________________
૩૮૮
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલના
ભવમાં પૂર્ણ મુક્ત થવાના છે. તેઓને “કેવલી” અથવા “જિન” કહેવામાં આવે છે. આ ઉપાધિ (ડીગ્રી) પ્રાપ્ત કરનારા સ્નાતક છાત્રની જેમ, મુક્તિને પ્રાપ્ત કરનાર સ્નાતક કેવલીની અવસ્થા છે. ગ્રંથમાં જીવન્મુક્તો માટે “સ્નાતક' શબ્દનો પ્રયોગ પણ કરવામાં આવેલ છે. આ જીવન્મુક્ત જીવ સંસારમાં રહીને અવશિષ્ટ આયુકર્મોનો ઉપભોગ કરતાં કરતાં આકાશમાં રહેલા સૂર્યની જેમ કેવળ જ્ઞાનથી સુશોભિત થાય છે. તે પછી આયુષ્ય પૂરું થતાં, અવશિષ્ટ બધાં અઘાતી કર્મોને એક સાથે નષ્ટ કરી નિયમપૂર્વક તે ભવમાં પૂર્ણ મુક્ત થઈ જાય છે. આ જીવન્મુક્તોની ગ્રંથમાં બે અવસ્થાઓ દર્શાવેલ છે. ૧. સયોગ કેવલી – મન, વચન અને કાયની ક્રિયાથી યુક્ત અને ૨. અયોગ કેવલી - મન, વચન અને કાયની ક્રિયાથી રહિત. આ બંને પ્રકારના જીવન્મુક્તોમાં “સંયોગ કેવલી” જ હિતોપદેશથી પ્રાણીમાત્રનું કલ્યાણ કરે છે કારણ કે તેઓ મન, વચન અને કાયની ક્રિયાથી મુક્ત હોય છે. મન, વચન અને કાયની ક્રિયાથી રહિત “અયોગ કેવલીની અવસ્થા વિદેહમુક્ત (સિદ્ધ)ના જેવી હોય છે. તેઓ કેટલીક ક્ષણોમાં શરીરને છોડી અનુત્તર સિદ્ધલોક (મોક્ષ)ને પ્રાપ્ત કરી પૂર્ણ મુક્ત થઈ જાય છે.
આ રીતે ગ્રંથમાં મુક્તિના બે રૂપો જોવા મળે છે ? ૧. જીવન્મુક્તિ તથા ૨. વિદેહ મુક્તિ. જીવન્મુક્તિ વિદેહમુક્તિની પૂર્વાવસ્થા છે તથા વેદેહમુક્તિ પૂર્ણ નિયલ ચરમાવસ્થા છે. ગ્રંથનું પ્રધાન લક્ષ્મ જીવોને મુક્તિ પ્રત્યે અભિમુખ કરવાનું છે.
અનુશીલના આ પ્રકરણમાં “ઉત્તરાધ્યયન’ના પ્રધાન લક્ષ્ય “મુક્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. તેની પ્રાપ્તિ માટે શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રરૂપ રત્નત્રયની સાધના આવશ્યક છે. ચાર્વાકદર્શન સિવાય બાકીના બધા ભારતીય દર્શનોનું પણ પ્રધાન લક્ષ્મ જીવોને મુક્તિ પ્રત્યે દોરવાનું છે. પરંતુ મુક્ત જીવોની કેવી અવસ્થા १ जेहिं होइ सिणायओ।
–૩. રપ. ૩૪ २ अणुत्तरे नाणधरे जसंसी ओभासइ सूरि एवंऽतलिक्खे ॥
–૩. ૨૧. ર૩. ૩ ઉ. ર૯. ૭૧-૭૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org