________________
૨૩૨ ઉત્તરાધ્યયન-સૂચઃ એક પરિશીલન (જિન)ની જેમ અસર્વજ્ઞ (છદ્મસ્થ-જે પૂર્ણ જ્ઞાની નથી)નો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે. આ ચારિત્રને ધારણ કરનાર જિનોપદિષ્ટ ચારિત્રનું જિને કહ્યું હોય તે રીતે પાલન કરે છે તેથી તેને યથાખ્યાત ચારિત્ર કહેવામાં આવે છે. આ પૂર્ણ વીતરાગતાની અવસ્થા છે. આ યથાખ્યાત ચારિત્રની પૂર્ણતા થતાં (ચરમાવસ્થામાં) બધાં કર્મો નાશ પામે છે અને ત્યારે સાધક સર્વ પ્રકારનાં દુ:ખોનો અંત લાવીને સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બને છે.
આ રીતે, સદાચારના આ પ્રકારોને તપાસતાં પ્રતીત થાય છે કે તે ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે. આ સદાચાર અહિંસાની ભાવનાથી શરૂ થાય છે અને પૂર્ણ વીતરાગતાની અવસ્થામાં સંપૂર્ણતાને પામે છે. આ સદાચારના પ્રકારોમાં સંસારના વિષયો પ્રત્યેની રાગની ભાવના ઉત્તરોત્તર ઘટતી જાય છે. વીતરાગતાને સદાચારની પરાકાષ્ઠા તરીકે સ્વીકારેલ હોવાથી “ચગ'ની હીનાધિકતાના આધારે આ ચારિત્રવિભાજન કરવામાં આવેલ છે.
જૈન દર્શનમાં રાગની હીનાધિકતાને લક્ષમાં લઈ, અન્ય પ્રકારે પણ જીવની ચોદ અવસ્થાઓ (ગુણસ્થાન) દર્શાવવામાં આવેલ છે, તેમાં જીવના નિમ્નતમ આચારથી માંડી ઉચ્ચતમ આચાર સુધીના વિકાસ-ક્રમને આધ્યાત્મિક પ્રક્રિયા દ્વારા સમજાવવામાં આવેલ છે. જેને સંસારના વિષયોમાં સહુથી વધુ રાગ હોય છે તે સહુથી નિમ્નકોટિની વ્યક્તિ છે અને જેને સંસારના વિષયોમાં સહુથી ઓછો રાગ (અથવા રાગનો અભાવ) છે તે સહુથી ઊંચી કોટિની વ્યક્તિ છે. સામાયિક આદિ પાંચ પ્રકારના ચારિત્રથી આ અવસ્થાઓ સર્વથા ભિન્ન નથી પણ તેમનો જ અહીં ચૌદ અવસ્થામાં વિસ્તાર કરવામાં આવેલો છે. તેમાં એ
૧ જુઓ – પૃ. ર૩૦. પાટ. ટિ. ૧. २ चारित्तपज्जवे विसोहित्ता अहक्खायचरित्तं विसोहेइ । अहक्खायचरित्तं विसोहित्ता
चत्तारि कम्मसे खवेइ । तओं पच्छा सिज्झइ, बुज्जइ, मुच्चइ, परिनिव्वयाइ, सव्वदुक्खाणमंत
–૩. રૂ. ૧૮,
તથા જુઓ - ઉ. ૩૧. ૧, પૃ. રર૯. પાટ. ટિ. ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org