SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ નૈયાયિકમત प्रवर्त्तते, वीतरागो वा परानुग्रहार्थं ज्ञानाङ्करसंरक्षणार्थं च प्रवर्तते, सा चतुरङ्गा वादिप्रतिवादिसभापतिप्राश्निकाङ्गा विजिगीषुकथा जल्पवितण्डासंज्ञोक्ता । तथा चोक्तम्- "तत्त्वाध्यवसायसंरक्षणार्थं जल्पवितण्डे, बीजप्ररोहસંરક્ષUાર્થ પટાવરવત્ ” [ચાયફૂ૦ કારાષ૦] તિ "यथोक्तलक्षणोपपन्नश्छलजातिनिग्रहस्थानसाधनोपालम्भो जल्पः । स प्रतिपक्षस्थापनाहीनो वितण्डा ।" [ न्यायसू० १।२।२-३] इति । वादजल्पवितण्डानां व्यक्तिः। 76. જ્યાં એક જિગીષ અર્થાત જયની ઇચ્છા રાખનારો બીજા વિજિગીષ અર્થાત્ વિશેષપણે સવાઈ જીતવાની ઇચ્છા રાખનારા સાથે કોઈ શરત લગાવીને અર્થપ્રાપ્તિ માટે કે કીર્તિની ઇચ્છાથી જય-પરાજયાર્થે શાસ્ત્રાર્થ કરે છે, ત્યાં તે વિજિગીષુકથા છે. એક વીતરાગ વ્યક્તિ પણ કોઈ વૈડિકની સાથે તત્ત્વજ્ઞાનરૂપી અંકુરના સંરક્ષણ માટે તથા પરોપકારાર્થે વિજિગીષુકથામાં પ્રવૃત્ત થાય છે. આ વિજિગીષકથામાં વાદી, પ્રતિવાદી, સભાપતિ અને પ્રાશ્નિક એ ચાર અંગો હોય છે. તેથી તે ચતુરંગા કથા કહેવાય છે. આ વિજિગીષુકથાને જલ્પ અને વિતંડા પણ કહે છે. અને કહ્યું પણ છે કે – “જેમ નાનાં અંકુરોની રક્ષા માટે કાંટાની વાડ કરવામાં આવે છે તેમ તત્ત્વજ્ઞાનની સમ્યફ રીતે રક્ષા કરવા માટે જલ્પ અને વિતંડા નામની કથાઓ કરવામાં આવે છે” ન્યિાયસૂત્ર, ૪. ૨.૫૦]. “યથોક્તલક્ષણોપપશ [અર્થાતુ વાદના લક્ષણમાં જણાવવામાં આવેલ પ્રમાણ અને તર્કથી જ્યાં સાધન અને દૂષણ થાય છે, સિદ્ધાન્તથી જે અવિરુદ્ધ છે, પંચાવયવથી જે યુક્ત છે, તથા પક્ષ અને પ્રતિપક્ષનું જેમાં ગ્રહણ કરવામાં આવે છે... આ બધાં લક્ષણોથી અર્થાત વિશેષણોથી જે સહિત હોય, તથા જેમાં છલ, જાતિ અને નિગ્રહસ્થાન જેવા અસદુપાયોથી પણ સ્વપક્ષસાધન તથા પરપક્ષદૂષણ કરવામાં આવતું હોય તેને જલ્પ કહે છે. જે જલ્પમાં પ્રતિપક્ષ (અર્થાત્ પ્રતિવાદીના પક્ષની અપેક્ષાએ વાદીનો પક્ષ એ પ્રતિપક્ષ) અર્થાત્ પોતાના પક્ષની સ્થાપના ન કરવી પણ કેવળ પ્રતિવાદીનું ખંડન જ કર્યા કરવું તે જલ્પને વિતંડા કહે છે.”ન્યિાયસૂત્ર ૧.૨.૨-૩]. આ છે વાદ, જલ્પ, વિતંડાની ટૂંકી સમજૂતી. 77. अथ प्रकृतं प्रस्तुम: आचार्योऽध्यापको गुरु :, शिष्योऽध्येता विनेयः, तयोराचार्यशिप्ययोः ‘पक्षप्रतिपक्षपरिग्रहात्' पक्षः पूर्वपक्षः प्रतिज्ञादिसंग्रहः, प्रतिपक्ष उत्तरपक्षः पूर्वपक्षप्रतिपन्थी पक्ष इत्यर्थः, तयोः परिग्रहात्स्वीकारात् अभ्यासस्य हेतुरभ्यासकारणम् या कथा प्रामाणिकी वार्ता असौ कथा वाद उदाहृतः कीर्तितः । आचार्यः पूर्वपक्षं स्वीकृत्याचष्टे Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy