SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ તર્કરહસ્યદીપિકા નિયતદેશકાલાકારવાળી વસ્તુ પ્રાપ્ત થાય છે તેવી વસ્તુનું કથન કરવું એ તો શબ્દની શક્તિની બહાર છે. શબ્દ દ્વારા પ્રતિપાઘ અનિયતદેશકાલાકારવાળી વસ્તુ ન તો સાક્ષાત્ પ્રાપ્ત થાય છે કે ન તો પરંપરાથી પ્રાપ્ત થાય છે, કારણ કે તેવી વસ્તુનું અસ્તિત્વ જ નથી. તાત્પર્ય એ કે જયારે અનિયતદેશકાલાકારવાળી વસ્તુનું અસ્તિત્વ જ નથી ત્યારે તેવી વસ્તુનો પ્રતિપાદક શબ્દ કેવી રીતે પ્રાપક બનશે તથા કેવી રીતે તે પ્રમાણ કહેવાશે ? તેથી એ સિદ્ધ થયું કે પ્રદર્શિત અર્થને પ્રાપ્ત કરાવવાની શક્તિને અવિસંવાદકતા કહે છે અને આવી અવિસંવાદકતારૂપ પ્રમાણતા પ્રત્યક્ષ અને અનુમાન એ બે જ્ઞાનોમાં જ છે. 71. प्रापणशक्तिश्च प्रमाणस्यार्थाविनाभावनिमित्तं दर्शनपृष्ठभाविना विकल्पेन निश्चीयते । तथाहि- प्रत्यक्षं दर्शनापरनामकं यतोऽर्थादुत्पन्नं तदर्शकमात्मानं स्वानुरूपावसायोत्पादनानिश्चिन्वदर्थाविनाभावित्वं प्रापणशक्तिनिमित्तं प्रामाण्यं स्वतो निश्चिनोतीत्युच्यते, न पुनर्ज्ञानान्तरं तन्निश्चायकमपेक्षतेऽर्थानुभूताविव । ततोऽविसंवादकत्वमेव प्रमाणलक्षणं युक्तम् ॥८॥ 11. પ્રમાણજ્ઞાનનો અર્થની સાથે જે અવિનાભાવ છે તેનું નિમિત્તકારણ પ્રમાણજ્ઞાનગત પ્રાપણશક્તિ છે. અર્થાત્ પ્રાપણશક્તિનો અર્થની સાથે અવિનાભાવ છે. તેનો નિશ્ચય નિર્વિકલ્પક દર્શન પછી થતા વિકલ્પજ્ઞાન દ્વારા થાય છે. તે આ પ્રમાણે – દર્શન નામનું પ્રત્યક્ષ પ્રમાણ પોતે જ અર્થથી ઉત્પન્ન થયું હોવાના કારણે તે અર્થનું દર્શક બન્યું છે એ વાતનો નિશ્ચય પ્રત્યક્ષ પોતે પોતાને અનુરૂપ વિકલ્પની ઉત્પત્તિ કરીને તે દ્વારા કરી લે છે અને આ જ તેના પ્રામાણ્યનો સ્વતઃ નિશ્ચય છે કેમ કે કોઈ પણ પ્રમાણજ્ઞાનમાં પ્રાપણ શક્તિ જ પ્રામાણ્યનું નિમિત્ત છે અને તે પ્રાપણશક્તિ પ્રમાણજ્ઞાનમાં ત્યારે જ હોય છે જયારે પ્રમાણજ્ઞાનનો અર્થની સાથે અવિનાભાવ હોય, અર્થાત્ પ્રમાણજ્ઞાન અર્થથી સાક્ષાત્ યા પરંપરાથી ઉત્પન્ન થયું હોય. આ બધાનો સારાંશ નીચે મુજબ છે – નિર્વિકલ્પક દર્શનને જ પ્રત્યક્ષ કહેવામાં આવે છે. આ નિર્વિકલ્પક દર્શનરૂપ પ્રત્યક્ષ સ્વલક્ષણરૂપ પરમાર્થસત્ અર્થથી ઉત્પન્ન થાય છે. સ્વલક્ષણરૂપ સત્ યા વસ્તુ દેશ કે કાળમાં વ્યાપ્ત હોતી નથી. આ અર્થોત્પન્ન નિર્વિકલ્પક ” દર્શનરૂપ પ્રત્યક્ષ અનન્તર ઉત્તરકાળે પોતાને અનુરૂપ વિકલ્પને ઉત્પન્ન કરે છે. નીલનિર્વિકલ્પક દર્શન નીલ અર્થથી જ ઉત્પન્ન થયું છે એવો નિશ્ચય નીલનિર્વિકલ્પક દર્શનથી ઉત્પન્ન થનાર “આ નીલ છે એવા આકારવાળા વિકલ્પ દ્વારા થાય છે. આમ નિર્વિકલ્પક દર્શનરૂપ પ્રત્યક્ષ પોતાના પછી અનન્તર કાળે ઉત્પન્ન થતા વિકલ્પ દ્વારા પોતાની અર્થવિનાભાવિતાનો નિશ્ચય પોતે જ કરે છે. અર્થાવિનાભાવિતાનો નિશ્ચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy