SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ નિર્ઝન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ આ વિધાનથી સ્પષ્ટ છે કે પ્રતિષ્ઠાપક આચાર્ય જિનકીર્તિસૂરિ હતા. અહીં “ગુરુ” શબ્દથી રત્નશેખરસૂરિ વિવલિત હોય; અને “ગચ્છનાથ”થી કદાચ સમસ્ત તપાગચ્છના તે સમયના પ્રમુખ આચાર્ય યુગપ્રધાન સોમસુંદરસૂરિ ઘટિત હોય. શુભશીલગણિ કે પ્રતિષ્ઠાસોમે મંદિરના નિર્માણનું વર્ષ બતાવ્યું નથી. પણ રાણકપુરના ધરણવિહારમાં મૂકેલ સં. ૧૫૦૭ | ઈસ. ૧૪૫૧ના “ગિરનાર-શત્રુંજય પટ્ટ' ક્રમમાં “કલ્યાણત્રય”ના જિનાલય પછી “પૂનસી વસતી” બતાવી છે; આથી આ પૂના કોઠારીનું પ્રસ્તુત જિનાલય તે સમયથી કેટલાંક વર્ષ પહેલાં બની ચૂક્યું હશે. આ પૂનસી-વસતીના ગૂઢમંડપના મહાવિતાનનાં આકૃતિ, પ્રકાર અને પ્રણાલી ગિરનાર પરની “ખરતરવસહી'ના ત્રણ મોટા કરોટકોના કરનાર શિલ્પીઓની પરિપાટીની લગોલગનાં હોઈ, અને પ્રસ્તુત ખરતરવસહી પણ ઈ. સ. ૧૪૪૧ પહેલાં બની ચૂકી હોઈ, પૂનસી-વસતીનું નિર્માણ પણ ઈ. સ. ૧૪૪૧થી અગાઉ થઈ ગયું હશે. પૂનસી-વસહીની ઉત્તરે આવેલ કલ્યાણત્રયના મંદિરનો ઉદ્ધાર અમદાવાદના સુલ્તાન અહમદશાહ-માન્ય ઓસવાલ શ્રેષ્ઠિ સમરસિંહે સં. ૧૪૯૪ / ઈ. સ. ૧૪૩૮માં કરેલો જેમાં પણ પ્રતિષ્ઠાપક આચાર્ય હતા જિનકીર્તિસૂરિ ! આ હકીકત ધ્યાનમાં લઈએ તો એ જ સમયે જિનકીર્તિસૂરિએ પૂનસવસહીમાં પણ પ્રતિષ્ઠા કરી હોવાનું ધારી શકાય. આથી આ કહેવાતું ‘કુમારપાળ'નું મંદિર વસ્તુતયા ઈ. સ. ૧૪૩૮માં બન્યું હતું, અને તેના કારાપક સોલંકી સમ્રાટ કુમારપાળ નહીં પણ બિદરના પૂર્ણસિંહ કોઠાગારિક ઉર્ફે પૂનસી કોઠારી હતા. મંદિરમાં આજે ધ્યાન ખેંચે તેવી કોઈ વસ્તુ તો છે તે ગૂઢમંડપનો લગભગ ૨૦ ફીટના વ્યાસનો વિશાળ કોટક (ચિત્ર ૨.). તેમાં નીચે રૂપકંઠ પછી ગજતાળુના થરો લઈ, તેના પર નવખંડા કોલના ત્રણ થરો અને વચ્ચે મોટા માનની અણીદાર-જાળીદાર કોલના પાંચ થરવાળી પુષ્પખચિત અને પદ્મકેસરયુક્ત ચેતોહર, ખરે જ બેનમૂન લંબન કરેલું છે (ચિત્ર ૧), જેની ગણના પશ્ચિમ ભારતના ૧૫મા શતકના સર્વોત્તમ ઉદાહરણોમાં થઈ શકે તેમ છે. ખરતરવસહીના બે ભદ્રપ્રાસાદોના વિતાનોની પધ્ધશિલા કિંવા લંબન કરતાં આમાં એક થર વિશેષ હોઈ તે વિશેષ પ્રભાવશાળી જણાય છે. ટિપ્પણો : ૧. સંત પં. બેચરદાસ દોશી, પુરાતત્ત્વ, ૧-૩ (ચૈત્ર ૧૯૭૯ / ઈ. સ. ૧૯૩૩), પૃ. ૨૯૬. ૨. સંત શ્રી વિજયધર્મ સૂરિ, પ્રાચીન તીર્થમાળા-સંગ્રહ ભાગ ૧લો, શ્રીયશોવિજયજી જૈન ગ્રંથમાળા, ભાવનગર સં. ૧૯૭૮ | ઈ. સ. ૧૯૨૨, પૃ. ૩૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy