________________
૩૦૬
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલના
આ રીતે ગ્રંથમાં કેટલાંક પ્રત્યાખ્યાનોના પ્રકાર અને તેના ફળ દર્શાવવામાં આવેલ છે. આ રીતે પ્રત્યાખ્યાન આવશ્યકના અન્ય પ્રકારો સમજી લેવા જોઈએ.
ઉપર જણાવેલ સામાયિક આદિ છ આવશ્યકોનાં નામ “અનુયોગદ્વારમાં જુદી રીતે જોવા મળે છે અને તેમાંથી તેના સ્વરૂપ વિશે જાણી શકાય છે. તેનાં નામ ક્રમશ: આ પ્રમાણે છે :
૧ સાવદ્યયોગવિરતિ (સામાયિક), ૨ ઉત્કીર્તન (ચતુર્વિશતિસ્તવ), ૩ ગુણવતપ્રતિપત્તિ (વંદન), ૪ સ્મલિતનિંદા (પ્રતિક્રમણ), ૫ વ્રણચિકિત્સા (કાયોત્સર્ગ), ૬ ગુણધારણ (પ્રત્યાખ્યાન).
“આવશ્યક' નામનો એક સૂત્ર ગ્રંથ પણ છે અને તેમાં આ છ આવશ્યકોનું જ વિશેષ વર્ણન કરવામાં આવેલ છે.
આ છ આવશ્યકો ઉપરાંત એક આવશ્યક ક્રિયા છે અને તેનું નામ છે : વસ્ત્રાદિકની પ્રતિલેખના અને પ્રમાર્જના. આ પ્રતિક્રમણ આવશ્યકમાં જ સમાવિષ્ટ છે. આ છે નિત્યકર્મોની આવશ્યક” એવી સંજ્ઞા દઢ છે અન્યથા, ગ્રંથમાં સાધુના અન્ય નિત્યકર્મો પણ દર્શાવાયાં છે અને તેનું સ્પષ્ટીકરણ આગળ ઉપર દર્શાવવામાં આવેલ સાધુની દિન તેમ જ રાત્રિચર્યા દ્વારા થશે. વસ્તુતઃ આ છે આવશ્યક અથવા નિત્યકર્મ સાધુના સામાન્ય નિત્યકર્મ છે અને અધ્યયન, મનન વગેરે વિશેષ કાર્ય છે.
સામાચારી દરરોજ સાધુએ જે પ્રકારનાં આચરણ કરવાં પડે છે તેને “સમાચારી કહેવામાં આવે છે. “સામાચારી' શબ્દનો સામાન્ય અર્થ : સમ્યફચર્યા અથવા આચરણ. ગ્રંથમાં “સામાચારીના દશ અંગો દર્શાવાયાં છે તેનું પાલન કરવાથી
૧ વિશેષ માટે જુઓ – પાવતીસૂત્ર ૭. ૨. २ सावज्जोगविरई उक्कित्तण गुणवओय पडिवत्ती ।
खलिचस्स निंदणा वणतिगिच्चछ गुणधारणा चेव ।।
–અનુયોદર, પૃ. ૩૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org