SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ તર્કરહસ્યદીપિકા આદિમાં છે તે, તથા બુદ્ધિ(જ્ઞાન), ચક્ષુથી મન સુધીની છ ઇન્દ્રિયો તથા સુખરૂપ અનુભવ, ઈત્યાદિ પ્રમેય છે. “ર (અને)' શબ્દ સમુચ્ચયાર્થક છે. અહીં શ્લોકમાં આઘ' અને “આદિ' આ બે પદોનો વિશેષણો તરીકે પ્રયોગ થયો છે. તે બેથી મન આદિ શેષ સાત પ્રમેયોનો સંગ્રહ થઈ જાય છે. ન્યાયસૂત્રમાં કહ્યું પણ છે કે “આત્મા, શરીર, ઇન્દ્રિય, અર્થ, બુદ્ધિ, મન, પ્રવૃત્તિ, દોષ, પ્રેત્યભાવ (પરલોક), ફલ, દુઃખ તથા મોક્ષ આ બાર પ્રમેયો છે” ન્યિાયસૂત્ર, ૧.૧.૯.]. તે બાર પ્રમેયોમાં શરીરથી લઈને દુઃખ સુધીનાં દસ પ્રમેયો હેય છે અર્થાત્ ત્યાજય છે. અપવર્ગ અર્થાત મોક્ષ ઉપાદેય છે. (૧) આત્મા અમુક અવસ્થાવિશેષમાં હેય છે અને અમુક અવસ્થાવિશેષમાં ઉપાદેય પણ છે. જ્યારે આત્મા સુખ, દુઃખ આદિનો ભોક્તા હોય છે ત્યારે તે હય છે. અને જ્યારે આત્મા સુખ, દુઃખના ભોગથી રહિત બની નિરુપાધિ થઈ જાય છે ત્યારે તે ઉપાદેય છે. આત્મા ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, સુખ, દુઃખ તથા જ્ઞાનાદિ ગુણોનો આશ્રય બને છે. ચેતનત્વ, કર્તૃત્વ, સર્વગતત્વ આદિ ધર્મોથી આત્માની પ્રતીતિ થાય છે. (૨) આિત્મા સર્વગત છે, તેથી જે નિયત પ્રદેશોમાં આત્માને સુખ, દુઃખનો ઉપભોગ થાય છે તે નિયત પ્રદેશોનું અવચ્છેદક શરીર છે. અને] આત્માના ભોગનું આયતન શરીર છે. આત્મા શરીરરૂપી ઘરમાં જ સુખદુઃખ ભોગવે છે. (૩) ઘાણ (નાક), રસના(જીભ), ચક્ષુ, ત્વફ(સ્પર્શન) તથા શ્રોત્ર આ પાંચ ભોગના સાધનરૂપ ઇન્દ્રિયો છે. (૪) રૂપ, રસ, ગબ્ધ, સ્પર્શ તથા શબ્દ એ પાંચ અર્થો છે, તે પાંચ ઇન્દ્રિયોના વિષયો છે. ગબ્ધ, રૂપ, રસ અને સ્પર્શ એ ચાર પૃથ્વીના ગુણો છે. રૂપ, રસ અને સ્પર્શ એ ત્રણ જળના ગુણો છે. રૂપ અને સ્પર્શ એ બે અગ્નિના ગુણો છે. કેવળ સ્પર્શ ગુણ જ વાયુનો છે. શબ્દ એ આકાશનો ગુણ છે. (૫) બુદ્ધિ, ઉપલબ્ધિ અને જ્ઞાન આ ત્રણ શબ્દો એકાર્થક છે. બુદ્ધિ ક્ષણિક છે. તે ભોગરૂપ હોવાથી સંસારનું કારણ છે. તેથી તે હય છે. (૬) મન સર્વ પદાર્થોને વિષય કરે છે. તે અણુરૂપ છે. તે વેગવાળું હોઈ શીધ્ર સંચાર કરે છે. તે નિત્ય છે. રૂપ આદિ પોતપોતાના વિષયોની સાથે ચક્ષુ આદિ બધી ઇન્દ્રિયોનો એક સમયે સત્રિકર્ષ થવા છતાં પણ રૂપજ્ઞાન આદિ બધાં ઐક્રિયક જ્ઞાનોની ઉત્પત્તિ એક સમયે અર્થાત્ યુગપતુ થતી નથી, તેથી જ્ઞાત થાય છે કે જે ઇન્દ્રિયની સાથે અણુ મનનો સંયોગ હોય છે તે ઇન્દ્રિય દ્વારા જ્ઞાન ઉત્પન્ન થાય છે, અન્ય ઇન્દ્રિય દ્વારા થતું નથી. આમ ઐન્દ્રિયક જ્ઞાનોની યુગપત અનુત્પત્તિ ઉપરથી અણુરૂપ મનનો સભાવ સિદ્ધ થાય છે. તથા જેમ ગબ્ધ આદિ બાહ્ય પદાર્થોનું જ્ઞાન કરણરૂપ ઈન્દ્રિયો વિના થઈ શકતું નથી તેમ આન્તરિક સુખાદિ વિષયોનું જ્ઞાન પણ સાધકતમ કારણ અર્થાતુ કરણ વિના થઈ શકે નહિ અને તે આંતર કરણ છે મન. [ક્રિયાની ઉત્પત્તિ માટે કરણ જોઈએ જ. જ્ઞાન ક્રિયા છે. બાહ્ય વિષયોના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy