SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ તર્કરહસ્યદીપિકા સ્વભાવ વિના ઘટતો નથી. તેથી સમસ્ત જગત પોતાના સ્વભાવથી જ જેવું છે તેવું ઉત્પન્ન થયેલું છે. કહ્યું પણ છે કે આ આખું જગત પોતાના સ્વભાવથી જ પોતાની બધી પ્રવૃત્તિ કરી રહ્યું છે, તેમાં બીજા કોઈની ઇચ્છા કે પ્રયત્નનો કોઈ હસ્તક્ષેપ નથી. કાંટાઓમાં અણિયાળાપણું યા તીક્ષ્ણતા કોણે પેદા કરી ? અર્થાત્ કાંટાઓને ઘસીને અણીદાર કોણે બનાવ્યા ? પશુપક્ષીઓના વિચિત્ર સ્વભાવો કોણે કર્યા ? [એ બધું તેમના પોતપોતાના સ્વભાવથી જ છે, બીજા કોઈએ કર્યું નથી.] (૧) [બુદ્ધચરિત, ૯.૬૨]. બોરડીના કંઈક સીધા અને કંઇક વળેલા તીક્ષ્ણ કાંટા કોણે બનાવ્યા ? વળી, બોરડીનાં ગોળ મીઠાં ફળ કોણે બનાવ્યાં ? [એ તો બોરડીના કાંટા અને ફળના સ્વભાવની જ લીલા છે.] (૨). (૧) [લોકતત્ત્વનિર્ણય, ૨.૨૨]. - 27. અપિ =, આસ્તામન્યહ્રાર્થનામિદ મુાપત્તિપિ ન સ્વમાવमन्तरेण भवितुमर्हति । तथाहि - स्थालीन्धनकालादिसामग्रीसंभवेऽपि न कंकटुकमुद्गानां पक्तिरुपलभ्यते, तस्माद् यद्यद्भावे भवति तत्तदन्वयव्यतिरेकानुविधायि तत्कृतमिति स्वभावकृता मुद्गपत्तिरप्येष्टव्या । ततः सकलमेवेदं वस्तुजातं स्वभावहेतुकमवसेयमिति । 27. અન્ય કાર્યોની વાત તો જવા દો, મગનું ચડવું પણ સ્વભાવ વિના શક્ય નથી. તપેલી, ઇંધન, કાલ આદિ સામગ્રી હાજર હોવા છતાં પણ કોરડું (ગાંગડું) મગ ચડતા નથી. તેથી સ્પષ્ટ થાય છે કે જેનામાં ચડવાનો સ્વભાવ હોય તે જ ચડે છે, અન્ય નહિ, જેના હોતાં કાર્ય ઉત્પન્ન થાય અને જેનો અભાવ હોતાં કાર્ય ઉત્પન્ન ન થાય તેને કાર્યનું કારણ ગણાય. સ્વભાવ હોતાં મગ ચડે છે અને સ્વભાવ ન હોતાં મગ ચડતા નથી, એટલે મગના ચડવાનું કારણ સ્વભાવ છે એમ સમજવું જોઈએ. તેવી જ રીતે સ્વભાવ સાથે બધી કાર્યોત્પત્તિનો અન્યવય-વ્યતિરેક સંબંધ હોવાથી બધાં કાર્યોને સ્વભાવકૃત રામજવાં જોઈએ. આમ જગતની બધી વસ્તુઓ સ્વભાવકૃત છે. 28. तदेवं स्वत इति पदेन लब्धाः पञ्च विकल्पाः । एवं च परत इत्यनेनापि पञ्च लभ्यन्ते : परत इति परेभ्यो व्यावृत्तेन रूपेणात्मा विद्यते । यतः प्रसिद्धमेतत्- सर्वपदार्थानां परपदार्थस्वरूपापेक्षया स्वरूपपरिच्छेदो यथा दीर्घत्वाद्यपेक्षया हस्वत्वादिपरिच्छेदः, एवमात्मनि स्तम्भादीन् समीक्ष्य तद्व्यतिरिक्तबुद्धिः प्रवर्तते । अतो यदात्मनः स्वरूपं तत् परत एवावधार्यते न स्वत इति । एवं नित्यत्वापरित्यागेन दश विकल्पा लब्धाः । एवमनित्यपदेनापि, सर्वेऽपि मिलिता त्रिंशतिः । एते च जीवपदार्थेन लब्धा: । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy