SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ બૌદ્ધમત હોતાં ધનુર્ધરત્વનું વિધાન પણ નિરર્થક જ બની જાય.]. સમાધાન— તમારી શંકા ઉચિત નથી, કેમ કે ‘બધાં વાક્યો સાવધા૨ણ છે’ એ નિયમ છે એ સાચું પરંતુ વ્યવચ્છેદ તો તેમનો જ કરવામાં આવે જેમના અંગે શંકા હોય. વાક્યનો પ્રયોગ બીજાને સમજાવવા માટે કરવામાં આવે છે, એટલે તે વ્યક્તિ વ્યામોહના કારણે જે ધર્મની આશંકા કરતી હોય તેનો જ વ્યવચ્છેદ કરવામાં આવે છે. ‘ચૈત્ર ધનુર્ધર છે’ અહીં બીજાઓએ ચૈત્રમાં ધનુર્ધરત્વના અભાવની આશંકા કરી છે, એટલે ધનુર્ધરત્વના અભાવનો જ વ્યવચ્છેદ કરવામાં આવે છે, અન્ય શૌર્યાદિ ધર્મોનો વ્યવચ્છેદ કરવામાં આવતો નથી. ‘બે જ છે' અહીં ચાર્વાક પ્રમાણની એક સંખ્યા તથા સાંખ્યાદિ પ્રમાણની ત્રણ વગેરે સંખ્યાઓ સ્વીકારે છે, તેથી નિયત દ્વિત્વસંખ્યાના પ્રદર્શન દ્વારા સમ્યજ્ઞાનમાં આશંકિત એકત્વ તથા ત્રિત્વ આદિ સંખ્યાઓનો વ્યવચ્છેદ કરવામાં આવે છે. 75. एवं चायमेवकारो विशेषणेन विशेष्येण क्रियया च सह भाष्यमाणः क्रमेणायोगान्ययोगात्यन्तायोगव्यवच्छेदकारित्वात् त्रिधा भवति यद्विनिश्चय: "अयोगं योगमपरैरत्यन्तायोगमेव च । व्यवच्छिनत्ति धर्मस्य निपातो व्यतिरेचकः ॥१॥ निपात एवकारः, व्यतिरेचको निवर्तकःविशेषणविशेष्याभ्यां क्रियया यः सहोदितः । विवक्षातोऽप्रयोगेऽपि तस्यार्थोऽयं प्रतीयते ॥२॥ व्यवच्छेदफलं वाक्यं यतश्चैत्रो धनुर्धरः । पार्थो धनुर्धरो नीलं सरोजमिति वा यथा ॥३॥" ૬૭ Jain Education International [પ્ર૦ ૦ ૪૬૧૦-૧૨] 75. આમ એવકાર ત્રણ પ્રકારનો છે. જ્યારે તે વિશેષણની સાથે બોલાય છે અર્થાત્ પ્રયુક્ત થાય છે ત્યારે તે અયોગવ્યવચ્છેદનો બોધ કરાવે છે. જ્યારે તે વિશેષ્યની સાથે બોલાય છે અર્થાત્ પ્રયોજાય છે ત્યારે તે અન્યયોગવ્યવચ્છેદનો બોધ કરાવે છે. (અન્યયોગવ્યવઃ = પ્રકૃત વિશેષ્યથી ભિન્ન અન્ય વિશેષ્યમાં વિશેષણના યોગનો અર્થાત્ સંબંધનો નિષેધ). અને જ્યારે તે ક્રિયાની સાથે બોલાય છે અર્થાત્ પ્રયુક્ત થાય છે ત્યારે અત્યન્તાયોગવ્યવચ્છેદનો બોધ કરાવે છે. આમ નિશ્ચય ત્રણ પ્રકારનો છે. કહ્યું પણ છે કે – “વ્યતિરેચક અર્થાત્ વ્યાવૃત્તિ કરનારો એવકા૨ નિપાત For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy