SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪ : સામાન્ય સાધ્યાચાર ૨૫૭ ધ્યાનમાં રાખીને કરેલ છે. લોકોની બદલાતી પ્રવૃત્તિને દર્શાવતાં લખવામાં આવેલ છે કે પ્રથમ તીર્થંકર ભગવાન આદિનાથના સમયમાં મનુષ્ય સરળ પ્રકૃત્તિનો તથા મૂર્ખ હતો (ગુનડ), ચોવીશમા (અંતિમ) તીર્થકર ભગવાન મહાવીરના સમયમાં મનુષ્ય કુટિલ પ્રકૃતિનો તથા મૂર્ખ (વMS) હતો તથા બંને તીર્થકરોના મધ્યકાળ (બીજાથી માંડી ત્રેવીસમાં તીર્થકરના સમય)માં મનુષ્ય સરળ પ્રકૃતિનો તથા વ્યુત્પન્ન (ગુના) હતો. આનું તાત્પર્ય એ કે મધ્યકાળની વ્યક્તિ સરળ અને વ્યુત્પન્ન હોવાથી ધર્મને સરળતાથી યોગ્ય રીતે સમજી જતી તથા તેમાં કુતર્ક વગેરે ન કરીને યથાવત તેનું પાલન કરતી. તેથી મધ્યકાળમાં વસ્ત્રાદિના નિયમોમાં છૂટછાટ દેવામાં આવી હતી પરંતુ આદિનાથ તથા મહાવીરના કાળમાં વ્યક્તિઓ મૂર્ખ (અલ્પજ્ઞ) હોવાથી એમ સમજીને કે ક્યાંક વસ્ત્રાદિમાં રાગબુદ્ધિ ન કરવા માંડે તેથી વસ્ત્રાદિના વિષયમાં પ્રતિબંધ લાગુ કરવામાં આવેલ. મહાવીરના કાળમાં એમ કરવું વળી વધારે આવશ્યક હતું કારણ કે એ કાળની વ્યકિત વક્ર હોવાથી કતર્ક દ્વારા ધર્મમાં ભેદ પાડવાની પ્રવૃત્તિ શરૂ થઈ હતી. તેથી મહાવીરના કાળમાં સ્થવિરકલ્પ (અપવાદમાર્ગ)ની દૃષ્ટિએ સાધારણા કોટિનાં વસ્ત્ર ધારણ કરવાની તથા જિનકલ્પ (ઉત્સર્ગમાર્ગ)ની અપેક્ષાએ નગ્ન રહેવાની અનુમતિ આપવામાં આવી. એ પરથી પ્રતીત થાય છે કે સાધુ કાં તો સાધારણ કોટિના વસ્ત્રધારી હતા અથવા નગ્ન હતા. સાધુ માટે સહન કરવાના પ્રમુખ (રર) બાવીશ કષ્ટો (પરીષહો)માં અચેલ હોવાપણાને પણ એક કષ્ટ માનવામાં આવેલ છે જેનું વર્ણન કરતાં લખવામાં આવ્યું છે કે સાધુએ વસ્ત્ર ફાટી જાય અથવા પોતે નગ્ન બની જાય તો પણ નવાં વસ્ત્રની અભિલાષા ન કરવી. - - १ पुरिमा उज्जुजड्डा वक्कजडा य पच्छिमा । मज्झिमा उज्जुपना उ तेण धम्मे दुहा कए । पुरिमाणं उब्बिसोज्झो उ चरिमाणं दुरणुपालओ । कप्पो मज्झिमगाणं तु सुविसोज्झो सुपालओ ।। –૩. ૨૩. ર૬. ર૭. ૨ જુઓ પૃ. ર૫૫. પા. ટિ.૧. ૩ જુઓ પૃ. ૩૫. પા. ટિ.૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002136
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSudarshanlal Jain
PublisherParshwanath Shodhpith Varanasi
Publication Year2001
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy