SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૬ ઉત્તરાધ્યયન-સૂત્ર ઃ એક પરિશીલના કામસુખથી પ્રેરિત થઈને જીવ મોટે ભાગે હિંસા, અસત્ય, ચોરી, ધનાદિ સંગ્રહ વગેરેમાં પ્રવૃત્ત થઈ ચક્ષુ-દષ્ટ રતિને જ સત્ય ગણાવા લાગે છે. મહત્ત્વ- ગ્રંથમાં તેના મહત્ત્વને પ્રગટ કરવા માટે જ સોળમા અધ્યાયને ગદ્ય તથા પદ્યમાં પુનરાવૃત્ત કરવામાં આવેલ છે. આ વ્રતનું પાલન કરનારને શ્રમણ તથા બ્રાહ્મણ કહેવામાં આવેલ છે. સાધુ માટે જે બાવીશ પ્રકારના પરીષહો (કષ્ટો) ઉપર વિજય મેળવવાનું વિધાન કરવામાં આવ્યું છે તેમાં સ્ત્રી પરીષહ પણ એક છે જે કામજન્ય પીડા ઉપર વિજય મેળવવા માટે છે. આ વ્રતનું પાલન કરવાથી અન્ય વ્રત સુખેથી આચરી શકાય છે અને એ ઉપરાંત જે ગુણોની પ્રાપ્તિ થાય છે તે ગુણો આ પ્રમાણે છે : ૧ આત્મશુદ્ધિમાં પ્રધાનકારણ હોવાથી આત્મ-પ્રયોજનની પ્રાપ્તિ ૨ સાધુ ધર્મ (શ્રામણ્ય)ની સફળતા. ૩ દેવો દ્વારા પણ પૂજ્ય બનવું. ૪ સંવરની આધારશિલા હોવાથી સંયમ બહુલ, સંવર બહુલ, સમાધિ બહુલ મનત્વવચન-કાયથી ગુપ્ત, ગુપ્તેન્દ્રિય, ગુપ્ત બ્રહ્મચારી તથા અપ્રમત્તતાની પ્રાપ્તિ. १ न मे दिठे परे लोए चक्खुदिट्ठा इमा रई । –૩. ૫. ૫. તથા જુઓ ઉ. ૫. ૬-૧O. ૨ જુઓ – પૃ. ર૬૮. પા. ટિ. ૧. ૩ જુઓ – પરિષહજય, પ્રકરણ ૫. ४ इह कामणियट्टस्स अत्तढे नावरज्झई । –૩. ૭. ર૬. ५ सुकडं तस्स सामण्णं । –૩. ૨. ૧૬. ६ देवदाणवगंघव्वा जक्खरक्खसकिनरा । बंभयारिं नमसंति दुक्करं जे करंति तं ॥ --૩. ૧૬. ૧૬. ૭ જુઓ પૃ. ર૬૮. પા. ટિ. ૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002136
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSudarshanlal Jain
PublisherParshwanath Shodhpith Varanasi
Publication Year2001
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy