SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ તર્કરહસ્યદીપિકા શકાય. જો આવા વાચાળ કુવાદીઓથી સન્માર્ગની રક્ષા ન કરવામાં આવે તો લોકોમાં ધર્મની હાંસી થાય. એટલે કુવાદીઓને જીતવા “શઠં પ્રતિ શાક્યમ્'ની નીતિ અપનાવી છલ આદિનો પ્રયોગ કરી તેમને જીતીને સન્માર્ગનું રક્ષણ કરવું જોઈએ.] જનતા તો ગતાનુગતિક હોય છે, તેિનામાં વિવેક ઓછો હોય છે, તે તો જે પ્રવાહ આનંબરપૂર્વક જોરશોરથી ચાલતો હોય તેને અનુસરે છે.] તેથી મૂઢ જનતા વૈતંડિક કુતાર્કિકોથી છેતરાઈને કુમાર્ગે ન વળી જાય એ ખાતર દયાળુ મુનિ અક્ષપાદે છલ આદિ ઉપાયોનો પણ ઉપદેશ આપ્યો છે. ન્યિાયમંજરી, પ્રમાણભાગ પૃ.૧૧]. આ રીતે સંકટના સમયે તથા પ્રતિવાદી દ્વારા શાસ્ત્રાર્થનો પ્રસ્તાવ મૂકાય ત્યારે છલ આદિ અસદુપાયો દ્વારા પણ પરપક્ષનું ખંડન કરી સ્વપક્ષની સ્થાપના કરવાની અનુમતિ છે. જો પ્રતિવાદી પોતાની વાચાળતાના કારણે જીતી જાય તો ધર્મનો નાશ અને સન્માર્ગનો અપવાદ કે નિન્દા વગેરે અવયંભાવી છે. તેથી એ ઉચિત છે કે છલ આદિ અસદુપાયોથી પણ પ્રતિવાદીને જીતીને ધર્મને અપવાદથી બચાવવો અને સન્માર્ગની સુરક્ષા કરવી. 81. 'सा वितण्डा त्वित्यादि' तुशब्दोऽवधारणार्थो भित्रक्रमश्च । सा तु सैव विजिगीषुकथैव प्रतिपक्षविवर्जिता वादिप्रयुक्तपक्षप्रतिपन्थी प्रतिवाद्युपन्यासः प्रतिपक्षस्तेन विवर्जिता रहिता प्रतिपक्षसाधनहीनेत्यर्थः वितण्डोदाहृता । वैतण्डिको हि स्वाभ्युपगतपक्षमस्थापयन् यत्किचिद्वादेन परोक्तमेव दूषयतीत्यर्थः ॥३०॥ 81. શ્લોકમાં આવેલો “તુ' શબ્દ નિશ્ચયાર્થક છે તથા ભિન્ન ક્રમવાળો છે. તેથી પ્રતિપક્ષથી રહિત તે જલ્પ જ વિતંડા કહેવાય છે. વાદીએ પ્રયોજેલ પક્ષનો વિરોધી પક્ષ, જે પ્રતિવાદી દ્વારા રજુઆત પામે છે તે, પ્રતિપક્ષ છે. વિતંડામાં પ્રતિવાદી પ્રતિપક્ષની અર્થાતુ પોતાના પક્ષની સ્થાપના કરતો નથી. આ વિતંડાનો અર્થ છે, વિતંડાની સમજૂતી છે. તે તો વૈતંડિક બનીને પોતાના પક્ષની સ્થાપના કરતો જ નથી પણ કોઈપણ રીતે પરપક્ષમાં દોષ જ દીધા કરે છે અને તેનું કેવળ ખંડન જ કર્યા કરે છે.(૩૦) 82. अथ हेत्वाभासादितत्त्वत्रयस्वरूपं प्रकटयति"हेत्वाभासा असिद्धाद्याश्छलं कूपो नवोदकः । जातयो दूषणाभासा: पक्षादिर्दूष्यते न यैः ॥३१॥ 82. હવે આચાર્ય હેત્વાભાસ, છલ અને જાતિ આ ત્રણ પદાર્થોનું સ્વરૂપે પ્રગટ • કરે છે– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy