________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
પણ પીડા પહોંચાડે છે તે રીતે જ અવિનીત શિષ્ય ગુરુ દ્વારા સંયમની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત કરવામાં આવે ત્યારે અનેક પ્રકારની કુચેષ્ટાઓ કરી ગુરુને દુઃખ દે છે. ૭ કોઈ કાર્ય માટે આજ્ઞા કરવામાં આવે ત્યારે અનેક પ્રકારનાં બહાનાં બતાવે જેમ કે અમુક ગૃહસ્થ કે ગૃહિણી મને ઓળખતા નથી તે મને અન્ન વગેરે નહીં આપે, તે ઘરે નહીં હોય, ત્યાં જવું વ્યર્થ છે, જો મોકલવો જ હોય તો કોઈ બીજાને મોકલો, જો કોઈ રીતે જવું જ પડે તો આમ તેમ કરીને પાછા આવી જવું અને પૂછતાં બહાનાં કાઢવાં અથવા રાજાજ્ઞા સમાન અનિચ્છાપૂર્વક ભવાં ચઢાવવાં અને એ રીતે કામ કરવું. ૮ સ્વાદિષ્ટ અન્નને છોડી વિષ્ટા ખાનાર ભૂંડની જેમ સદાચાર છોડીને સ્વચ્છન્દ વિચરણમાં આનંદ મનાવવો અને ૯ તેત્રીશ પ્રકારની અવિનયભૂત અનુશાસન-હીનતાઓ (આજ્ઞાતનાઓ)નું આચરણ કરવું.
૧ ૩. ર૭. ૪-૮; ૧-૧ર. २ न सा ममं वियाणाइ न विसा मज्झ दाहिई । निगाया होहिई मन साहू अन्नोत्थ वज्जउ । पेसिया पलिउंचति ते परियंति समंतओ । रायवेटिं च मनंता करेंति भिउडि मुहे ।।
–૩. ર૭. ૧ર-૧૩. તથા જુઓ – ઉ. ર૭. ૧૪. 3 कणकुण्डगं चइताणं विट्ठ भुंजइ सूयरे । एवं सीलं चइत्ताण दुस्सीले रमई मिए ।।
–૩. ૧. ૫. ૪ તેત્રીસ પ્રકારની આશાતનાઓ આ પ્રમાણે છે: ૧ ગુરુની આગળ આગળ
ચાલવું ૨ ગુરુની સાથો સાથ ચાલવું ૩ ગુરુની પાછળ અવિનયપૂર્વક ચાલવું ૪-૯ ચાલવાની બેસવાની બાબતમાં તથા ઉભા રહેવાની બાબતમાં ત્રણ ત્રણ આશાતનાઓ ૧૦ જો ગુરુ અથવા શિષ્ય એક જ પાત્રમાં જલ લઈ ક્યાંક બહાર ગયા હોય તો ગુરુની પહેલાં એ પાત્રમાંથી જલ લઈ આચમન કરવું ૧૧ બહારથી આવી ગુરુની પહેલાં ધ્યાન કરવા બેસી જવું. ૧૨ ગુરુની
(પૃ. રર૧ની ફૂટનોટ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org