SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના પદર્શનસમુચ્ચયના કર્તા આચાર્ય હરિભદ્રસૂરિ આચાર્ય હરિભદ્રસૂરિ (ઈ.સ. ૭૦૧-૭૭૧) ઉચ્ચ કોટિના સર્જક કવિ, સમર્થ દાર્શનિક, ઉદાર યોગવિદ્ અને બહુમુખી પ્રતિભાથી સંપન્ન મહાન ધર્મગુરુ હતા. સંસ્કૃત અને પ્રાકૃતમાં તેમણે રચેલા અનેક વિષયના આકર ગ્રન્થોની લાંબી શ્રેણી ભારતીય સાહિત્યમાં તેમનું જવલંત વ્યક્તિત્વ પ્રસ્થાપિત કરે છે. તેમનું વિદ્યાક્ષેત્ર વ્યાપક હતું, મારા જૈનવિદ્યામાં જ સીમિત ન હતું. (૧) તે અર્ધમાગધી આગમગ્રન્થોના સૌપ્રથમ સંસ્કૃત ટીકાકાર છે. આવશ્યક, દશવૈકાલિક, નંદી, અનુક્યોગદ્વાર અને પ્રજ્ઞાપના ઉપર તેમણે લખેલી ટીકાઓ ઉપલભ્ય છે. (૨) પ્રસિદ્ધ બૌદ્ધ તાર્કિક દિનાગના (ઈ.સ. ૪૫૦) ગ્રન્થ “ન્યાયપ્રવેશ' ઉપર તેમણે ટીકા લખી. આમ કરીને તેમણે જૈન સંપ્રદાયમાં બૌદ્ધ ન્યાયના અધ્યયનની પરંપરા શરૂ કરી અને સિદ્ધ કર્યું કે જ્ઞાનસામગ્રી ઉપર કોઈ સંપ્રદાય વિશેષ કે વ્યક્તિવિશેષનો અધિકાર નથી. (૩) રામાયણ, મહાભારત અને વૈદિક પુરાણોના તે વિશિષ્ટ જ્ઞાતા હતા, જે તેમની ધૂર્તાખ્યાન નામની કૃતિ ઉપરથી સ્પષ્ટ થાય છે. (૪) ભારતીય દર્શનોના તે અધિકારી પ્રૌઢ વિદ્વાન હતા. તેમના પદર્શનસમુચ્ચય અને શાસ્ત્રવાર્તાસમુચ્ચય નામના બે ગ્રન્થો તેની નક્કર સાબિતી છે. તેમના “અષ્ટકપ્રકરણમાં આઠ આઠ પદ્યોનાં બત્રીસ પ્રકરણો છે, તેમની અંદર આત્મનિત્યવાદ, ક્ષણિકવાદ, નિત્યાનિત્યવાદ આદિ વિષયોનું નિરૂપણ છે. (૫) જૈન સિદ્ધાન્તોની વ્યાખ્યામાં તે સમીચીન સંવર્ધન અને આપૂર્તિ કરે છે તેમ જ વ્યાપક વિદ્વત્તા અને નવીન બુદ્ધિને દાખલ કરે છે. લોકતત્ત્વનિર્ણય નામની તેમની રચનામાં તેમની સમન્વયદષ્ટિ વિશેષ કામ કરે છે. તેમનું મન અનેકાન્તની સંચેતનાથી સ્પંદિત હતું. અનેકાન્તજયપતાકા (સ્વીપજ્ઞવૃત્તિ સહિત) નામની તેમની કૃતિ નોંધપાત્ર છે. તે છ અધિકારોમાં વિભક્ત છે. તેમનામાં ક્રમશઃ સદસકૂપ વસ્તુ, નિત્યાનિત્ય વસ્તુ, સામાન્ય વિશેષરૂપ વસ્તુ, અભિલાપ્યાનભિલાપ્ય વસ્તુ,યોગાચાર મત અને મુક્તિ આ વિષયો ઉપર ગંભીર અને વિસ્તૃત ઊહાપોહ ન્યાયશૈલીથી કરવામાં આવ્યો છે. ઉક્ત વિષયોમાંથી યોગાચાર મતને છોડીને શેષ પાંચ વિષયો પર હરિભદ્રસૂરિએ જ અનેકાન્તવાદપ્રવેશ નામનો સંસ્કૃત ગ્રન્થ લખ્યો છે. તે ભાષા, શૈલી તથા વિષયની દૃષ્ટિએ અનેકાન્તજયપતાકાનું સંક્ષિપ્ત રૂપ જ જણાય છે. આમ તેમણે અનેકાન્તની સ્થાપના માટે સારો પુરુષાર્થ કર્યો છે. તેમણે રચેલો ધર્મસંગ્રહણી નામનો પ્રાકૃત ગ્રન્થ ૧૯૯૫ ગાથાઓ ધરાવે છે. તેમાં જૈનદર્શનનું સારું પ્રતિપાદન છે. તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy