SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નત્રય ૨૦૩ અંગ અને અંગબાહ્ય આગમ-ગ્રંથોના અધ્યયની જરૂર પડતી નથી પરંતુ, પાણીમાં નાખવામાં આવેલ બીજરૂપ તેલના એક ટીપાંની જેમ થોડાક પદાર્થજ્ઞાનથી તે ઉત્પન્ન થઈ સર્વત્ર ફેલાય જાય છે. ૬. અભિગમરુચિ : અંગ અને અંગબાહ્ય સૂત્ર-ગ્રંથોના અર્થજ્ઞાનથી ઉત્પન્ન થનાર સમ્યગ્દર્શન. સૂત્રરુચિ સમ્યગ્દર્શનમાં અર્થજ્ઞાન અપેક્ષિત નથી જ્યારે અભિગમરુચિમાં સૂત્ર-ગ્રંથોનું અર્થજ્ઞાન પણ અપેક્ષિત છે. એટલો આ બન્નેમાં તફાવત છે. ૭. વિસ્તારરુચિ ? જ્ઞાનના બધા સ્ત્રોતો દ્વારા જીવાદિ દ્રવ્યોને સમજી લેતાં ઉત્પન્ન થનારું સમ્યગ્દર્શન. આમ, આ વિસ્તાર સાથે જીવાદિ દ્રવ્યોને સમજી લેતાં તે ઉત્પન્ન થાય છે. તેથી અભિગમરુચિ કરતાં આ અધિક વિલંબ પછી પ્રાપ્ત થાય છે. એટલો બન્નેમાં ફેર છે. ૮. ક્રિયારૂચિ : રત્નત્રય સંબંધી ધાર્મિક ક્રિયાઓ કરતા રહેવાથી જે સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે તેને ક્રિયારુચિ' કહેવામાં આવે છે. ક્યારેક ક્યારેક, એવું બને છે કે વ્યક્તિ પરંપરાને કારણે અથવા કોઈ અન્ય નિમિતે ધાર્મિક-ક્રિયાઓ કરતી રહે છે પરંતુ તેની શ્રદ્ધા દઢ થતી નથી. ધીરે ધીરે એ ક્રિયાઓ કરતાં १ सो होइ अभिगमरुई सुयनामं जेण अत्यओ दिटुं । एक्कारस अंगाई पइण्णगं दिट्ठिवाओ य ।। –૩. ૨૮, ૨૩. ૧ જ્ઞાનના મુખ્ય બે સ્ત્રોત છે : પ્રમાણ અને નય. વસ્તુના સલદેશ જે પોતાનો વિષય બનાવે છે તે પ્રમાણ” અને એકદેશને વિષમ બનાવે તે નય' કહેવાય છે. જુઓ ત. સૂ. ૧.૬. उ दव्वाण सव्वभाणा सव्वपमाणेहिं जस्स उवलद्धा । सव्वाहिं नयविहीहिं वित्थाररुइ ति नायव्यो ।। –૩. ૨૮. ર૪. ४ दंसणनाणचरित्ते तवविणए सच्चसमिइगुत्तीसु । जो किरियाभावरुई सो खलु किरियाई नाम ।। –૩. ૨૮. ર૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002136
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSudarshanlal Jain
PublisherParshwanath Shodhpith Varanasi
Publication Year2001
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy