈ ગયા” એમ જે કહે છે તે પોતે જ અવિદ્યમાન દોષનું ઉદ્ભાવન કરવાના કારણે નિગૃહીત થઈ જાય છે. 136. સિદ્ધાન્તપુત્ય નિયમથિાનકોડપસિદ્ધિાન્તો ના निग्रहस्थानं भवति, यः प्रथमं किंचित्सिद्धान्तमभ्युपगम्य कथामुपक्रमते तत्र च सिसाधयिषितार्थसाधनाय वा परोपलम्भाय वा सिद्धान्तविरुद्धमभिधत्ते, सोऽपसिद्धान्तेन निगृह्यते, यथा मीमांसामभ्युपगम्य कश्चिदग्निहोत्रं स्वर्गसाधनमित्याह कथं पुनरग्निहोत्रक्रिया ध्वस्ता सती स्वर्गस्य साधिका भवतीत्यनुयुक्तः प्राह अनया क्रिययाराधितो महेश्वरः फलं ददाति राजादिवदिति, तस्य मीमांसानभिमतेश्वरस्वीकारादपसिद्धान्तो नाम निग्रहस्थानं भवति २१ । 136. (૨૧) અપસિદ્ધાન્ત- અમુક સિદ્ધાન્તને સ્વીકાર્યા પછી તે સિદ્ધાન્ત વિરુદ્ધ જેમ તેમ નિરંકુશપણે બોલી શાસ્ત્રાર્થ કરવો એ અપસિદ્ધાન્ત નિગ્રહસ્થાન છે. કોઈ (અર્થાતુ વાદી કે પ્રતિવાદી) પહેલાં કોઈ સિદ્ધાન્તનો સ્વીકાર કરી કથાનો (શાસ્ત્રાર્થનો) આરંભ કરે છે. પછી તે પોતાના ઈષ્ટ સાધ્યને સિદ્ધ કરવા માટે કે પરપક્ષને દૂષિત કરવા માટે પોતે પહેલાં સ્વીકારેલા સિદ્ધાન્ત વિરુદ્ધ બોલે છે ત્યારે તે અપસિદ્ધાન્ત નિગ્રહસ્થાનથી નિગૃહીત (પરાજિત) થાય છે. ઉદાહરણ – કોઈ વાદી મીમાંસાસિદ્ધાન્તને સ્વીકારી અગ્નિહોત્ર યજ્ઞને સ્વર્ગનું સાધન સિદ્ધ કરે છે. જ્યારે તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy