SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫ : વિશેષ સાધ્વાચાર ૩૬૩ સમાધિમરણના ભેદ : ગ્રંથમાં આ સમાધિમરણના ત્રણ ભેદોનો સંકેત જોવા મળે છે. તેમાંથી - કોઈ એકનો આશ્રય લઈ શરીરનો ત્યાગ કરવો આવશ્યક મનાયો છે. ક્રિયાને માધ્યમ બનાવી કરવામાં આવેલ આ ત્રણ ભેદોમાં ચારેય પ્રકારના આહારનો ત્યાગ (અનશન તપ) આવશ્યક છે. તેનાં નામ નીચે મુજબ છે : ૧ ભક્તપ્રત્યાખ્યાન : ગમનાગમનની બાબતમાં કોઈ નિયમ લીધા સિવાય ચારેય પ્રકારના આહારનો ત્યાગ કરી શરીરનો ત્યાગ કરવો એ ભક્તપ્રત્યાખ્યાન નામનું સમાધિમરણ છે. તેનાથી જીવ સેંકડો ભવના કર્મોને નિરુદ્ધ કરે છે. ૨ ઇંગિનીમરણ : ઇંગિત એટલે સંકેત. તેથી ગમનાગમનની બાબતમાં ભૂમિની સીમાનો સંકેત કરી ચારેય પ્રકારના આહારનો ત્યાગ કરતાં કરતાં શરીરનો ત્યાગ કરવો એ ઇંગિનીમરણ છે. ૩ પાદપોગમન પાદપ એટલે વૃક્ષ. તેથી પાદપોગમન નામના સમાધિમરણામાં ચારેય પ્રકારના આહારનો ત્યાગ કરી વૃક્ષમાંથી કાપેલી શાખાની જેમ એક જ સ્થાને નિશ્ચલ રહી શરીરનો ત્યાગ કરવામાં આવે છે. આ ત્રણ ભેદોમાંથી ભક્તપ્રત્યાખ્યાનમાં ગમનાગમન સંબંધી કોઈ નિયમ રહેતો નથી, ઇંગિનીમરામાં ક્ષેત્રની સીમા નિયત હોય છે. તથા પાદોપગમનમાં ગમનાગમન ક્રિયા હોતી નથી. તેથી ભક્તપ્રત્યાખ્યાન અને ઇંગિનીમરામાં સવિચાર અને સપરિકર્મ નામનાં મરણકાલિક અનશનતપ કરવામાં આવે છે १ अह कालम्मि संपत्ते आधायाय समुस्सयं । सकाममरणं मरई तिण्हमनयरं मुणी ।। –૩. ૫. ૩૨. ' ૨ એજન આ. ટી. પૃ. ર૩૮. 3 भत्तपच्चक्खाणेणं अणेगाइं भवसयाइं निरूंभइ ।। –૩. ર૯. ૪૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002136
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSudarshanlal Jain
PublisherParshwanath Shodhpith Varanasi
Publication Year2001
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy