SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર ૨૭૯ માટે કંઈ સાચવી ન રાખવુંઆ ઉપરાંત, હિરણ્ય આદિની મનથી પણ કામના ન કરવી તથા હિરણ્ય અને પથ્થરમાં સમદષ્ટિ રાખી, પક્ષીની જેમ આશારહિત થઈ અપ્રમત્તભાવે (સાવધાનીપૂર્વક) વિચરણ કરવું. આ રીતે બધા પ્રકારના ધન-ધાન્યાદિનો પરિત્યાગ કરીને તાપાત્રનો પણ સંગ્રહ ન કરવો તથા પાંચે ઈન્દ્રિયો માટેના મનોજ્ઞ અને અમનોજ્ઞ વિષયો ઉપસ્થિત થાય તો પણ જળથી ભિન્ન કમળની જેમ તેમાં લિપ્ત (રાગ-દ્વેષ યુક્ત) ન થવું એ જ અપરિગ્રહ મહાવ્રત છે. અપરિગ્રહી જ વીતરાગી છે કારણ કે જ્યાં સુધી વિષયોમાંથી વિરાગ નહિ થાય ત્યાં સુધી જીવ અપરિગ્રહી થઈ શકતો નથી. વિષયો પ્રત્યે રાગબુદ્ધિ (લોભવૃદ્ધિ) થવી એ જ પરિગ્રહ છે. જેમ જેમ લાભ થતો જાય છે તેમ તેમ લોભ વધતો જાય છે અને લોભ વધતાં પરિગ્રહ પણ વધી જાય છે. જ્યારે શબ્દ, રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શ આ વિષયોથી સંબંધિત સચિત્ત અને અચિત્ત બધાં દ્રવ્યોમાંથી વિરાગ થાય છે ત્યારે તેને માટે સંસારમાં કંઈ દુષ્કર રહેતું નથી. આ નિષ્પરિગ્રહતા કે વીતરાગતા અતિવિસ્તૃત અને સુસ્પષ્ટ १. सत्रिहि च न कुव्वेज्जा लेवमायाए संजए । पक्खी पत्तं समादाय निरवेक्खो परिव्वए । –૩. ૬૧૬. તથા જુઓ ઉ. ૩૫. ૧૩. २ जहा पोमं जले जायं नोवलिप्पइ वारिणा । एवं अलित्तं कामेहि तं वयं बूम माहणं ।। –૩. ૨૧.૨૭. તથા જુઓ ઉ. ૧૦. ૨૮, ૩૨. રર, ૩૫. 3 जहा लाहा तहा लोहो लाहा लोहो पवड्ढई । थोमारुकयं कज्जं कोइए वि न निट्ठियं ।। –૩. ૮. ૧૭. ४ जहा लोए निप्पिवासस्स नस्थि किंचिवि दुक्करं । -૩. ૨૧.૪૬. તથા જુઓ ઉ. ૨૯. ૪૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002136
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSudarshanlal Jain
PublisherParshwanath Shodhpith Varanasi
Publication Year2001
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy