SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ તર્કરહસ્યદીપિકા मभिदधतः प्रतिज्ञान्तरं नाम निग्रहस्थानं भवति । अनित्यः शब्द ऐन्द्रियकत्वादित्युक्ते तथैव सामान्येन व्यभिचारे नोदिते यदि बूयाधुक्तं यत्सामान्यमन्दियकं नित्यं तद्धि सर्वगतमसर्वगतस्तु शब्द इति । सोऽयमनित्यः शब्द इति पूर्वप्रतिज्ञातः प्रतिज्ञान्तरमसर्वगतः शब्द इति प्रतिजानानः प्रतिज्ञान्तरेण निगृहीतो भवति २। ii7. (૨) પ્રતિજ્ઞાન્તર – પ્રતિજ્ઞાત અર્થનો પ્રતિવાદી દ્વારા પ્રતિષેધ કરવામાં આવતાં જો વાદી તે જ ધર્મીમાં અર્થાત પક્ષમાં બીજા ધર્મને સાધ્ય બનાવી બીજી નવી પ્રતિજ્ઞા કરે તો તે પ્રતિજ્ઞાન્તર નિગ્રહસ્થાનમાં આવી પડે. ઉદાહરણ – “શબ્દ અનિત્ય છે કેમ કે તે ઇન્દ્રિયગ્રાહ્ય છે, ઘટની જેમ' એમ વાદીએ કહેતાં પ્રતિવાદીએ પહેલાંની જેમ સામાન્ય દ્વારા વ્યભિચારની આપત્તિ આપી, એટલે વાદી જો કહે, “ઠીક છે, સામાન્ય ઇન્દ્રિયગ્રાહ્ય હોવા છતાં નિત્ય છે પરંતુ સામાન્ય તો સર્વગત (સર્વવ્યાપી) છે જ્યારે શબ્દ તો [ઘટની જેમ] અસર્વગત છે” તો “શબ્દ અનિત્ય છે એવી પૂર્વપ્રતિજ્ઞા કરનારો આ વાદી “શબ્દ અસર્વગત છે' એવી બીજી પ્રતિજ્ઞા કરતો પ્રતિજ્ઞાન્તર નિગ્રહસ્થાનથી નિગૃહીત થાય છે. 118. પ્રતિજ્ઞા વિરોધ પ્રતિજ્ઞાવિરોથ ના નિદાન મવતિ | गुणव्यतिरिक्तं द्रव्यं रूपादिभ्योऽर्थान्तरस्यानुपलबन्धेरिति सोऽयं प्रतिज्ञाहेत्वोविरोधः । यदि हि गुणव्यतिरिक्तं द्रव्यं न तर्हि रूपादिभ्योऽर्थान्तरस्यानुपलब्धिः । अथ रूपादिभ्योऽर्थान्तरस्यानुपलब्धिः, कथं गुणव्यतिरिक्तं द्रव्यमिति । तदयं प्रतिज्ञाविरुद्धाभिधानात्पराजीयते ३। 118. (૩) પ્રતિજ્ઞાવિરોધ – પ્રતિજ્ઞા અને હેતુ વચ્ચે વિરોધ હોવો એ પ્રતિજ્ઞાવિરોધ નામનું નિગ્રહસ્થાન છે. ઉદાહરણ – દ્રવ્ય ગુણોથી ભિન્ન છે કારણ કે રૂપ આદિ ગુણોથી ભિન્ન દ્રવ્ય ઉપલબ્ધ થતું નથી. અહીં પ્રતિજ્ઞા અને હેતુ વચ્ચે વિરોધ છે – જો દ્રવ્ય ગુણોથી ભિન્ન છે તો પછી રૂપ આદિ ગુણોથી ભિન્ન ઉપલબ્ધ કેમ થતું નથી? અને જો દ્રવ્ય રૂપ આદિ ગુણોથી ભિન્ન ઉપલબ્ધ ન થતું હોય તો પછી દ્રવ્યને રૂપ આદિ ગુણોથી ભિન્ન કેમ મનાય ? [અભિન્ન માનવું પડે.] આમ પ્રતિજ્ઞાના વિરોધી હેતુનો પ્રયોગ કરવાથી વાદી પરાજિત થઈ જાય છે. 119. पक्षसाधने परेण दूषिते तदुद्धरणाशक्त्या प्रतिज्ञामेव निनुवानस्य प्रतिज्ञासंन्यासो नाम निग्रहस्थानं भवति । अनित्यः शब्द ऐन्द्रियकत्वादित्युक्ते तथैव सामान्येनानैकान्तिकतायामुद्भावितायां यदि ब्रूयात्क एवमाह अनित्यः Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy