SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦પ નૈયાયિકમત છે. તે પ્રમાણના ચાર પ્રકાર છે. (૧૪-૧૬) 17. ૩મથ તન્નાતુવિષ્યમેવદિप्रत्यक्षमनुमानं चोपमानं शाब्दिकं तथा । तत्रेन्द्रियार्थसंपर्कोत्पन्नमव्यभिचारि च ॥१७॥ व्यवसायात्मकं ज्ञानं व्यपदेशविवर्जितम्। प्रत्यक्षमनुमानं तु तत्पूर्वं त्रिविधं भवेत् ॥१८॥ पूर्ववच्छेषवच्चैव दृष्टं सामान्यतस्तथा । तत्राद्यं कारणात्कार्यानुमानमिह गीयते ॥१९॥ 17. હવે આચાર્ય પ્રમાણના ચાર પ્રકારોનું નિરૂપણ કરે છે. પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન તથા શાબ્દિક અર્થાત્ આગમ એ ચાર પ્રકારનાં પ્રમાણ છે. તે ચારમાં ઇન્દ્રિય અને અર્થના સમિકર્ષથી ઉત્પન્ન થનારું, અવ્યભિચારી અર્થાત્ સંશય-વિપર્યય આદિ દોષોથી રહિત, વ્યવસાયાત્મક અને શબ્દરહિત અર્થાત્ શબ્દસંસર્ગરહિત જ્ઞાન પ્રત્યક્ષ છે. [ઇન્દ્રિય અને અર્થના સન્નિકર્ષથી ઉત્પન્ન થનારું, અવ્યભિચારી અને વ્યવસાયાત્મક હોવા છતાં જે જ્ઞાન પોતાના વિષયને તેના નામ સાથે અર્થાત્ શબ્દસંસ્કૃષ્ટ વિષયને જાણતું ન હોય અર્થાત્ શબ્દસંસર્ગથી રહિત હોય તે જ્ઞાન કયું? એવું વ્યવસાયાત્મક જ્ઞાન તો તે જ હોય જે શબ્દસંસર્ગથી રહિત હોવા છતાં શબ્દસંસર્ગની યોગ્યતા ધરાવતું હોય, જેમ કે નાના બાળકને થતું વ્યવસાયાત્મક જ્ઞાન. પરંતુ તૈયાયિકો તો ઇન્દ્રિયાર્થસકિત્પન્ન, અવ્યભિચારી, વ્યવસાયાત્મક તથા શબ્દસંસર્ગયુક્ત (“આ ઘટ છે' એવા) જ્ઞાનને પણ પ્રત્યક્ષ જ ગણે છે. એટલે સંભવ છે કે “વ્યપદેશવિવર્જિતથી આચાર્યનો અભિપ્રાય “અવ્યપદેશ્ય' હોય, પરંતુ વ્યપદેશવિવર્જિત”નો “અવ્યપદે શ્ય” અર્થ કરવો મુશ્કેલ જણાય છે. પરંતુ પ્રમાણસામાન્યના ઉપર આપેલા લક્ષણ અનુસાર પ્રત્યક્ષ અવ્યપદેશ્ય હોય જ, અર્થાત્ તે શબ્દજન્ય ન હોય (ઇન્દ્રિયાર્થસત્રિકર્ષજન્ય અને સાથે સાથે શબ્દજન્ય પણ એવું ઉભયજ ન જ હોય) અથવા ઇન્દ્રિયાર્થસત્રિકર્ષથી ઉત્પન્ન થઈ રહ્યું હોય તે જ વખતે આ રસજ્ઞાન છે” “આ રૂપજ્ઞાન છે એ પ્રમાણે શબ્દનો વિષય બનેલું પણ ન જ હોય.] પ્રત્યક્ષપૂર્વક ઉત્પન્ન થનારું જ્ઞાન અનુમાન છે, અનુમાનના ત્રણ પ્રકાર છે– પૂર્વવતુ, શેષવતુ અને સામાન્યતોદષ્ટ. તે ત્રણમાં કારણ ઉપરથી કરવામાં આવતા કાર્યના અનુમાનને પૂર્વવત્ કહે છે. (૧૭-૧૮-૧૯). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy