SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ તર્કરહસ્યદીપિકા वचनः । प्रायशब्दो बाहुल्यवाचकः । तत एवमिदंप्रकाराणां प्रायो बाहुल्यं येषु त एवंप्राया ईदृक्प्रकारबाहुल्या इत्यर्थः । एतेन गम्भीरगर्जितत्वा( त्व)चिरप्रभावत्वादिप्रकाराणां बाहुल्यं मेघेषु सत्सूचितम् । उक्तविशेषणविशिष्टा मेघा इह जने वृष्टिं न व्यभिचरन्ति, वृष्टिकरा एव भवन्तीत्यर्थः । प्रयोगस्तु સૂત્રબાહ્યાવસો વીત્રા િવવ્ય: રોગ , 51. હવે આચાર્ય પૂર્વવત્ અનુમાનનું ઉદાહરણ જણાવે છે. તે આ પ્રમાણે છે– જેમનો રંગ ભ્રમર, ભેંસ, નાગ, મદોન્મત્ત જંગલી હાથી અને તમાલવૃક્ષ જેવો ગાઢ કાળો હોય તેમજ બીજી પણ લાક્ષણિકતા ધરાવતા હોય એ પ્રકારનાં વાદળો વૃષ્ટિના વ્યભિચારી નથી હોતાં અર્થાત્ આવાં વાદળોમાંથી વૃષ્ટિ અવશ્ય થાય છે. તેથી આ પ્રકારનાં વાદળો જોઈને ભાવી વૃષ્ટિનું અનુમાન થાય જ છે. (૨૦) યથા' શબ્દ ઉદાહરણના અર્થમાં પ્રયોજાયો છે. રોલમ્બ એટલે ભ્રમર, ગવલ એટલે જંગલી પાડો,વ્યાલ એટલે મત્ત હાથી અથવા કૃષ્ણસર્પ, તમાલ એટલે તાપિચ્છ નામનું વૃક્ષ – આ બધાના જેવી ગાઢ કાળી કાન્તિવાળાં વાદળાં વૃષ્ટિના વ્યભિચારી નથી હોતાં, તેઓ અવશ્ય વરસે છે. અહીં વાદળોની કાન્તિનું કથન હોવાથી જણાય છે કે વાદળોમાં કોઈ એવું અનિર્વચનીય વિચિત્ર અતિશય કાળાપણું હોય છે જે જોઈ તો શકાય છે પણ વર્ણવી શકાતું નથી. “એવંપ્રાયાઃ' શબ્દમાં રહેલો “એવં' શબ્દ “આ પ્રકાર' એવા અર્થનો વાચક છે. “પ્રાયઃ' શબ્દ બાહુલ્યવાચક છે. “એવંઝાયાઃ' શબ્દથી સૂચવવામાં આવ્યું છે કે વાદળોમાં રહેલી માત્ર વિચિત્ર કાલિમા જ વૃષ્ટિનું અનુમાન નથી કરાવતી. પરંતુ બીજા પણ આવી જાતના અનેક ધર્મો વાદળોમાં દેખાય છે જે ધર્મો વૃષ્ટિના અવ્યભિચારી હોય છે, જેમ કે ગડગડાટ કરી ગરજવું, પવનમાં પણ વિખેરાઈ ન જવું અને લાંબા વખત સુધી સ્થિર રહેવું ઇત્યાદિ. આમ વૃષ્ટિના અનેક અવિનાભાવી વિશેષણોથી વિશિષ્ટ વાદળો અવશ્ય વરસાદ લાવે છે. તેથી એવાં વાદળોથી ભાવી વૃષ્ટિનું નિર્દોષ અનુમાન થાય જ છે. આ અનુમાનનો પ્રયોગ ‘પૂર્વવત્ સૂત્રની વ્યાખ્યામાં જણાવી દીધો છે. (૨૦) 52. અથ શેકવારદ્યામદા कार्यात्कारणानुमानं यच्च तच्छेषवन्मतम् । तथाविधनदीपृराद्देवो वृष्टो यथोपरि ॥२१॥ 52. હવે આચાર્ય શષવત અનુમાનની વ્યાખ્યા કહે છે– કાર્ય ઉપરથી કારણના અનુમાનને શેષવતું કહે છે. ઉદાહરણાર્થ, નદીમાં આવેલું For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy