SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ તર્કરહસ્યદીપિકા આવે છે તેનાથી દારુણ ફળ દેનારાં કર્મબન્ધ થાય છે, અને તે કર્મબન્ધનું કઠોર ફળ અવશ્ય ભોગવવું પડે છે. તીવ્ર અધ્યવસાયથી અર્થાત નિશ્ચયાત્મક બુદ્ધિથી જન્ય કષાયાવેશથી જે કર્મબન્ધ થાય છે તે અકાર્ય હોય છે, તેનું ફળ ભોગવવું જ પડે છે, તેને ટાળી શકાતું નથી. પરંતુ જે કર્મ મનના નિશ્ચય યા સંકલ્પ વિના જ કેવળ વચન અને કાયાની પ્રવૃત્તિમાત્રથી ઉપાર્જિત કરવામાં આવે છે, તેમાં મનનો તીવ્ર અભિનિવેશ યા કપાયભાવ ન હોવાથી તેનું ફળ પણ અવશ્ય ભોગવવું પડતું નથી, તે કર્મ ફળ આપ્યા વિના જ ખરી પડે છે અને જો તે ફળ આપે છે તો તેનું ફળ દારુણ નથી હોતું. અજ્ઞાનપૂર્વક થનારો કર્મબન્ધ તો જે દીવાલ પર લગાવેલો ચૂનો સાવ સૂકાઈ ગયો હોય તે સૂકી દીવાલ પર લાગતાંવેંત જ ખરી પડતી રેતી સમાન છે, જે જરાક જેટલી પણ શુભ અધ્યવસાયરૂપ હવા લાગતાં જ આપોઆપ ખરી પડે છે. મનમાં રાગ-દ્વેષાદિ રૂપ અભિનિવેશ ઉત્પન્ન થવા ન દેવાનો સૌથી સરળ ઉપાય છે જ્ઞાનપૂર્વકનો સઘળો વ્યાપાર ત્યાગી અજ્ઞાનમાં જ સંતુષ્ટ રહેવું, કેમ કે જયાં સુધી જ્ઞાન રહેશે ત્યાં સુધી મન કંઈને કંઈ રાગદ્વેષાદિરૂપ ઉત્પાત મચાવતું રહેશે જ, તે કદી શાન્ત રહેવાનું જ નહિ. તેથી મોક્ષના ઈચ્છકે, જે મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત છે તેણે, અજ્ઞાનનો જ સાધન તરીકે સ્વીકાર કરવો, જ્ઞાનનો નહિ. અજ્ઞાન જ મોક્ષસાધક છે, જ્ઞાન નથી. 34. अन्यच्च, भवेद्युक्तो ज्ञानस्याभ्युपगमः यदि ज्ञानस्य निश्चयः कर्तुं पार्येत । यावता स एव न पार्यते । तथाहि-सर्वेऽपि दर्शनिनः परस्परं भिन्नमेव ज्ञानं प्रतिपन्नाः, ततो न निश्चयः कर्तुं शक्यते 'किमिदं सम्यगुतेदम्' इति । अथ यत् सकलवस्तुस्तोमसाक्षात्कारिभगवद्वर्धमानोपदेशादुपजायते ज्ञानं तत् सम्यग, नेतरत्, असर्वज्ञमूलत्वादिति चेत्, किंतु स एव सकलवस्तुस्तोमसाक्षात्कारी, न तु सौगतादिसंमतः सुगतादिरिति कथं प्रतीयते, तद्ग्राहकप्रमाणाभावादिति तदवस्थ: संशयः । ननु यस्य दिवः समागत्य देवाः पूजादिकं कृतवन्तः, स एव वर्धमानः सर्वज्ञः, न शेषाः सुगतादय इति चेत्, न; वर्धमानस्य चिरातीतत्वेनेदानी तद्भावग्राहकप्रमाणाभावात् । संप्रदायादवसीयत इति चेत् । ननु सोऽपि संप्रदायो धूर्तपुरुषप्रवर्तितः, किं वा सत्यपुरुषप्रवर्तित इति कथमवगन्तव्यम्, प्रमाणाभावत् । न चाप्रामाणकं वयं प्रतिपत्तुं क्षमाः । मा प्रापदतिप्रसङ्गः । अन्यच्च, मायाविनः स्वयमसर्वज्ञा अपि जगति स्वस्य सर्वज्ञभावं प्रचिकटयिषवस्तथाविधेन्द्रजालवशादर्शयन्ति देवानितस्ततः संचरतः स्वस्य पूजादिकं कुर्वतः, ततो देवाऽऽगमदर्शनादपि कथं तस्य सर्वज्ञत्वनिश्चयः । तथा चाह जैन एव स्तुतिकार: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy