________________
પ્રકરણ ૨ : સંસાર
૧૬૯
અધિક દશ સાગરોપમ છે. આ વેશ્યાવાળો જીવ મરીને મનુષ્ય કે દેવગતિ (સુગતિ)માં જન્મ લે છે.
૬. શુકલેશ્યા'- આ વેશ્યાવાળો જીવ શુભ ધ્યાન કરનાર, પ્રશાંત ચિત્ત, જિતેન્દ્રિય, મન-વચન-કાયાની પ્રવૃત્તિમાં ચંચળતા વગરનો, અલ્પરાગી, અને અહિંસાપ્રેમી હોય છે. તેનો રંગ” શંખ, અંક (એક પ્રકારનો મહિણ), મુચકુન્દ ફુલ, દૂધની ધાર અને ચાંદીના હાર જેવો શ્વેત (ઉજ્જવળ) વર્ણનો હોય છે. તેનો “રસ ખજૂર દ્રાક્ષ, દૂધ, સાકર વગેરેના મધુર રસ કરતાં અનેક ગણો વધારે મધુર હોય છે. તેની “ગંધ' પબલેશ્યાની ગંધ કરતાં અનેકગણી વધારે સુગંધી હોય છે અને સ્પર્શ પણ પબલેશ્યાના “સ્પર્શ કરતાં અનેકગણો વધારે કોમળ હોય છે. આ વેશ્યાની ઓછામાં ઓછી સ્થિતિ અર્ધમુહૂર્ત અને વધારેમાં વધારે એક મુહૂર્ત અધિક તેત્રીશ સાગરોપમ હોય છે. આ વેશ્યાવાળો જીવ મરીને મનુષ્ય કે દેવગતિને પામે છે. આ લેશ્યા સર્વશ્રેષ્ઠ છે.
આ રીતે, આ છયે લેશ્યાઓમાં ઉત્તરોત્તર ચારિત્ર્યનો વિકાસ દર્શાવવામાં આવ્યો છે. પ્રથમ ત્રણ લેશ્યાઓ અશુભ, અધર્મરૂપ અને અપ્રશસ્ત છે. અંતિમ ત્રણ વેશ્યાઓ શુભધર્મરૂપ અને પ્રશસ્ત છે. જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ,
१. अट्टरुद्दाणि वज्जित्त । घम्मसुक्काणि साहए ।
पसंतचित्ते दंतप्पा समिए गुत्ते य गुत्तिम् ॥ सरागे वीयरागे वा उवसंते जिइंदिए । एयजोगसमाउत्तो सुक्कलेसं तु परिणमे ॥
–૩. ૩૪. ૩૧-૩૨. તથા જુઓ – ઉ. ૩૪, ૯, ૧૫, ૧૭, ૧૯-૨૦, ૩૩, ૩૯-૪૦, ૪૬,
પપ, પ૭-૬૦. २ किण्हा नीला काऊ तित्रि वि एयाओ अहम्मलेसाओ ।
एयाहि तिहि वि जीवो दुग्गई उववज्जई ।।। तेऊ पम्हा सुक्का तिनि वि एयाओ धम्मलेसाओ । एयाहि तिहि वि जीवो सुग्गइं उववज्जई ॥
--૩. ૩૪. ૫૬-૫૭. તથા જુઓ - ઉ. ૩૪, ૬૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org