SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ તર્કરહસ્યદીપિકા तेनात्र तौ व्याख्यातौ । एवमन्यत्रापि मन्तव्यम् ॥२७-२८॥ 73. હવે નિર્ણયના સ્વરૂપનું નિરૂપણ આચાર્ય કરે છે– ઊર્ધ્વમ્ ઇત્યાદિ. પૂર્વોક્ત સંદેહ તથા તર્ક પછી “આ વૃક્ષનું પૂંઠું જ છે' અથવા “આ પુરુષ જ છે' એવો જે એકકોટિક નિશ્ચય થાય છે તે અવધારણાત્મક જ્ઞાનને નિર્ણય કહે છે. ક્યાંક ક્યાંક થતું (જે) અને તત્ (તે) સર્વનામોનું કથન કરવામાં ન આવતું હોય છતાં અર્થસંબંધથી અર્થાત્ સંદર્ભથી (પ્રકરણથી) તેમનો અન્વય થઈ જાય છે. તેવા અહીં યત અને તનો અનુગમ કરીને વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. આ જ રીતે અન્યત્ર પણ સમજી લેવું. (૨૭-૨૮). 74. અથ વીતત્ત્વમદિआचार्यशिष्ययोः पक्षप्रतिपक्षपरिग्रहात् । या कथाभ्यासहेतुः स्यादसौ वाद उदाहृतः ॥२९॥ 74. હવે આચાર્ય વાદના સ્વરૂપને જણાવે છે– શાસ્ત્રાર્થનો અભ્યાસ કરવા માટે અથવા તત્ત્વનો અભ્યાસ કરવા માટે ગુરુ અને શિષ્ય પક્ષ અને પ્રતિપક્ષ લઈને જે કથા અર્થાત્ ચર્ચા કરે છે તેને વાદ કહે છે. (૨૯) 75. વ્યારથ-વાતિપ્રતિવાહિનો પક્ષપ્રતિપક્ષપરિદ વથા, સા द्विविधा, वीतरागकथा विजिगीषुकथा च । यत्र वीतरागेण गुरुणा सह शिष्यस्तत्त्वनिर्णयार्थं साधनोपालम्भौ करोति, साधनं स्वपक्षे, उपालम्भश्च परपक्षेऽनुमानस्य दूषणं, सा वीतरागकथा वादसंज्ञयैवोच्यते । वादं प्रतिपक्षस्थापनाहीनमपि कुर्यात् । प्रश्नद्वारेणैव।। 75. શ્લોકની વ્યાખ્યા – જે ચર્ચામાં વાદી અને પ્રતિવાદી પક્ષ અને પ્રતિપક્ષનું ગ્રહણ કરે તે ચર્ચા કથા કહેવાય છે. કથાના બે પ્રકાર છે– (૧) વીતરાગકથા અને (૨) વિજિગીષુકથા. જ્યારે વીતરાગ અર્થાત જય-પરાજયની ઇચ્છાથી રહિત ગુરુની સાથે તત્ત્વનિર્ણય માટે શિષ્ય પોતાના પક્ષની સિદ્ધિ અને પરપક્ષનું ખંડન કરે છે અર્થાત પરપક્ષસાધક અનુમાનમાં દોષ દર્શાવે છે ત્યારે તે વચનવ્યાપાર વીતરાગકથા કહેવાય છે. આ વીતરાગકથાનું જ નામ વાદ છે. આ વાદમાં પ્રતિપક્ષની સ્થાપનાની કોઈ આવશ્યકતા નથી; એક જ પક્ષમાં પ્રશ્નો દ્વારા જ શંકા-સમાધાન કરીને, તત્ત્વનિર્ણય કરી શકાય છે. 76. यत्र विजिगीषुजिगीषुणा सह लाभपूजाख्यातिकामो जयपराजयार्थं Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy