SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ નૈયાયિકમત ૧૬૭ આદિ પાંચ રૂપો, જે હેતુનું લક્ષણ છે તે, છે કે નહિ તેની પરીક્ષા કરીને જ કરવું જોઈએ. જો હેતુમાં પક્ષધર્મત્વ આદિ પાંચ રૂપ હોય જ તો અન્ય કોઈ સાધર્મેદાન્ત કે વૈધર્મદષ્ટાન્તને રજૂ કરવા માત્રથી તેની વ્યાપ્તિનું ખંડન કરી શકાતું નથી. સાચા અવિનાભાવી હેતુની આંખોમાં આવી જાતિપ્રયોગરૂપી ધૂળ નાખી શકાતી નથી. જ્યારે કતકત્વ કે પ્રયત્નજન્યત્વનો કાર્યત્વની સાથે નિર્દોષ દઢ અવિનાભાવસંબંધ છે ત્યારે શબ્દની ઉચ્ચારણ પહેલાં અનુપલબ્ધિ આવરણના કારણે નથી પરંતુ શબ્દના અભાવના કારણે જ છે. તેથી શબ્દ અનિત્ય જ છે. જયારે પ્રતિવાદી જાતિનો પ્રયોગ કરે ત્યારે પણ વાદીએ તેનું ખંડન સમ્યફ ઉત્તર આપીને જ કરવું જોઈએ. જો જાતિવાદીનું ખંડન જાત્યુત્તરથી અર્થાત્ અસદુત્તરથી કરવામાં આવે તો મિથ્યાદૂષણોની પરંપરા ઊભી થાય અને શાસ્ત્રાર્થ ભાંડોનો તમાસો બની જાય અને મોટી ગરબડ, અસ્પષ્ટતા અને અનૌચિત્ય પેદા થાય. તેથી જાતિવાદીનું ખંડન સમ્યફ સયુક્તિક ઉત્તરથી જ કરવું જોઈએ. (૩૧) 113. અથ નિગ્રહસ્થાનમદિनिग्रहस्थानमाख्यातं परो येन निगृह्यते । प्रतिज्ञाहानिसंन्यासविरोधादिविभेदतः ॥३२॥ ii3. હવે આચાર્ય નિગ્રહસ્થાનનું નિરૂપણ કરે છે– શાસ્ત્રાર્થના જે નિયમોથી પ્રતિવાદી પરાજિત થાય છે તેમને નિગ્રહસ્થાનો કહે છે. પ્રતિજ્ઞાાનિ, પ્રતિજ્ઞાસંન્યાસ, પ્રતિજ્ઞાવિરોધ આદિ ભેદથી નિગ્રહસ્થાનના બાવીસ ભેદો યા પ્રકારો છે.(૩૨) i14. વ્યારા-ન વિભૂતિજ્ઞાચાલુપર ઘેર પહો વિપક્ષો निगृह्यते, परवादी वचननिग्रहे पात्यते तन्निग्रहस्थानम् । पराजयस्तस्य स्थानमाश्रयः कारणमित्यर्थः । आख्यातं कथितम् । कुतो नामभेदत इत्याह'प्रतिज्ञाहानीत्यादि' । हानिस्त्यागः; संन्यासोऽपह्नवनं, विरोधो हेतोविरुद्धता, तेषां द्वन्द्वे हानिसंन्यासविरोधाः । ततः प्रतिज्ञाशब्देनेत्थं सम्बन्धः, प्रतिज्ञायाः पक्षस्य हानिसंन्यासविरोधाः प्रतिज्ञाहानिसंन्यासविरोधास्ते आदिर्येषां ते प्रतिज्ञाहानिसंन्यासविरोधादयः, आदिशब्देन शेषानपि भेदान्परामृशति, तेषां विभेदतो विशिष्टभेदतः, येन प्रतिज्ञाहान्यादिदूषणजालेन परो निगृह्यते, तन्निग्रहस्थानमित्यर्थः। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy