SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ તર્કરહસ્યદીપિકા પ્રદર્શન કરાવે છે. પરંતુ અનુમાન લિંગદર્શનની વિષયભૂત સ્વલક્ષણરૂપ વસ્તુની સાથે અવિનાભાવસંબંધ ધરાવતી સાધ્ય વસ્તુનો નિશ્ચય કરાવીને તેનું જ્યારે પ્રદર્શન કરાવે છે ત્યારે તે અનુમાન અવિસંવાદી બને છે. આમ પ્રત્યક્ષ અને અનુમાન બન્નેમાં સ્વવિષયોપદર્શનરૂપ પ્રાપકત્વ છે. | પ્રિશ્ન- જ્યારે પદાર્થ ક્ષણિક છે અને તેથી પ્રત્યક્ષનો જે ગ્રાહ્મવિષય અર્થક્ષણ હતો તે તો પ્રવૃત્તિકાળ સુધી ટકતો નથી ત્યારે પ્રત્યક્ષ તેની પ્રાપ્તિ કેવી રીતે કરાવી શકે? અને જો ન કરાવી શકે તો તે અવિસંવાદક કેવી રીતે બની શકે?] બૌદ્ધ ઉત્તર- જો કે પ્રત્યક્ષનો સાક્ષાત્ ગ્રાહ્ય વિષયભૂત પદાર્થ ક્ષણિક સ્વલક્ષણ જ છે અને તે ઉત્પત્તિ પછીની અનન્તર ક્ષણે નષ્ટ થઈ જાય છે તેમ છતાં તે પદાર્થનો જે સત્તાન છે તે અધ્યવસાયનો અર્થાત્ નિશ્ચયનો વિષય બને છે અર્થાત્ પ્રત્યક્ષથી ઉત્પન્ન થતું વિકલ્પજ્ઞાન કે પદાર્થના સન્તાનનો અધ્યવસાય એટલે કે નિશ્ચય કરાવે છે અને તે જ સત્તાન પ્રવૃત્તિની પછી પ્રાપ્ત થાય છે. તેથી સન્તાનની દૃષ્ટિએ પ્રદર્શિત અર્થની પ્રાપકતારૂપ પ્રામાણ્ય પ્રત્યક્ષમાં છે. આમ પ્રત્યક્ષમાં તત્ક્ષણવર્તી સ્વલક્ષણની દૃષ્ટિએ પ્રાપતા ભલે ન હોય પરંતુ સન્તાનની દષ્ટિએ તો તેમાં પ્રાપકતા છે જ. આ અર્થમાં પ્રત્યક્ષ જે વિષયનું દર્શન કરાવે છે તે જ વિષયને પ્રાપ્ત કરાવી આપે છે. પ્રિશ્ન- અનુમાનનો વિષય અગ્નિસામાન્ય (અગ્નિત્વ) આદિ છે અને સામાન્ય પદાર્થ તો બૌદ્ધમતે અન્યાપોહરૂપ છે. અન્યારોહનું તાત્પર્ય છે વિકલ્પબુદ્ધિમાં કલ્પિત યા પ્રતિબિમ્બિત અનુગત આકાર. આમ અનુમાનનો વિષય વિકલ્પબુદ્ધિમાં પ્રતિબિંબિત આકાર જ હોય છે. તેથી જો અનુમાન બાહ્ય સ્વલક્ષણને વિષય કરતું જ નથી તો પછી તેમાં અર્થપ્રાપકત્વરૂપ અવિસંવાદિત કેવી રીતે સિદ્ધ થશે. ]. બૌદ્ધ ઉત્તર – અનુમાનાત્મક વિકલ્પ લિંગદર્શનથી ઉત્પન્ન થાય છે. તે અનુમાનરૂપ વિકલ્પનો ગ્રાહ્ય વિષય વિકધ્ય સ્વાકાર હોય છે, બાહ્ય અર્થ હોતો નથી. આનો અર્થ એ કે અનુમાનવિકલ્પનો વિષય તો સામાન્ય છે જે સામાન્ય તો વિકલ્પબુદ્ધિમાં પ્રતિબિમ્બિત સ્વાકાર જ છે. પરંતુ પ્રાપ્ય વિષય તો બાહ્ય સ્વલક્ષણ જ છે. આ પ્રાપ્ય બાહ્ય સ્વલક્ષણનો વિષયભૂત સ્વાકાર સાથે મેં જેનું અનુમાન કર્યું હતું તેને જ હું પ્રાપ્ત કરી રહ્યો છું એવો એકત્વનો નિશ્ચય કરીને અર્થપ્રાપકતા સિદ્ધ કરવામાં આવછે. તેથી અનુમાનમાં પણ આ અભેદની અપેક્ષાએ અનુમાન જે વિષયને ગૃહીત યા પ્રદર્શિત કરે છે તેને જ પ્રાપ્ત કરાવે છે, એ વસ્તુ ઘટે છે. અર્થાત્ અનુમાનમાં પ્રાપકતા છે અને તેથી તમૂલક પ્રમાણતા પણ છે, એ નિશ્ચય થઈ જાય છે. આમ અનુમાન પણ અવિસંવાદી હોવાથી પ્રમાણ છે. કહ્યું પણ છે કે, “આ પ્રત્યક્ષ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy