SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ વંથળીના બે નવપ્રાપ્ત જૈન અભિલેખ : સમીક્ષાત્મક લઘુ અધ્યયન સન ૧૯૮૨માં વંથળી(સૌરાષ્ટ્ર)થી પ્રકાશમાં આવેલ અને વર્તમાને જૂનાગઢના સરકારી સંગ્રહાલયમાં સંરક્ષિત, જિન પાર્શ્વનાથની પ્રતિમાના પબાસણ પર અંકિત પૃથફ મિતિ ધરાવતા બે લેખ સામીપ્યમાં પ્રકટ થયા છે. અભિલેખો નિઃશંક મહત્ત્વપૂર્ણ છે અને એની સચિત્ર વાચના વિસ્તૃત ચર્ચા સમેત પ્રકટ કરવા બદલ સંપાદકો ધન્યવાદને પાત્ર છે. સંપાદકો દ્વારા થયેલી સંદર્ભિત લેખોની વાચના આ પ્રમાણે છે : १. (स्वस्ति ।) संवत् ११८१ वर्षे माघ वदि [*]शनौ श्री श्रीमालज्ञातिय ठ० लूणागसंताने Ver[*]પત્ત(તિ)શ્રી(જે)મ ન માત્મશ્રેયાર્થ [*]શ્રી પાર્શ્વનાથ ચૈત્ય ત્રિ(Kિ)વસ[*]દિત ઋરિત પ્રતિષ્ટિ(f)ત શ્રી ૪(૪)હ્યા [[*] છે શ્રી પ્રદ્યુનભૂમિ:[*] ૨. (સ્વસ્તિ ) સંવત્ રૂ૪૪ પેસ્ટ(8) વઃિ ૩ ગુ[[*]મતધારિશ્રીનચંદ્રસૂરિશિષ્યત્રી[*] [7] ન્યાવંદ્રોપશા[*][I]. સૂTT૩(૫)ત્રસંતાને મર્દ. [*] સુત ૩૦ વિનસિ[*]માર્યા ૩૦ પુનિળિપુત્રા નાયિક [[*]દેવ્યા પિતૃમાતૃ-] રૂ. આત્મપુષાર્થ નતવલપચા] (I) (f)યા ૨ હેતની[ mો *] : તિ: પ્ર. શ્રીવ[i]દા છે શ્રીfMાપૂf: [*] પ્રથમ લેખ અનુસાર સં. ૧૧૮૧ (ઈ. સ. ૧૧૨૫)માં ઠક્કર લૂણાગના વંશમાં થયેલા દંડાધિપતિ શોભનદેવે પોતાના આત્માના કલ્યાણ માટે બિંબસહિત પાર્શ્વનાથનું ચૈત્ય કરાવ્યું, જેની પ્રતિષ્ઠા બ્રહ્માણગચ્છના પ્રદ્યુમ્નસૂરિએ કરેલી. આ લેખ વસ્તુતયા અસલ લેખની સં. ૧૩૪૪ (ઈ. સ. ૧૨૮૮)માં ફરીથી કોતરાયેલ નકલ છે. પ્રથમ લેખની નીચે તરત જ બીજો સં. ૧૩૪૪ની મિતિવાળો લેખ કંડારાયેલો છે. લિપિના મરોડ પરથી બન્ને લેખો સં. ૧૩૪૪માં કોરાયા હોવાનો સંપાદકોનો અભિપ્રાય સાચો જણાય છે. પબાસણની શિલ્પશૈલી પણ એ જ તર્કનું સમર્થન કરે છે. મૂળ પબાસણ આમ અસલી પ્રતિમાના કારાપક દંડનાયક શોભનદેવના સમયનું નથી. છતાં ત્યાં કોરેલો પુરાણા મૂળ લેખની ખરી નકલ હોવાથી પ્રમાણભૂત છે એ તો સ્પષ્ટ જ છે. પ્રથમ લેખની વાચના પરથી સંપાદકોએ સૂચવેલ તારતમ્યો એવં પ્રસ્તુત કરેલ ધારણાઓ કેટલેક અંશે વિચારણીય હોઈ અહીં એના પર અવલોકનો રજૂ કરવા ધાર્યું છે. સંપાદકોનાં વક્તવ્યોનો સાર સિલસિલાવાર નીચે મુજબ રાખી શકાય : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy