SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય શાસનસમ્રાટ્ શ્રીનેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર પ.પૂ. આચાર્ય ભગવંતશ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આચાર્યશ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના ઉપદેશથી શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થઈ રહેલ જૈન સાહિત્યના બૃહદ્ ઈતિહાસના અનુસંધાનમાં પ્રસ્તુત “તર્કરહસ્યદીપિકા’’ વાચકોના હસ્તકમલમાં અર્પણ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. પ્રસ્તુત ગ્રંથમાં મહાન પ્રાચીન આચાર્ય હરિભદ્રસૂરિ તિરચિત ષગ્દર્શનસમુચ્ચય અને તેના પરની આચાર્ય ગુણરત્નસૂરિની તર્કરહસ્યદીપિકા નામક ટીકા અને તેનો ડૉ. નગીનભાઈ શાહે કરેલો ગુજરાતી અનુવાદ છે. ગુજરાતી અનુવાદ દ્વારા ગુજરાતી ભાષી વિશાળ જૈન મુનિ સમુદાય તેમજ શ્રાવક સમુદાય પાસે આવી અમૂલ્ય સામગ્રી મૂકી આપવા બદલ અમે ડૉ. નગીનભાઈ શાહનો આભાર માનીએ છીએ. જિનાગમ તથા જૈન સાહિત્યથી સુપરિચિત વિદ્વર્ય પૂજ્ય સૂરિભગવંતો, પૂજ્ય પદો, પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતો, સાક્ષર વિદ્વાનો તેમજ સુપ્રસિદ્ધ ગ્રંથાગારજ્ઞાનભંડારના સંચાલકો વગેરેને અમે અંતરથી વિનંતી કરીએ છીએ કે આ પૂર્વે પ્રસિદ્ધ થયેલા જૈન સાહિત્યના ઇતિહાસના ગ્રંથો, પ્રમાણમીમાંસા, જૈન ધર્મ-દર્શન, જૈન આગમોમાં આવતા પ્રાકૃત વિશેષનામોનો પરિચયાત્મક કોશ તથા પ્રસ્તૃત ગ્રંથ વિષે આપનો અભિપ્રાય તથા સલાહ-સૂચનો, માર્ગદર્શન આપી અમને આભારી કરશો. આ પ્રસંગે અમે પરમ પૂજ્ય આચાર્યશ્રી સ્વ. વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ તથા પ.પૂ. આચાર્ય સ્વ. શ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજનું પુણ્ય સ્મરણ કરીએ છીએ. બંને આચાર્ય ભગવંતો આજ આપણી સામે સદેહે બિરાજમાન નથી. પરંતુ તેમની પ્રેમાળ પ્રે૨ણા ભરી સ્મૃતિના સહારે પ.પૂ. આચાર્યશ્રી વિજય સોમચંદ્રસૂરીશ્વર મ.સા.ની રાહબરી તળે ગ્રંથમાળાના પ્રકાશનનું કામ અમે ચાલુ રાખ્યું છે. બંને સ્વ. આચાર્ય ભગવંતોના અનંત ઉપકારનું સ્મરણ કરી આ ગ્રંથમાળા તેમને સમર્પણ કરતાં અમે ઊંડો આહ્લાદ અનુભવીએ છીએ. સમગ્ર ગ્રંથ શ્રેણીનું સુપેરે સંચાલન સંપાદન કરવા માટે ગુજરાતી આવૃત્તિના માનદ્ સંપાદકો ડૉ. નગીનભાઈ શાહ અને ડૉ. રમણીકભાઈ શાહનો આભાર માનીએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy