SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ બૌદ્ધમત रत्वात् स्वहेतुत एव पदार्थानामनित्यानामेवोत्पत्तेः क्षणिकत्वमवस्थितमिति । 63. શંકા – પદાર્થો અનિત્ય છે એ તો સમજાય છે, પરંતુ ઘટ આદિ પદાર્થોના નાશક હેતુઓ મુગર આદિ જ્યારે મળે છે ત્યારે જ તેમનો વિનાશ થાય છે, તો પછી તેમને પ્રતિક્ષણ વિનાશી માનવા કોઈપણ રીતે ઉચિત નથી. અર્થાત તેમનો વિનાશ નિર્દેતુક છે, સ્વાભાવિક છે એમ માનવું યોગ્ય નથી. તેથી વિનાશનાં કારણો ઉપસ્થિત થાય છે ત્યારે જ અનિત્ય પદાર્થો નાશ પામે છે, ત્યાં સુધી તો તેમની સ્થિરતા માનવી જ જોઈએ. તેથી પદાર્થો કાલાન્તરસ્થાયી અર્થાત કેટલોક કાળ ટકી પછી નાશક કારણો મળતાં નાશ પામનારા છે, ક્ષણિક નથી. બૌદ્ધોએ કરેલું શંકાનું સમાધાન - આ શંકા તો તે વ્યક્તિની જણાય છે જેણે ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી. અમે પૂછીએ છીએ કે મુગર આદિ નાશક કારણો ઉપસ્થિત થતાં ઘટ વગેરેની અન્તિમ અવસ્થામાં તેમનો જે વિનશ્વર સ્વભાવ પ્રગટ થાય છે તે વિનશ્વર સ્વભાવ તે ઘટ આદિનો તેમની ઉત્પત્તિની ક્ષણે વિદ્યમાન હતો કે નહિ? જો કહો કે હતો, તો પછી તે ઘટ આદિ પદાર્થોએ તેમની ઉત્પત્તિ પછી તરત જ પછીની ક્ષણે નાશ પામી જવું જોઈએ કારણ કે નાશ પામવું એ તો તેમનો સ્વભાવ ઉત્પત્તિની ક્ષણથી જ છે. અને આ રીતે તો પદાર્થો કાલાન્તરસ્થાયી નહિ પણ ક્ષણિક જ સિદ્ધ થાય છે. જો વિનશ્વર સ્વભાવ ઉત્પત્તિની ક્ષણે ન હતો તો પછીથી તે ક્યાંથી આવશે ? કેમ કે સ્વભાવ તો વસ્તુની ઉત્પત્તિના સમયથી જ હોય છે. જો કહેવામાં આવે કે પદાર્થનો એવો જ વિચિત્ર સ્વભાવ છે કે પદાર્થો કેટલોક સમય સ્થિર રહેવું જ જોઈએ અને પછી જ નાશ પામવું જોઈએ, ઉત્પત્તિની અનન્તર ક્ષણે નહિ તો આ કથન યોગ્ય નથી, કેમ કે જો પદાર્થનો કેટલોક કાળ સ્થિર રહ્યા પછી જ નાશ પામવાનો સ્વભાવ હોય તો તે સ્વભાવ તો પ્રત્યેક ક્ષણે રહેવાનો જ એટલે જે ક્ષણે મુગર આદિ વિનાશક કારણો પ્રાપ્ત થશે તે ક્ષણે પણ કેટલોક કાલ સ્થિર રહીને નાશ પામવાનો સ્વભાવ' હોવાનો જ એટલે એ સ્વભાવ વળી પાછો તે પદાર્થને કેટલોક કાલ સ્થિર રાખશે જ, આમ વિનાશક કારણ મળવા છતાં પણ “કેટલોક કાળ ટકવાનો પદાર્થનો સ્વભાવ' વચ્ચે પડી પદાર્થને કેટલોક કાળ ટકાવી રાખશે અને પરિણામે વિનાશક હેતુઓનો પ્રહાર કંઈ નહિ કરી શકે, નિષ્ફળ જ બની જશે.તો પછી ઘડા ઉપર એકવાર તો શું હજાર વાર પણ મુદૂગરથી પ્રહાર કરતા રહો પણ ઘડો પોતાના “કેટલોક કાળ ટકવાના સ્વભાવ દ્વારા પ્રત્યેક ક્ષણે પોતાનું રક્ષણ કરતો જ રહેશે અને આ રીતે તો ઘડો. કલ્પાન્તકાલ સુધી ટકી જ રહેવાનો, સ્થિર જ રહેવાનો. પરિણામે જ્યારે જગતનો કોઈ પણ પદાર્થ આ રીતે નાશ જ ન પામી શકતો હોય તો જગતના બધા હિંસ્ય-હિંસક, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy