SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ નિયાયિકમત ૧૫૩ નૂતન જલ છે પરંતુ તેનો અર્થ ‘નવ પ્રકારનાં જલ' કરવો એ છલ છે. વાદીએ કહેલાં વચનોનો પોતાને અભિમત અર્થ કલ્પીને તેનાં વચનોનું ખંડન કરવું એ છલ છે. છલના ત્રણ પ્રકારો છે – (૧) વાછલ, (૨) સામાન્યછલ અને (૩) ઉપચારછલ. 85. પરોડર્થાન્તરેશન્યના વાછત્તમ્ યથા નવ્ય સ્વત્નો ચેત્યभिप्रायेण नवकम्बलो माणवक इत्युक्ते छलवाद्याह, कुतोऽस्य नवसंख्या: कम्बला इति ॥१॥ 85. (૧) વાછલ– જયારે અનેક અર્થો ધરાવતા એક શબ્દનો પ્રયોગ સામી વ્યક્તિ કરે ત્યારે તેને અભિપ્રેત અર્થ જાણી જોઈને છોડી દઈ બીજા અર્થની કલ્પના કરીને તેના વચનને તોડવું, તેનું ખંડન કરવું તે વાછલ છે. ઉદાહરણ- કોઈ કહે છે, આ બાલક પાસે નવકમ્બલ છે.’ વક્તાને “નવ' શબ્દનો વિવક્ષિત (અભિપ્રેત) અર્થ નવીન છે. (અર્થાત્ તે કહેવા માગે છે, “આ બાલક પાસે નવીન કમ્બલ છે.') પરંતુ બીજી વ્યક્તિ “નવ' શબ્દનો અર્થ ૯ સંખ્યા કરીને વક્તાના વચનનું ખંડન કરે છે– ક્યાં છે તેની પાસે નવ(૯) કમ્બલ?' શિબ્દની શક્તિવૃત્તિના અર્થાતુ અભિધાવૃત્તિના વ્યત્યયથી અર્થાન્તરની કલ્પના વક્તાના વચનનું ખંડન કરવા માટે કરવી તે વાફઝલ છે. શબ્દની અનેકાર્થતાનો અહીં આશરો લેવામાં આવે છે.]. 86. संभावनयातिप्रसङ्गिनोऽपि सामान्यस्योपन्यासे हेतुत्वारोपणेन तनिषेधः सामान्यच्छलम् । यथा अहो नु खल्वसौ ब्राह्मणो विद्याचरणसंपन्न इति ब्राह्मणस्तुतिप्रसंगे कश्चिद्वदति संभवति ब्राह्मणे विद्याचरणसंपदिति । तच्छलवादी ब्राह्मणत्वस्य हेतुत्वमारोप्य निराकुर्वन्नभियुङ्क्ते । व्रात्येनानैकान्तिकमेतत्, यदि हि ब्राह्मणे विद्याचरणसंपद्भवति, तदा व्रात्येऽपि सा भवेत् । व्रात्योऽपि ब्राह्मण एवेति ॥२॥ 86. (૨) સામાન્યછલ– સંભાવનામાત્રના અર્થમાં કહેવામાં આવેલી વાતમાં આવેલા સામાન્યધર્મને અવિનાભાવી હેતુ માનીને ખંડન કરવું એ સામાન્યછલ છે. સામાન્યધર્મ તો અતિપ્રસંગ હોય છે અર્થાત્ વિવક્ષિત વિશેષ ધર્મના અભાવમાં રહેતો સંભવે છે. ઉદાહરણ– “અહો ! આ બ્રાહ્મણ વિદ્યા અને આચરણથી સમ્પન્ન છે આ રીતે વિદ્યા અને ચારિત્રની બહુલતા જોઈને સંભાવનામાત્રની દૃષ્ટિએ બ્રાહ્મણની સ્તુતિના પ્રસંગે ઉક્ત વાક્ય કહેવામાં આવ્યું છે. આ વાક્યમાં તો બ્રાહ્મણત્વ જાતિથી વિશિષ્ટ વ્યક્તિમાં વિદ્યા અને આચરણની કેવળ સંભાવના દર્શાવવામાં આવી છે, બ્રાહ્મણત્વરૂપ સામાન્ય ધર્મને વિદ્યા અને આચરણના સદ્ભાવમાં હેતુ નથી દર્શાવ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy