SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ તર્કરહસ્યદીપિકા परीक्षाक्षमत्वेन यस्माद्वीरात् स सद्दर्शनस्तम् । एतेन श्रीवीरस्य यथावदातत्वादिस्वरूपमेव परीक्षणीयम् इति सूचितम् । अथवा, सतां साधूनां दर्शनं तत्त्वार्थश्रद्धानलक्षणं यस्मात् स सद्दर्शनः । अथवा, सन्तो विद्यमाना जीवाजीवादयः पदार्थास्तेषां दर्शनं यथावदवलोकनं पस्माद्वीरात् स सद्दर्शनस्तम् । कुत एवंविधम् । यतः स्याद्वाददेशकं प्रागुक्तस्याद्वादभाषकम् । एवंविधमपि कुतः । इत्याह - यतो जिनं रागद्वेषादिजयनशीलम् । जिनो हि वीतरागत्वादसत्यं न भाषते, तत्कारणाभावादिति भावः। शेषश्लोकव्याख्यानं પ્રવત્ ા 15. અહીં કોઈ શંકા કરે છે–દર્શનોનો સત્ય-અસત્ય એવો વિભાગ કરનાર આ ગ્રન્થકારનાં વચનોમાં જે શ્રોતાઓને સમ્યક્ શ્રદ્ધા ન હોય તેમને દર્શનોની સત્યતાઅસત્યતાનું જ્ઞાન કેવી રીતે થશે? સમાધાન – જેમને શ્રદ્ધા ન હોય એવા શ્રોતાઓ બે પ્રકારના હોઈ શકે– (૧) રાગદ્વેષાદિજન્ય દુરાગ્રહથી રહિત તટસ્થ ચિત્તવૃત્તિ ધરાવનારા અને (૨) રાગદ્વેષાદિથી કલુષિત હોવાના કારણે દુર્બોધ ચિત્ત ધરાવનારા. તેમનામાંથી જે દુર્બોધ ચિત્તવાળા છે તેમને તો ખુદ સર્વજ્ઞ પણ સત્ય-અસત્ય એવા વિભાગનું જ્ઞાન કરાવી ન શકે, તો પછી બીજાઓની તો વાત જ શું? એટલે એવા શ્રોતાઓની ઉપેક્ષા કરીને મધ્યસ્થ યા તટસ્થ ચિત્તવૃત્તિવાળા જિજ્ઞાસુ શ્રોતાઓને લક્ષ્યમાં રાખીને “સદર્શન આદિ વિશેષણોની પુનરાવૃત્તિ કરીને બધાં દર્શનોનો સત્ય-અસત્ય વિવેક કરવાનો ઉપાય ગ્રન્થકાર દર્શાવે છે. મૂલમાં “સદ્દર્શન' એમ કહ્યું છે. વીર કેવા? વીર સદર્શન. “સદર્શન' વિશેષણનો અર્થ આ પ્રમાણે છે – જે ભગવાન વીરના પ્રસાદથી સતુને અર્થાતુ તટસ્થ ચિત્તવૃત્તિવાળા પુરુષોને, તેમનામાં આતની યથાવતુ પરીક્ષા કરવાની શક્તિ હોવાના કારણે, દર્શન અર્થાત્ જ્ઞાન– મતોની સત્યતા-અસત્યતાનું વિવેકજ્ઞાન– ઉત્પન્ન થાય છે તે સદર્શન વીર છે. આ વિશેષણથી સૂચવવામાં આવ્યું છે કે ભગવાન વીરના આપ્તત્વ આદિ સ્વરૂપની જ યથાવતુ પરીક્ષા કરવી જોઈએ. અિર્થાત ભગવાન વીર આપ્તત્વની કઠોર પરીક્ષાને સહી શકે છે, તે તેમાં પાર યા ખરા ઊતરી શકે છે, તેથી આવા વીર પ્રભુના પ્રસાદથી અન્ય સજ્જનોને પણ સત્ય-અસત્યનો વિવેક કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થઈ શકે છે. તેથી ટીકાકાર ગુણરત્નસૂરિ અહીં ભગવાન વીરના આપ્તત્વની પરીક્ષા કરવાનું સૂચવે છે.) અથવા, જે વીરના પ્રસાદથી સતુને અર્થાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy